SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ૪૨૧ કરોડ, “હીં શ્રી અહં નમઃ”ના નવ લાખ, “નમે એ સવ્વસાહૂણે ના પાંચ લાખ અને સરસ્વતી મંત્રના સવા લાખ જાપ કર્યા હતા. એવા એ મહાતપસ્વી મુનિવરે ૬૮ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરીને એક ચમત્કાર સર્યો હતો, પરંતુ ૭૬ વર્ષની ઉંમરે મહાન “ગુણરત્ન સંવત્સર તપીને પ્રારંભ કરીને બીજે ચમત્કાર સર્યો. સળગ ળ માસમાં એકે એક, બેએ એ, ત્રણ પારણે ત્રણ–એમ ઉપવાસ–પારણાં કરતાં કરતાં ૪૮૦ દિવસમાં ૪૦૭ ઉપવાસ અને ૭૩ પારણાંના આ મહાતપ માટે પૂજ્યશ્રી કેલ્હાપુર મુકામે સં. ૨૦૪૪ના ફાગણ વદ સાતમે આસનસ્થ થયા ત્યારે તેમનું વજન ૪૮ કિલે હતું. પૂજ્યશ્રીએ અવિચલ શ્રદ્ધા સાથે, સ્વસ્થતાથી મહા તપ આરંક્યું અને આગળ વધાયું. ૩૭૦ દિવસમાં ૩૦૬ ઉપવાસ અને ૬૪ પારણાં કર્યા. સં. ૨૦૪પના ફાગણ સુદ ૮ને મંગળવારે તા. ૧૪-૩-૮૯ના રાત્રે બે વાગે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં અત્યંત સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. આ તપશ્ચર્યાઓ દરમિયાન પૂજ્યશ્રીએ અનેક વાર પરમાત્માને સાક્ષાત્કાર કર્યો હતે. સ્વર્ગવાસ સમયે તેઓશ્રીનું વજન ૨૪ કિલોગ્રામ જ રહ્યું હતું. છતાં ચહેરા પર પરમ પ્રસન્નતા લહેરાતી. એવા એ ભીષ્મ તપસ્વી મુનિવર્ય લાખોને પ્રેરણાના પીયૂષ પાનાર પરમ પ્રભાવક બની રહે, એવી અભ્યર્થના સાથે કટિ કોટિ વંદન! (સંકલન : વિવિધ વર્તમાનપત્રો અને પત્રિકાઓમાંથી). સરાક જાતિના સમુદ્ધારક પૂજ્ય મુનિરાજ શ્રી મંગળવિજયજી મહારાજ શ્રાવક” શબ્દ ખૂબ જ જાણીતું છે, પણ “સરાક” શબ્દ બહુ ઓછા જાણે છે. આ સરાક” શબ્દને સર્વ પ્રથમ પરિચય પૂજ્ય ઉપાધ્યાયશ્રી મંગળવિજયજી મહારાજે કરાવ્યું. કાશીવાળા નામે વિશ્વવિખ્યાત પ. પૂ. શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના આ શિષ્ય પિતાના બિહાર પ્રદેશના બિહારમાં આગમગ્રંથોમાં ઉલ્લેખિત જૈન નગરીઓ અને શ્રાવક કુળની વ્યાપક શોધખોળ ચલાવી. એમાંથી તેઓશ્રીને જાણવા મળ્યું કે બિહાર અને બંગાળમાં “સરાક” જાતિની જે પ્રજા છે તે કુળધર્મથી “શ્રાવક' છે. “સરાક” એ શ્રાવક” શબ્દનું અપભ્રંશ રૂપ છે. સરાક જાતિના કુળદેવતા પારસદેવ છે. વિસ વીસ તીર્થકરના પાવન ચરણસ્પર્શથી પવિત્ર બનેલી બિહારની ભૂમિ પર લાખોની સંખ્યામાં સરાક પ્રજા વસે છે. આ પ્રદેશમાં મુનિવરના વિહાર ઓછા થતાં, આ પ્રજા વખત જતાં જેનધર્મનાં શિક્ષણ અને સંસ્કાર વસરાઈ ગયાં. મુનિશ્રી મંગળવિજયજી મહારાજે આ પરિસ્થિતિ પર પ્રકાશ પાડ્યો અને સરાક પ્રજાને મૂળભૂત સંસ્કારના નત્થાનને યજ્ઞ આરંભે. પૂજ્યશ્રીની આ અજોડ શાસનપ્રભાવના જૈનધર્મના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરી જાય છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy