SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક પ્રવર પૂ. પ ંન્યાસ શ્રી ગૉંભીરવિજયજી મહારાજે ભાવનગરમાં શ્રી ભગવતીસૂત્રના યોગેન્દ્વહનમાં પ્રવેશ કરાવી, વલભીપુર મુકામે સ. ૧૯૬૦ના કારતક વદ છના ગણિપદથી, માગશર સુદ ૩ના પન્યાસપદથી વિભૂષિત કર્યાં. અને આગળ જતાં, તેઓશ્રીમાં ઉત્તરોત્તર થતી ગુણજ્ઞાનની વૃદ્ધિને જોઇ તેમ જ શાસનધુરાને વહન કરવાનીયેાગ્યતાને જાણી, પૂ. વડીલ બંધુએસ, ૧૯૬૪માં ભાવનગરમાં મહામહોત્સવપૂર્વક આચાય પદવીથી અલંકૃત કર્યાં. લગભગ છેલ્લાં ૩૦૦ વર્ષ પછી યાગાદ્વહન, પંચપ્રસ્થાનની આરાધના વગેરે શાસ્ત્રીય વિધિપૂર્વક કરીને આચાય પદવી પ્રાપ્ત કરનારા તેઓ સર્વ પ્રથમ આચાર્ય હતા. તેથી તેઓશ્રી આચાર્યાંના ચક્રમાં ચક્રવતી અને જૈનશાસનમાં સમ્રાટ કહેવાયા. આચાય પદવી પ્રાપ્ત થતાં તેઓ આચાય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી તરીકે જાહેર થયા અને આગળ જતાં વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયથી શાભાયમાન પૂજ્યપાદશ્રી શાસનસમ્રાટ ’થી વિશેષ ખ્યાત થયા. ( ૫૦ સવાર સં. ૨૦૦૫નું ચાતુર્માસ જન્મભૂમિ-મહુવામાં વિતાવતા હતા ત્યારે તબીયત લથડી. દિન-પ્રતિનિ અશક્તિ વધતી ચાલી. દિવાળીનું પર્વ આવ્યું. આસે વદ અમાસની ઊગી. બાહ્ય ઉપચારો મૂકીને નિયમાને આભ્યંતર ઉપચાર શરૂ થયો. બરેોબર ૭ વાગ્યે પૂજ્યશ્રીને આત્મા સ્વ`લાક ભણી સ`ચર્યાં. એક ભવ્ય જીવનનું ૭૭ વષઁનુ ચક્ર પૂર્ણ થયું. પૂજ્યશ્રીના દેહવિલય-સ્થળથી ૫૦ ડગલાં દૂર તેમનું જન્મસ્થળ હતું, જ્યાં કારતક સુદ ૧ને દિવસે એમના જન્મ થયા હતા !! જીવનસિદ્ધિ : પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીનુ જીવન એક વિશાળ વટવૃક્ષ સમાન હતું. જેમ વટવ્રુક્ષને અનેક શાખા-પ્રશાખા હોય તેમ ગુરુભગવંતને પણ વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય થયા. જેમ વટવૃક્ષ અગણિત જટાજૂથઘટાએથી સેહી રહે તેમ પૂજ્યપાદ પણ અનેકાનેક સઘન શાસનપ્રભાવક પ્રવૃત્તિઓથી શે।ભાયમાન હતા. એક જ વ્યક્તિ આટલું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે એ પણ આ સમયનુ એક આશ્ચય જ મનાયું ! સંયમજીવનના આરંભે જ પૂજ્યશ્રીએ ચાર જીવનધ્યેય નક્કી કર્યાં હતાં; અને એને પાર પાડવા સતત અને સખત પુરુષાર્થ કરતા રહ્યા હતા. એ ધ્યેય તે આ હતાં : ૧. જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્ધાર : ત્યાગમા ગ્રહણ કર્યાં અને ધ શાસ્ત્રોના અધ્યયનમાં મગ્ન રહ્યા એટલે સ્વકલ્યાણ તે નિશ્ચિત થયું જ, પરંતુ સાચા સૂરિનું કાર્ય તે પરકલ્યાણનુ પણ છે એમ પોતે દૃઢતાથી માનતા હતા. ધ કાર્યો કે ધાર્મીિક ક્રિયાએ સમજણુ વગર ન થવી જોઇએ એમ પણ તેઓશ્રી માનતા હતા; એ માટે નાના બાળકથી માંડીને મેાટા વિદ્વાના સુધીના માટે ધાર્મિ ક પાઠશાળાઓ હાવી જરૂરી છે એમ સ્વીકારતા હતા. પરિણામે અમદાવાદ, ખભાત, મહુવા, વઢવાણ, જોવાલ આદિ અનેક સ્થળે પાઠશાળાએ, જગમ શાળાઓ, કન્યાશાળાઓ સ્થાપી સ્થપાવી. એટલુ' જ નહિ, યેાવૃદ્ધ અને શ્રીમ'ત ગૃહસ્થા પણ મળીને ધર્મચર્ચા કરી શકે તે માટે અમદાવાદમાં · જૈન તત્ત્વવિવેચક સભા ' સ્થાપી, જે આજે ‘ સૂરિસમ્રાટ પાઠશાળા ’ રૂપે ચાલી રહી છે. જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનાદ્વારના સંદર્ભે ધર્મ શાસ્ત્રોનુ ગ્રંથસંરક્ષણ, 'થલેખન અને ગ્રંથપ્રકાશન પછુ એટલું જ અનિવાર્યું હતું. પૂજ્યશ્રીની 6 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy