SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ પ્રેમસૂરીશ્વરજી મહારાજા એક અન્ને, સયમમૂર્તિ હતા. તેઓશ્રીના સમુદાયમાં અનેક સંયમી, તપસ્વી, વિદ્વાન મુનિવયે થયા. તેઓશ્રીના પટ્ટાલ'કાર, વર્કીંમાન તપેનિધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે વમાન તપની ૧૦૮ એળીએ પૂર્ણ કરી છે. તેમના શિષ્યરત્ન પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધમ જિતસૂરિજીએ વમાન તપની ૮૯ એળીના તપ કર્યાં. તેમની નિશ્રામાં મુનિશ્રી સામતિલકવિજયજી મહારાજે આ ભીષ્મ તપની આરાધના કરી હતી. શાસનપ્રભાવક પૂજ્યશ્રીનું સંસારી નામ હીરાલાલ ડાહ્યાલાલ ગાંધી હતું. તેમના જન્મ તા. ૧૪-૧૨ -૧૯૧૨ના રોજ અમદાવાદમાં એક સુખી જૈન કુટુડંખમાં થયા હતા. કુટુંબના ઉચ્ચ સંસ્કારો અને પૂર્વભવના પુણ્યને લીધે હીરાલાલમાં ખળપણથી જ ધર્મભાવના પ્રમળ હતી. જનસેવા, રાષ્ટ્રભાવના અને ધસેવાની પ્રવૃત્તિએમાં નાની વયે જ રસ લેવા માંડયા હતા. સત્તર વર્ષની કિશારવયે સ્વાત ત્ર્યચળવળમાં ભાગ લઈ ચાર મહિનાની જેલ ભાગવી હતી. પહેલેથી ધસંસ્થાએમાં પણ સેવા કરવા જવાની વૃત્તિ રહેતી હતી. તેમાં અનેક આચાય દેવા-મુનિવર્યાના સંપર્ક માં આવવાનું બનતું ગયું. અને હીરાલાલભાઈનુ જીવન વૈરાગ્યના રંગે રંગાતું ગયું. ગૃહસ્થજીવનમાં પણ તપ-જપ-સેવા-સાધના શરૂ થઈ ગયાં. તી યાત્રાએમાં અત્યંત રસ હોવાથી ભારતભરમાં જૈન તીર્થોની અનેકવાર યાત્રા કરી. ઉપરાંત જુદા જુદા ગુરુદેવાની નિશ્રામાં ૧૦ છરી પાલિત સામાં યાત્રા કરી. શ્રી સિદ્ધગિરિમાં ૯૯ યાત્રા, છ વર્ષ સુધી દર પુનમે યાત્રા, અને સ. ૨૦૦૬ અને અને ૨૦૩૫માં ચાતુર્માસ કર્યાં. ત્રણ ઉપધાન તપ કર્યાં. એ વાર સ્વદ્રવ્યથી અષ્ટાત્તરીસ્નાત્રસહ અઠ્ઠાઇ મહાત્સવ કર્યાં. કદ...અગિરિ, નગીનાપોળ, ચામુખજીની ખડકી, આકોલાવીમાં પ્રભુજીની પ્રતિમાએ પધરાવી. આવાં અનેકવિધ સદ્કાર્યો દ્વારા વૈરાગ્યભાવના તીવ્ર બની. પરંતુ સંસારની જવાબદારીને લીધે દીક્ષા લઈ શકતા ન હતા. તેમ છતાં, તેમને વિશ્વાસ હતા કે તેમનું મૃત્યુ સાધુવેષમાં જ થશે. આખરે સ. ૨૦૩૬ના આષાઢ સુદ પાંચમે, શ્રીપાલનગર–મુ`બઈમાં ૬૮ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી. આસો વદ ૧૩ને દિવસે લાલબાગમાં વડી દીક્ષા થઈ અને હીરાભાઈ આચાય દેવ શ્રી ધર્મસૂરિજીના શિષ્યરત્ન મુનિશ્રી સેામતિલકવિજયજી અન્યા. તેઓશ્રીએ નવ વર્ષ સુધી જપ-તપની અદ્ભુત સાધના કરી એની યાદી પણ આશ્ચય પમાડે તેવી છે. તેમણે ૪ વરસીતપ, ૧ સિદ્ધિતપ, ૧ શ્રેણિતપ, ૧ સમવસરણ તપ, ૧ સિહાસન તપ, ૧ માસક્ષમણુ તપ, ૧ જિનકલ્યાણુ તપ, ૨૦ સ્થાનક તપ, ૧ લઘુ ધર્મ ચક્ર તપ, ૧ બૃહદ્ ધર્મચક્ર તપ, ૫૦૦ એકાંતરા આયંબિલ, વમાન તપની ૫૩ એળી, નવપદની એળીઓ, ઇન્દ્રિયજય તપ, કષાયજય તપ, યાગશુદ્ધિ તપ, મૌન એકાદશી તપ, જ્ઞાનપ`ચમી તપ, પાષ દશમી ત૫, ૧૪ વર્ષના તપ, અક્ષયનિધિ તપ, ૪૫ આગમ તપ, શત્રુંજય તપ, પ'ચર`ગી તપ, યુગપ્રધાન તપ, રત્નપાવડી તપ, ૨૪ ભગવાનનાં એકાસણાં, ૨ અઠ્ઠાઈ તપ, ૧૧ ઉપવાસ આદિ અનેક તપ કર્યાં. એવી જ રીતે, નવકારમ’ત્રનાં ઢાઢ કરોડ, ‘નમેા અરિહંતાણુ ' પદના પચાસ લાખ, · સિદ્ધાસિદ્ધ' મમ દિસંતુ ’ના એક Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy