SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતા-ર ‘વિદર્ભના વિજયવંત વિહારી ’, વિાહર પાર્શ્વનાથ તીર્થસ્થાપક: પૂ. આચાર્ય શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ ૨૬૩ ભુવનમાં તિલક સમા શેાભતા પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ કિવકુલિકરીટ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની પાટ પર નંદનવનમાંના કલ્પતરુ સમાન શે।ભી રહ્યા હતા. વડાદરા પાસેની તીનગરી છાણી ગામ તેઓશ્રીની જન્મભૂમિ હતી. ત્યાં સ. ૧૯૬૨માં પિતા ખીમચંદભાઈ અને માતા સૂરજબેનને ઘેર એક પુણ્યાત્માએ જન્મ લીધા. ખળકનુ નામ છબીલદાસ ( અપરનામ મશુભાઈ ) રાખવામાં આવ્યુ.. પૂર્વ ભવના સૉંસ્કારે, માતાપિતાના ધર્મસ`સ્કાર અને ગુરુભગવંતેાના સમાગમથી નાનપણમાં જ છખીલભાઈમાં વૈરાગ્યના અકુરો ફૂટવા લાગ્યા હતા. જેમ વૈરાગ્યભાવના તેમ સંગીતપ્રીતિ પણ છખીલભાઈ ને કુદરતી દેણગી હતી. નાનપણથી સ્તવને સજ્ઝાયા એવી સુમધુર વાણીમાં અને સગીતની શાસ્ત્રીયતાથી ગાતા કે ભલભલા સંગીતકારો મ`ત્રમુગ્ધ બની જતા ! એવામાં વ્યાખ્યાનવાચસ્પતિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ છાણી પધાર્યા. તેઓશ્રીની મનેહર વાણીએ છાણી સઘનાં મન હરી લીધાં. એ વાણીના પ્રવાહમાં પરિપ્લાવિત થઈ ને અનેક જીવે વીરશાસનના પરમ આરાધક બન્યા હતા. તેમ એ વાણીએ છબીલભાઈના અંતરમાં વૈરાગ્યની હેલી ચડાવી. તેમણે ગુરુદેવનાં ચરણામાં પોતાનુ જીવન સમર્પિત કર્યુ અને સ. ૧૯૦૮માં ઉમેટા મુકામે દીક્ષા ગ્રહણ કરી, કષાય સંસારને કામળે ફગાવી ક્ષીરસાગર-શાં શ્વેત વસ્ત્રો પરિધાન કર્યાં અને મુનિશ્રી ભુવનવિજયજી તરીકે જાહેર થયા. · અન્યા ભુવનવિજયજી ત્યાગી, ગુરુભક્તિના ખૂબ રાગી.’ મુનિરાજ ભુવનવિજયજીએ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં ગુરુભક્તિ સાથે નિતનવા સ્વાધ્યાયના યજ્ઞ આરંભ્યા. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું. ગુજરાતી અને સ’સ્કૃતમાં કાવ્યરચના કરવાની કુશળતા પ્રાપ્ત કરી. સ’. ૨૦૦૧ના ચૈત્ર સુદ ૪ના શુભ દિવસે પાલીતાણામાં મહામહોત્સવપૂર્વક પૂજ્યપાદ ગુરુદેવશ્રીના વરદ હસ્તે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી મુનિશ્રી ભુવનવિજયજી જૈનાચાય શ્રીમદ્ વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ તરીકે જગપ્રસિદ્ધ થયા. એક દીપકથી હારે દીપક પ્રગટે, તેમ પૂજ્યશ્રીની દીક્ષા થયા બાદ છાણી ગામમાં ઘર-ઘરમાંથી કોઈ ને કોઈ ભાઈ કે બહેન દીક્ષા ગ્રહણ કરવા તત્પર બનતાં; અને જોતજોતામાં છાણી ગામમાંથી ૧૨૫ જેટલી દીક્ષાઓ થઈ. આચાર્ય શ્રી વિજયભદ્ર કરસૂરિજી મહારાજ આદિ શિષ્યપ્રશિષ્યાને વિદ્વાન લેખક, કુશળ કવિ, પ્રખર વક્તા, પરમ તપસ્વી, સમ અવધાનકાર બનાવવા સાથે શાસન અને સમુદાયની અવિચ્છિન્ન પર'પરાના રક્ષક અને સંવર્ધક બનાવ્યા; તેમ જ ૧૫૦ જેટલાં સાધુ-સાધ્વીઓના શિરછત્ર રૂપે ગચ્છાધિપતિના બિરુદને શેાભાવી રહ્યા. શાસનસેવાની ભાવના હૈયે ધરીને કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર આદિ પ્રાન્તામાં વિચર્યાં. મધુર વાણી, સરળ હૃદય અને પ્રવચનકૌશલના ગુણાને લીધે જ્યાં જ્યાં વિચર્યો ત્યાં ત્યાં ઘેાની એકતા કરી; જિનાલયેાના જીર્ણોદ્ધાર અને નવનિર્માણ કર્યાં; આંખિલ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy