SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણુભગવંતો-ર વિજ્યનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ. તેઓશ્રી નૈષ્ઠિક બ્રહ્મચર્ય, જાજવલ્યમાન તપબળ, સન્નિષ્ટ આત્મબળ, નૈસર્ગિક બુદ્ધિપ્રતિભા અને સાત્વિક પ્રભાવશાલીતાના અદ્દભુત ગુણોની સાક્ષાત્ મૂતિ હતા. મહાન વ્યક્તિમત્તા અને અનેકવિધ શાસનપ્રભાવનાને લીધે તેઓશ્રી વીસમી સદીના સૌથી મોટા સૂરિચક્ર-ચક્રવતીનું માનભર્યું સ્થાન પામ્યા હતા. ) પૂજ્યશ્રીને જન્મ સૌરાષ્ટ્રની સાહસશ્રી ધરતી અને પ્રકૃતિથી પલ્લવિત મહુવા (મધુમતી) નગરીમાં થયેલ હતા. ભાવનગર રાજ્યના એ ગૌરવવંતા બંદરે શેઠ પદ્મા તારાના નામને આંકડે ચાલતે. એ વંશના ધર્મપ્રેમી લક્ષ્મીચંદ દેવચંદ અને દિવાળીબાના ગૃહ સં. ૧૯૨૯ના કારતક સુદ ૧ને દિવસે પતા પુત્ર નેમચંદ”ને જન્મ થયે. ચુસ્ત ધર્મપાલનના આગ્રહી, સદાચારી તેમ જ સાદાઈ અને સંતોષના જીવનવ્રતને વરેલાં સંસ્કારી મા–બાપની શીતળ છાયા તથા ત્રણ બહેને અને એક ભાઈના હેતભર્યા સહવાસ વચ્ચે નેમચંદને ઉછેર થત હતે. ખપગું વ્યાવહારિક શિક્ષણ લઈને ચૌદ વર્ષની વયે ધંધે વળગ્યા. સટ્ટાના ધંધામાં તેમની કાબેલિયત ઝળકી ઊઠી. પરંતુ તેમને આત્મા કેઈપણ સાંસારિક પ્રવૃત્તિમાં રાજી થત ન હતે. મૂળભૂત જિજ્ઞાસાવૃત્તિ, ધર્મરુચિ અને જ્ઞાન–તપ માટે પ્રેરતી હતી. પરિણામે, ધંધે છેડીને વળી અભ્યાસ તરફ વળ્યા. એમાં ધાર્મિક અભ્યાસ પ્રત્યે વિશેષ રુચિ કેળવાતી ચાલી. પિતાની અદ્દભુત સ્મરણશક્તિ અને તીવ્ર ધારણશક્તિ દ્વારા વધુ પ્રોત્સાહિત થયા. પિતાશ્રીની અનુજ્ઞા મેળવી વધુ અભ્યાસાર્થે ભાવનગર આવ્યા. અહીં ગુરુદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિચયમાં આવ્યા. ગુરુજીની નિર્મળ અને મધુર વાણીની તેમ જ સૌમ્ય અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વની એમના મન પર ગાઢી અસર થઈ એક વર્ષના અભ્યાસ પછી તે નેમચંદ સંયમમાગે વિહરવા દૃઢનિશ્ચયી બની ચૂક્યા હતા. પરંતુ એ માટે માતાપિતાની સંમતિ મળી નહીં. એક દિવસ કેઈને કહ્યા વગર ઘર છોડી ભાવનગર પહોંચ્યા. સં. ૧૯૪પના જેઠ સુદ ૭ના ૫. વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ૧૬ વર્ષની યુવાવયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી, અને નેમચંદમાંથી મુનિશ્રી નેમિવિજયજી બન્યા. અને તે સાથે જ ગુરુસેવા, સંયમસાધના અને જ્ઞાને પાર્જનમાં એકનિષ્ઠ બની ગયા. “મેરનાં ઈંડાં કાંઈ ચીતરવા ન પડે' એ ન્યાયે પહેલા જ વર્ષમાં પ્રકરણ, વ્યાકરણ, સાહિત્ય વગેરે અવગત કરી લીધાં. તે જ વર્ષમાં પર્યુષણાવ્યાખ્યાનમાં ગુરુદેવના આદેશથી સુબાધિકા (શ્રી કપસૂત્રની સંસ્કૃત ટીકા)ની પીઠિકા છટાદાર શૈલીમાં વાંચી. / (સં. ૧૯૪૯માં વાત્સલ્યમૂતિ ગુરુદેવની શીળી છાયા ગુમાવી. આથી પૂજ્યશ્રીના હૃદયને ઘણો આઘાત લાગ્યા. પરંતુ જ્ઞાન–તપની સહાયે અલ્પ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. ત્યાર બાદ, સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિના બળે અલ્પ સમયમાં અનેક શાનું ઊંડું અવગાહન કર્યું. એટલું જ નહિ, જેનદર્શનની સાથે અન્ય દર્શન-સાંખ્ય, યુગ, મીમાંસા, વેદાંત વગેરેનું પણ જ્ઞાન સંપાદન કર્યું. તેમની આ જ્ઞાનલબ્ધિ અને તેનાથી સમૃદ્ધ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનશૈલી, કડક સંયમરુચિ આદિ ગ્યતા જોઈ તેમના વડીલ ગુરુબંધુ ઉદારમના ગીતાર્થ શ્ર. ૭ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy