SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક સંયમ–સદાચાર-શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમા વાત્સલ્યમૂર્તિ પૂ. આચાર્ય શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ ગરવી ગુજરાતના પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાની એ ગૌરવગાથા છે કે રાધનપુર જેવી નગરીના પ્રત્યેક ઘરમાંથી એક એક આત્મા તે દીક્ષિત બનેલ છે જ. પચીશ પ્રીશ શિખરબંધ જિનાલોથી શોભતા રાધનપુરમાં મંદી કુટુંબના આધારસ્તંભ રૂપ શ્રી રમણીકભાઈનાં ધર્મપત્ની કાંતાબહેનની રત્નકુક્ષિએ સં. ૨૦૦૨ના ચૈત્ર વદ ૧૩ને દિવસે એક બાળકનો જન્મ થયે. બાળકનું તેજસ્વી મુખ જોઈને લકે કહેવા લાગ્યાં કે, આ બાળક અપ્રતિમ વૈભવશાળી અને મહત્તમ વ્યક્તિ બનશે. આવી અતુલ પ્રતિભા જોઈને માતાપિતાએ નામ પાડી દીધું “અતુલ”. અતુલને બાળપણમાં જ સાંસારિક કાર્યોમાં ઓછો અને ધાર્મિક કાર્યોમાં વધુ રસ પડવા માંડ્યો. બાળપણથી તેને દર્શન, પૂજા, સામાયિક આદિ ધર્મક્રિયાઓમાં વિશેષ રુચિ થવા માંડી. ધીમે ધીમે મોટા થતા અતુલનું મન વૈરાગ્ય તરફ વળવા માંડયું. એવામાં પિતા કુટુંબસહિત ધંધાર્થે મુંબઈ આવીને વસ્યા. પણ અહીં બાળક અતુલને ક્યાંય ચેન પડે નહીં. તેને વારંવાર, જેમની કાતિ મેર પ્રસરી રહી હતી તે પૂજ્ય આચાર્યશ્રી રામસૂરીશ્વરજી મહારાજ પાસે ગુજરાતમાં જવાની ઇચ્છા થવા લાગી. એવામાં સાધ્વીશ્રી કંચનશ્રીજી મહારાજની ધર્મવાણુ સાંભળતાં અતુલને વૈરાગ્ય ઢીભૂત થે. માતાપિતાને અતુલની મનીષાની જાણ થઈ તેઓ તે પુત્રમેહના કારણે અનુમતિ આપે તેમ નહોતાં. એક વખત અતુલ ઘેર કોઈને કહ્યા વિના રેલવે સ્ટેશન પહોંચી ગયા. દિશાનું ભાન નહોતું, પણ અમદાવાદ તરફ જતી ટ્રેનમાં બેસીને, મહાપ્રયત્ન પૂ. ગુરુદેવ પાસે પહોંચી ગયો. માતાપિતાને ખબર પડતાં અતુલને અમદાવાદથી પાછા મુંબઈ લાવ્યાં. પણ અતુલને ચેન પડ્યું નહીં. આખરે સાધ્વીશ્રી કંચનશ્રીજી મહારાજની પ્રેરણાથી છેડો સમય પૂ. ગુરુદેવ પાસે રાખવાની ભલામણ થઈ. પૂ. ગુરુદેવે બાળક અતુલને યોગ્ય જાણી, માત્ર ૧૨ વર્ષની કેમળ વયે પાટણ નજીકના સંખારી ગામમાં સં. ૨૦૧હ્ના માગશર સુદ પાંચમના શુભ દિને ભાગવતી દીક્ષા આપી અને મુનિશ્રી અભયચંદ્રવિજ્યજી નામે ઘેષિત કર્યા. લેકેની આંખોને આનંદ આપતા બાલમુનિ દિનપ્રતિદિન જ્ઞાન–ધ્યાનમાં સતત આગળ વધવા લાગ્યા. નાની વયે અભ્યાસ અને વિહારમાં પણ સતત પ્રવૃત્ત રહીને તેમણે સૌનાં હૃદય જીતી લીધાં. પૂ. ગુરુદેવની નિશ્રામાં બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રદેશમાં વિચર્યા. અનેક પ્રકારની શાસનપ્રભાવના કરી. એનાથી પ્રભાવિત થઈને અનેક સંઘ દ્વારા તેમને પદવી પ્રદાન કરવાની વિનંતિઓ થઈ. પ્રાંત-મુંબઈના પ્રાચીનતમ દેવસુર સંઘના ઉપક્રમે ગોડીજી ઉપાશ્રયમાં સં. ૨૦૩૬ના કારતક વદ ૪ને શુભ દિને ગુરુમહારાજે તેમને “ગણિપદ થી અને ડહેલાના ઉપાશ્રય (અમદાવાદ)ની વિનંતિથી “પંન્યાસપદ થી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૭ના ચૈત્ર વદ ૩ને દિવસે ઊજવાયેલા આ ઉત્સવમાં અસંખ્ય ભાવિકેએ લાભ લીધે. ગુરુદેવ શ્રી વિજયમસૂરીશ્વરજી મહારાજે પિતાના કરકમલથી પ્રિય શિષ્ય શ્રી અભયચંદ્રવિજયજી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy