SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ધ સાગરજી મહારાજ આદિની દીક્ષા થઈ છે. પૂજ્યશ્રીએ વર્ધમાન તપ આયંબિલની ૬૪મી આળી કરી છે. આજે પણ સતત તપ અને સ્વાધ્યાયમગ્ન રહેતા અને શાસનપ્રભાવનાનાં કાર્યોમાં પ્રવૃત્ત રહેતા એવા પૂ. આચાર્યદેવ શ્રી ભદ્રબાહુસાગરસૂરીશ્વરજી મહારાજ અનેાના પ્રેરણાસ્થાને શે।ભી રહ્યા છે. શ્રી શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ઘાયુ બન્ને એવી પ્રાના સાથે પૂજ્યશ્રીનાં ચરણામાં કેટેશ: વંદના ! જાહેર ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ યશસ્વી નામનાને વરેલા-અજોડ પ્રવચનકાર; પ્રભાવશાળી વ્યક્તિત્વ ધારણ કરનાર શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ " ' કાદવમાં રહીને જે કાદવથી અલિપ્ત રહે તેને પદ્મ ' કહેવાય છે, પાણીથી ભરપૂર હોય છતાં જે છલકાય નહી. તેને · સાગર ' કહે છે; અને જે પદ્મ પણ છે અને ‘ સાગર ’ પણ છે તેમને પદ્મસાગર કહેવાય છે. આ સંસારમાં કેટલાક એવા જીવે જન્મ લે છે, જેમની આત્મિક આભા અને સદ્ગુણ્ણાની સુવાસ સૌને સુગષિત અને આનંદિત કરી મૂકે છે ! આવા વિરલ મહાત્માઓનુ વ્યક્તિત્વ જનસામાન્યથી નિરાળું અને અદ્ભુત હોય છે. તેઓની વિશિષ્ટતાઓ વદનીય હોય છે. આવી વિભૂતિએ સ્વજીવનના ઉચ્ચ આદર્શી દ્વારા પ્રાણી માત્રના કલ્યાણની ભાવના પૂર્વક સ` આત્માઓના હિતનુ` મ`ગલ માદન કરે છે, પરમ શ્રદ્ધેય પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ એવા જ એક દેદીપ્યમાન સિતારા છે. પૂજ્યશ્રીના જન્મ તા. ૧૦-૯-૧૯૩૫ને શુભ દિને અજીમગંજ ( અંગાળ )ની પાવન વસુંધરા પર થયા. પિતાનું નામ શ્રી રામસ્વરૂપસિ ંહ અને માતાનું નામ ભવાનીદેવી હતું. પૂજ્યશ્રીનુ સંસારી નામ પ્રેમચંદ્ય રાખવામાં આવ્યું હતું. જન્મથી તેમનામાં નમ્રતા, વિવેક, વિનય, સરળતા, નિજાનંદની મસ્તી, ભાવનાશીલતા, મધુભાષીપણું, ગુણજ્ઞષ્ટિ એવા સદ્ગુણા વારસામાં મળ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ અજીમગજમાં જ થયું. ત્યાર પછી ધાર્મિક અને વ્યાવહારિક ઉચ્ચ શિક્ષણ કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણાથી મધ્યપ્રદેશના શિવપુરી શહેરમાં સ્થપાયેલા શ્રી વીરતત્ત્વ પ્રકાશન મંડળમાં રહીને પ્રાપ્ત કર્યું. ત્યાં તેમને વિભિન્ન ચિંતા અને સાધુસંન્યાસીઓના સાહિત્યનું વાચન-મનન કરવાના અવસર પ્રાપ્ત થયા. 9 Jain Education International 2010_04 વિદ્યાકાળ દરમિયાન તેમનું મન જીવનમાં કંઈક કરવા માટે વારવાર ઉત્સુક રહ્યા કરતું હતું. ઘણાં આંતરિક ચિંતન પછી તે એવા નિણ્ય પર પહાંચ્યા કે અતિ દુર્લભ માનવજીવન પામીને માત્ર ભૌતિકતાના રંગામાં જ લપેટાઈ રહેવુ, ભાગ અને આતિમાં રચ્યા-પચ્યા રહેવું એ તે પશુતુલ્ય જીવનની નિશાની છે. માનવીનેા અણુમેલ અવતાર સાધનાસુકૃત માટે છે. એ રીતે તેમણે પોતાના જીવનની દિશા સુનિશ્ચિત કરી દીધી. શ્રી વીતરાગ પ્રભુ પ્રેરિત સંચમમાર્ગ અપનાવીને રત્નત્રયીની આરાધના દ્વારા સ્વપરના કલ્યાણના માર્ગ ગ્રહણ કરવાના સકલ્પ કર્યો. અને એ સ'કલ્પની સિદ્ધિ રૂપે તેમને સ. ૨૦૧૧ના કારતક વદ ૩ના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy