SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા–ર ગણિવરને વાસક્ષેપ નાખી પન્યાસજી અનાવ્યા. પૂ. પંન્યાસજી શ્રી અભયચ`દ્રવિજયજીની વ્યાખ્યાનશક્તિ અદ્ભુત છે અને વ્યવહારદક્ષ આયેાજનશિક્ત અપૂર્વ છે. એ કારણે તેમના દ્વારા અનેક ભાવિક આત્માઓએ સાધુજીવન સ્વીકાર્યુ. પૂજ્યશ્રીની અનેકવિધ પ્રભાવનાથી પ્રભાવિત થઇ અનેક શ્રીસ ઘાએ તેમને આચાય પદથી અલંકૃત કરવાની વિનંતિ કરી. સકળ સંઘાની આ ભાવનાને માન આપી, જે દિવસે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ગૌતમસ્વામી આદિને ગણધર પઢવીએ આપી સંઘની સ્થાપના કરી હતી તે વૈશાખ સુદ ૧૧ના શુભ દિને સં. ૨૦૪૧માં પૂ. પંન્યાસજી શ્રી અભયચંદ્રવિજયજીને આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. હવે પન્યાસજી ૮ આચાર્યશ્રી વિજયઅભયદેવસૂરીશ્વરજી ' અની રહ્યા. ગુર્વ્યજ્ઞાને અવિરત ધારણ કરતાં પૂ. આચાર્ય શ્રી વમાનમાં ઘણા શિષ્યપરિવાર સાથે વિચરીને અનેક પુણ્યાત્માઓને સન્માગે વાળી રહ્યા છે. પૂ. આચાર્ય દેવના મુખ પર સદાય સ્મિત વિલસી રહ્યું હોય છે. કચારેય ઉદાસીનતા કે ઉદ્વેગના દન થતા નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સૂઝબૂઝ સાથે, કોઈ ને મનદુઃખ કર્યા વિના માર્ગ કાઢવાની પૂજ્યશ્રીમાં અનેાખી સાલસતા છે. વાત્સલ્યમૂર્તિ આચાર્ય ભગવંત પોતાના અપ્રતિમ ગુણાને લીધે અનેકવિધ શાસનપ્રભાવના કરવા સમર્થ છે. નમન હો એવા મહાપુરુષાનાં મહાન ચિરત્રને ! વંદન ! પૂજ્યપાદ ગુરુદેવશ્રીને ! ( સ’કલન : ગુરુપાદપરેણુ રત્નચંદ્રવિજયજી · અભયશિશુ ' તથા મુનિશ્રી મેાક્ષરત્નવિજયજી ) લાલાયિા પરિવારના સંસ્કારસંપન્ન શાભાસ્વરૂપ કુલદીપક : સુપ્રસિદ્ધ પ્રવચનકાર : સુરિપુર ંદર : પૂ. આચાર્યશ્રી વિજયયાભદ્રસૂરીશ્વરજી મહારાજ ૪૩ ધન્ય હૈા પુણ્યપ્રદેશ ગુજરાત, કે જેણે અનેક મહાપુરુષોને જન્મ આપ્યા. એવી પુણ્યવતી ગુરભૂમિમાં ધર્માંસંસ્કારોથી સુવાસિત રળિયામણું નાનકડું કુવાળા નામે ગામ છે. ગામના સૌ જેવું જ ગામનું ધાર્મિ ક વાતાવરણ છે. અને તેને પ્રભાવે ત્યાંના માનવી પણ નિર્દોષ, નિઃસ્વાથી અને સેવાભાવી છે. આ કુવાળા ગામમાં ધર્મ સંસ્કાર અને પરમાત્મશાસનની શ્રદ્ધાના દીપ સમાન ઝળહળતા લાલાડિયા પરિવારના શ્રી ટીલચંદભાઈ ને ઘેર ભદ્રપરિણામી માતા મૈનાદેવીની કુક્ષીએ એક મંગળ પ્રભાતે સ્મિતમુખી બાળકના જન્મ થયા. વાત્સલ્યસાગર સમા માતાપિતા અને ચાર વડીલ બંધુએ તથા એ બહેનેાના લાડપ્યારમાં ઊછરતા આ ખાળરાજાને પરિવારજનોએ ‘ નટવર ’ના લાડલા નામે સંધ્યા. નટખટ નટવરનાં ખાલ્યકાળનાં કાન પણ અદ્ભુત હતાં. માતાપિતા આ બાળક્રીડાઓ જોઈ ને ઘેલાં ઘેલાં બની જતાં. પરંતુ નટવરની આ નટખટ ક્રીડા પાછળ પૂર્વજન્મના કોઈ અપૂર્વ ધ`સંસ્કારો છુપાયા હતા. એના પ્રતાપી વ્યક્તિત્વને જોઈને જ સૌ કોઈ ને થતું કે આ બાળકમાં કોઇ અપૂર્વ પ્રતિભા છે, જેનાથી સમગ્ર વિશ્વ આલેાતિ થશે. બાળક નટવરને પણ ખાળપણથી ધર્મ પ્રત્યે અપાર રસ હતા. Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy