SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨૮ ] શ્રી મહાવીર જીવનન્ત્યાત હઠાગ્રહી જમાલિ આભિનિવેશિક મિથ્યાત્વમાં મુંઝાઈ સત્ય સમજ્યા નહિ. ઘણા વર્ષ સુધી શ્રમણધમનું પાલન કરી અંતે પંદર દિવસનું અનશન કરી પેાતાની ભુલની આલાચના કર્યાં વગર કાળધમ પામી લાન્તક દેવલાકમાં કિલ્મિ ષિક દેવપણે ઉત્પન્ન થયા. શિત હોવા છતાં જમાલ્રિમુનિ હઠાગ્રહથી હારી ગયા ! મેંઢક ગ્રામથી વિહાર કરી ભગવાન મિથિલાનગરીમાં પધાર્યાં અને સત્યાવીશમુ' ચાતુર્માસ ત્યાં પસાર કરી પશ્ચિમના દેશા તરફ વિહાર કર્યાં. કાશલભૂમિમાં વિચરતાં પ્રભુ ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા. તે સમયે ઇન્દ્રભૂતિ ગોત્તમ પેાતાના શિષ્યપરિવાર સાથે આગળ ચાલી શ્રાવસ્તીનગરીના કાષ્ઠક રૌત્યમાં પધાર્યાં. ત્યાં પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય કેશીકુમારમુનિ શિષ્યગણુ સાથે શ્રાવસ્તીના તિન્દ્વકવનમાં પધારેલા હતા. પાર્શ્વનાથ પ્રભુ અને મહાવીરસ્વામી અને તીથ કરાની સાધના એક જ પ્રકારની હાવા છતાં બન્ને વચ્ચે રહેલી આચારભિન્નતા પરસ્પર શિષ્યગણમાં ચર્ચાઈ રહી હતી. પાર્શ્વનાથપ્રભુને ચતુમ ધર્મો અને પ્રભુ મહાવીરને પંચમહાવ્રત રૂપ ધર્મ, એકની આચાર વ્યવસ્થા સંચેલક એટલે વસ્ત્ર સહિતની અને બીજાની અચેલક એટલે વસ રહિતની ! મહારથી કેશીકુમાર અને ગૌત્તમે પરસ્પર થતી ચર્ચા સાંભળી અને એકત્ર મળી સમાધાન કરવાના નિશ્ચય કર્યા. મુનિ કેશીકુમારને વૃદ્ધ કુલના વડિલ સમજી અવસરના જાણુ ગૌત્તમસ્વામી પેાતાના કેટલાક શિષ્યગણ સાથે તિન્દ્રક વનમાં કેશી મુનિ પાસે પધાર્યા, કેશી મુનિએ ગૌત્તમને Jain Education International2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004598
Book TitleMangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Original Sutra AuthorN/A
AuthorVasantprabhashreeji
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy