SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શાસનપ્રભાવક વિશ્વકલ્યાણના વ્રતધારી, સમર્થ સમયદ્રષ્ટા, શાસનપ્રભાવનાના પરમ પ્રભાવક સુવાહક, ધર્મમંદિર-સરસ્વતીમંદિરો-સત્કર્મમંદિરો સ્થાપવાની ઉદઘોષણ કરનાર યુગપુરુષ: પૂ. આચાર્ય દેવેશ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ગુજરાતની સાંસ્કૃતિક અને શિક્ષણિક નગરી વડોદરામાં જન્મ્યા હતા. તેઓશ્રીને જન્મ સં. ૧૯૨૭ના કારતક સુદ બીજ (ભાઈબીજ)ને દિવસે થયે હતે. પિતાનું નામ દીપચંદભાઈ અને માતાનું નામ ઇચ્છાબેન હતું. પૂજ્યશ્રીનું સંસારી નામ છગનભાઈ હતું. તેમને બીજા ત્રણ ભાઈઓ અને ત્રણ બહેને હતાં. જેનધર્મ પ્રત્યે વિશેષ રુચિ તે વંશપરંપરાગત હતી, તેમાં માતા ઈચ્છાબેનની ધર્મભાવના વિશેષ દઢ હતી. માતાપિતાની સાદાઈ, સરળતા, સંસ્કારિતા અને ધાર્મિકતાનું સિંચન સહજપણે બાળકમાં થતું હતું. પરંતુ કુદરતને આ સુખશાંતિ મંજૂર ન હતી. બાળપણમાં જ પિતા દીપચંદભાઈને વિયેગ થયો. થોડા સમય પછી માતાનું પણ અવસાન થયું. માતાના અવસાન સમયે છગનભાઈની ઉંમર ૧૦-૧૨ વર્ષની હતી. તે અંતિમ ક્ષણે માતાએ પુત્રને કહેલું કે, “હે વત્સ ! અરિહંત પરમાત્માનું અને વ્યક્તિને અનંત સુખમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મનું શરણું સ્વીકારજે અને જગતના જીવોનું કલ્યાણ કરવામાં જીવન વિતાવજે.' બાળકના કુમળા મન પર આ શબ્દોની અમીટ અસર થઈ. માતાપિતાને વિગ બાળક માટે અસહ્ય થઈ પડ્યો હતે. એક એક દિવસ પસાર કરે અઘરે થઈ પડ્યો. સંસાર પરથી મન ઊઠી ગયું. સાતમા ધોરણ સુધી અભ્યાસ માંડ માંડ પૂરો કર્યો. ત્યાં સુધીમાં તે મંદિર-દેવદર્શન અને ઉપાશ્રય-સાધુસંતના સમાગમમાં રચ્યાપચ્યા રહેવા માંડ્યા હતા. પૂર્વજન્મના સંસ્કાર જાગૃત થતાં ધર્મસંસ્કારો દઢ થવા માંડ્યા હતા. મન વેપારધંધામાં કે સંસાર-વ્યવહારમાં લાગવાને બદલે અગમનિગમની ઝંખનામાં લાગવા માંડ્યું. એવામાં યોગાનુયોગ એક અલૌકિક બનાવ બન્ય. કઈ પણ વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં સૌથી મહાન યોગદાન સંત-સદ્ગુરુમાર્ગદર્શકનું હોય છે. તેમાંય કેઈ યુગપ્રધાન મહાપુરુષને યોગ થાય તો તે સાધક-જિજ્ઞાસુના સર્વોત્કૃષ્ટ પ્રેમને-પુણ્યને ઉદય જ ગણાય. તેથી જ કહ્યું છે ? “પારસ મેં ઔર સંત મેં બડા અંતર જાન, વે લેહા કંચન કરે, વો કરે આપ સમાન. બલિહારી ગુરુદેવ કી પલપલ મેં કઈ બાર. પશુ મેટ હરિજન કિયા, કુછ ન લાગી વાર.” સં. ૧૯૪૨નું વર્ષ. જ્ઞાન-સંયમની સાક્ષાત્ મૂર્તિ સમા પરમ પૂજ્ય યુગપ્રધાન આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ (આત્મારામજી મહારાજ)નું વડોદરામાં આગમન થયું. તેઓશ્રીનું વૈરાગ્યમય પ્રવચન સાંભળતાં જ નાના પણ વૈરાગ્યવાસિત છગનલાલના મન રૂપી હરણે જાણે કે મેલીને નાદ સાંભળે ! મધુર શબ્દો અને સૌમ્ય મુદ્રાથી તેમનું મન વધાઈ ગયું. તેમણે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy