SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ શાસનપ્રભાવક ત્યાર બાદ પૂ. આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ અને વડીલ બંધુ શ્રી જિતેન્દ્રવિજ્યજી મહારાજનું ઉમદા અને પ્રેરક જીવન જોયા પછી ગણેશમલજીને પણ સંસાવાસ અકારે થઈ પડ્યો. વેવિશાળ થયેલ હોવા છતાં પૂર્વ ભવના પુણ્યોદયે સદ્ગુરુઓને સમાગમ પામી પ્રવ્રજ્યા અંગીકાર કરવા પરમ ભાગ્યશાળી બન્યા. સં. ૨૦૧૦ના મહા સુદ ને દિવસે દાદર-મુંબઈ મુકામે મુનિરાજશ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારીને મુનિશ્રી ગુણરત્નવિજયજી નામે દીક્ષા અંગીકાર કરી. ૧૪ વર્ષ સુધી પૂ. ગુરુવર્યોની નિશ્રામાં જ્ઞાન સંપાદન કરી તથા શુદ્ધ ક્રિયાનુષ્ઠાન આરાધી અનંત પુણ્ય ઉપાર્જન કરતા રહ્યા. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વિશેષ કૃપાપાત્ર બની, કર્મસાહિત્યના સર્જનનું પાયાનું કામ હાથ પર લઈ જ્ઞાનગંગાની ધૂણી ધખાવી, અને ૩૭ હજાર કપ્રમાણુ પ્રાકૃત-સંસ્કૃત ખગસેઢિ અને બંધવિહાણ જેવા ગ્રંથો લખ્યા, જેનાં વખાણ દેશવિદેશમાં છે. કલાઉઝ બ્રને “TIFIR મેં સાકાર મા રિચા ના શબ્દોમાં કર્યા. પૂજ્યશ્રી દ્વારા આ ઉપરાંત જૈન મહાભારત”, “રે! કર્મ, તારી ગતિ ન્યારી ”, “જેજે, કરમાએ ના ”, “એક થી રાજકુમારી (મહાસતી અંજના)” વગેરે હિન્દી તેમ જ ગુજરાતીમાં ઉત્તમ અને વિપુલ સાહિત્યસર્જન કર્યું છે. પૂજ્યશ્રી છેલ્લાં ઘણાં વર્ષોથી રાજસ્થાનમાં જ વિચારી રહ્યા છે. રાજસ્થાનમાંની પૂજ્યશ્રીની શાસનપ્રભાવના અદ્ભુત અને વિશિષ્ટ કોટિની છે. યુવાન વર્ગને ધર્મમાગે વાળવામાં પૂજ્યશ્રીને ફળ ઘણે નેંધપાત્ર છે. તેઓશ્રીની નિશ્રામાં યુવાને માટે ૨૭ જેટલી જ્ઞાનશિબિર યોજાઈ છે અને તેમાં એક હજાર યુવાનોએ ધર્મબોધ પ્રાપ્ત કર્યો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી ઓપન બુકસ એકઝામ અખિલ ભારતીય સ્તરે લેવામાં આવે છે. પૂજ્યશ્રીની પ્રવચનશૈલી મીઠી-મધુર અને તલસ્પર્શી છે. જેને રામાયણ ઉપર તેઓશ્રીનાં જાહેર પ્રવચનમાં જેન–જેને ભાગ લે છે. તે પૂજ્યશ્રીને ખાસ વિષય છે. એવી જ રીતે, સાધના-આરાધનાના ક્ષેત્રે પણ પૂજ્યશ્રી અપ્રમત્તભાવે અવિરામ અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવતા રહ્યા છે. પૂજ્યશ્રી નિર્દોષ ગોચરના આગ્રહી છે. તેઓશ્રીએ વર્ધમાન તપની ૭૦ ઓળી, અનેક અઠ્ઠાઈ-અહમ અને નિત્ય એકાસણું સાથે ૧૦ વર્ષ અને ૧૦ મહિના સુધી દૂધને ત્યાગ કર્યો છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ૨૭ જેટલાં યાદગાર ઉપધાનતપ થયાં છે. ૧૩ જેટલી ઐતિહાસિક પ્રતિષ્ઠાઓ થઈ છે. તેમાં અચલગઢ (આબુ) દયાલ શાહ કિલ્લા, ઘાણેરાવ, અજારી તીર્થ અને છેલ્લે નાકેડા તીર્થની અંજનશલાકાપ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૫ હજાર ભાવિકેએ ભાગ લીધો હતો. તેઓશ્રીની નિશ્રામાં ૫૦ જેટલાં ભવ્ય ઉજમણાં થયાં, જેમાં સાબરમતી, બીકાનેર, જોધપુર, પાલી, જાલેર, સાંચેર, સિરોહી, પિંડવાડા, પાલનપુર આદિ મુખ્ય છે. તેઓશ્રીની પ્રેરણા અને નિશ્રામાં સામૂહિક અઠમતપની આરાધના શંખેશ્વરતીર્થમાં અને સાબરમતીમાં થઈ. તેમાં અનુક્રમે ૧૮૦૦ અને ૧૦૦૦ની સંખ્યા થઈ હતી. પૂજ્યશ્રીની નિશ્રામાં ૧૬ જેટલી નવપદજીની ઓળી થઈ છે. છેલ્લે જીરાલાજી તીર્થમાં ૩૦૦૦ જેટલી ઓળી થઈ અને સાથે સાથે ૧૮૦૦ જેટલાં અઠમ થયાં—એ આજ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy