SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ અગાસી તી, દહાણુ રોડ, કલ્યાણીસ્તરા–રાજસ્થાન વગેરે અનેક સ્થળેાએ અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા. સેકડો આરાધકોએ પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં ઘણીવાર ઉપધાન તપની આરાધના કરી છે, પર્યુષણ પર્વમાં તેઓશ્રીની પ્રેરણાથી જૈનેતરોએ પણ આ મહાપર્વની આરાધના કરી છે. ઘણી વાર વિવિધ પ્રતિજ્ઞાએ પણ કરી છે. પાંડિત છબીલદાસ કેસરીચંદ સંઘવી આદિ ઘણા જ્ઞાનપિપાસુઓએ પૂજ્યશ્રી પાસે વિશિષ્ટ રીતે જ્ઞાનાભ્યાસ કર્યો છે. પૂજ્યશ્રી અનેક પ્રસંગે સફળ શાંતિત પુરવાર થયા છે. તેઓશ્રીની મધ્યસ્થીથી ઘણા સ ંઘામાં શાંતિ અને એકતાના સૂરજ ઊગ્યા છે. પૂજ્યશ્રી પ્રખર વક્તા અને સફળ શાસનપ્રભાવક હોવાથી કોઈ પણ ધ કા ને અતિ સરળતાથી પાડ પાડી શકયા છે અને સમાજ પર અનન્ય પ્રભાવ પાથરી શકથા છે. પૂજ્યશ્રી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, મારવાડી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાએ પર સારું પ્રભુત્વ ધરાવે છે. તેઓશ્રી ભાષાવિદ્ હોવા સાથે બહુશ્રુત પશુ છે. સારા લેખક અને કવિ પણ છે. જીવવિચાર, નવતત્ત્વ કર્મગ્રંથ વગેરેના પદ્યાનુવાદ, અહિંસા પચ્ચીસી, ખામણા બાવીશી, સ’ગીતસરિતા આદિ તેમની કવિત્વશક્તિનાં નજરાણાં છે. સૌથી વિશેષ તે તેઓશ્રી સુવિહિત ગીતા છે. અપ્રમત્તભાવે આત્મસાધના કરે છે. પરહિતમાં સ્વહિત જોઇ ને લોકોપકારનાં અને ધર્માંદ્યોતનાં સમ્યક્ કાર્યાં કરાવે છે. તેઓશ્રીનું સમગ્ર જીવન વિવેકની મુખ્ય શિલા પર અડીખમ ઊભુ` છે. અને તેથી જ પૂજ્યશ્રીના સ'સર્ગ'માં આવનાર, તેઓશ્રીની સમગ્ર અને સક્રિય સુયમ–સાધનાની સુવાસથી પ્રભાવિત બની પૂજ્યશ્રીને ભાવસભર હૈયે વંદના કરે છે. પૂજ્યશ્રીના નિ`ળ મુખારવિંદ પર સદા અખંડ બ્રહ્મતેજ વલસે છે. તેઓશ્રીના મનમાં સ’કલ્પસિદ્ધિ વસે છે. વાણીમાં ગંભીરતા વસે છે. વચને વચને વૈરાગ્ય ઝરે છે. એવા અખંડ આરાધક-આત્મસાધક પૂ. ગુરુદેવશ્રીનું સહજ સાંનિધ્ય મનવાંછિત દાતા બની રહે છે. એટલે જ, તેઓશ્રીની નિશ્રામાં અનેકાનેક જીવા પ્રતિષેાધ પામીને ધન્ય બન્યા છે. તેઓશ્રીના વરદ હસ્તે અનેક શાસનપ્રભાવક પ્રવૃત્તિએ પાંગરતી-પ્રસરતી પ્રવતી રહી છે. તેએશ્રીના આશીર્વાદ, પ્રેરણા અને માદનથી મુંબઈ નજીક શ્રી અગાસી તીર્થાંમાં વિશાળ જમીન ઉપર પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનુ અતિભવ્ય રમણીય આરસપહાણનું શ્રી સમવસરણુ મહામ ંદિર નિર્માણ પામ્યું છે. જમણી બાજુ લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીજીનુ તથા ડાબી બાજુ રાજરાજેશ્વરી શ્રી પદ્માવતીમાતાનું રમણીય મંદિર કમલ-આકારે નિર્માણ પામ્યું છે. ભાજનશાળા, ધર્માંશાળા, ઉપાશ્રય, સેનેટોરિયમ, મધ્યમ વર્ગના જેના માટે રહેઠાણયોજના ( સામિ ક સંકુલ ), ધ્યાનખંડ વગેરે નિર્માણ પામ્યાં છે. પૂજ્યશ્રીના શિષ્યપરિવારમાં રાજસ્થાનદીપક પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજ તથા પન્યાસપ્રવરશ્રી પ્રભાકરવિજયજી ગણિતેમ જ વ્યાખ્યાતા પન્યાસ શ્રી જિનાત્તમવિજયજી આદિ જિનશાસનગગનમ`ડળમાં શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. Jain Education International 2010_04 શાસનપ્રભાવક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy