SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતા–ર હાલાર પ્રદેશના તેજસ્વી-યશર-વી શાસનપ્રભાવક સૂરિદેવ પૂ. આચાર્ય શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજના સંસારી પક્ષે લઘુબંધુ અને સયમપક્ષે શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજયરાજશેખસૂરીશ્વરજી મહારાજના જન્મ સ'. ૧૯૯૫ના ભાદરવા સુદ પાંચમે રાસંગપુર (હાલાર )માં થયા હતા. પોતાના વડીલ બંધુ સાથે જ દીક્ષિત થઈ, ગણિ–પંન્યાસ–આચાય પદે અધિષ્ઠિત થયા. તેઓશ્રીની તખિયત નાજુક રહેતી હોવા છતાં તેઓશ્રી સ્વાધ્યાય આદિમાં મગ્ન રહીને નિત્યં સ્વાધ્યાય સંયમતાનાં એ આવાણીની સ્મૃતિ થાય તેવું જીવન જીવી રહ્યા છે. પેાતાના શિષ્યસમુદાયને સ્વાધ્યાય-સંયમમાં અપ્રમત્ત રાખવાની આ ગુરુશિષ્ય જોડલીની લગની અત્યંત અનુમાઢનીય છે. પૂજ્યશ્રી સંસ્કૃત ભાષા ઉપર સારુ પ્રભુત્વ ધરાવે છે. તેઓશ્રીએ પ્રદેશખ ધ ( સબંધો) ગ્રંથ ઉપર દસ હજાર શ્લોકોથી પણ અધિક પ્રમાણવાળી સંસ્કૃત ટીકા રચી છે અને સિદ્ધહેમ શબ્દાનુશાસન–મધ્યમવૃત્તિનું સંપાદન કર્યુ છે. ગુરુતત્ત્વવિનિશ્ચય, પચવસ્તુક, પોંચાશક, તત્ત્વાર્થસૂત્ર, જ્ઞાનસાર અષ્ટક વગેરે ગ્રંથોના અનુવાદોમાં પૂજ્યશ્રીની વિદ્વત્તા પ્રકાશતી જોવા મળે છે. સાથે સાથે તેઓશ્રી બાળભાગ્ય સાહિત્ય પણ સર્જતા રહ્યા છે, જેમાં માતા-પિતાની સેવા આદિ ગ્રંથ અત્યંત લેાકાદર પામ્યા છે. હાલારના આ તેજસ્વી આચાય દેવાના શિષ્યસમુદાય પણ હાલારના નામ્ને રોશન કરે તેવા પ્રભાવશાળી છે. પૂ. આ. શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન પૂ.આ. શ્રી વિજયવીરશેખરસૂરિજી મહારાજ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના જાણીતા વિદ્વાન છે, તેઓશ્રીએ પૂ. આ. શ્રી વિજયપ્રેમમૂરીશ્વરજી મહારાજના માદનાનુસાર અઢળક પ્રમાણમાં સજિ તકમ સાહિત્યની મૂળ ગાથાઓની પ્રાકૃત ભાષામાં રચના કરી છે. તદુપરાંત, ક સાહિત્યના અનેક દળદાર ગ્રંથા પૂજયશ્રીએ આલેખ્યા છે. આવા પ્રભાવશાળી શિષ્યરત્નના પ્રભાવશાળી ગુરુ પૂ.આ. શ્રી વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજના ચરણારવિંદમાં ભાવભીની વંદના ! .. Jain Education International 2010_04 ૪૩૯ યુવક-જાગૃતિના પ્રેરણાદાતા, વ્યાકરણવિશારદ, શાસન–શણગાર પૂ. આચાર્ય શ્રી વિજયગુણુરત્નસૂરીશ્વરજી મહારાજ વિનયવિવેક જેવા સદ્ગુણાથી સંપન્ન અને જિનશાસનની પાટપર પરાને દીપાવનારા સમયે સમયે જે ધ`પ્રભાવક મહાપુરુષોની ભેટ મળી છે તેમાં શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પૂ. આ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ એક વિરલ વિભૂતિ છે. પૂજ્યશ્રીના જન્મ રાજસ્થાનના પાદરલી મુકામે સ. ૧૯૮૯ના પોષ સુદ ૪ને દિવસે ઉમદા ધર્માંસ પન્ન-સંસ્કારી પરિવારમાં થયા. પુત્રનું નામ ગણેશમલજી રાખવામાં આવ્યું. પિતા હીરાચંદજી અને મમતાળુ માતા મનુખાઇના ઉછરંગે વાત્સલ્યથી ઊછરતા ગણેશમલજીને શૈશવકાળથી ઉત્તમ ધર્માંસ'સ્કારો મળ્યા. અંગ્રેજી માધ્યમમાં મેટ્રિક સુધીના વ્યાવહારિક અભ્યાસ કર્યો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy