SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ શ્રમણભગવંતો આજે તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં પૂ. આ. ભ. શ્રીમદ્ વિયમિત્રાનંદ સૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયજગચંદ્રસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયમહાબલસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મ. સા., પૂ. ગણિવર્ય શ્રી વિદ્યાનંદ વિજયજી મ. આદિ ૫૦ મહાત્માઓ મોક્ષમાર્ગની આરાધના કરી રહ્યા છે; ત–શાસનની રક્ષામાં પુરુષાર્થ ફેરવી રહ્યા છે, જેનશાસનની પ્રભાવના વિસ્તારી રહ્યા છે. જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક : પ્રાચીન જૈનગ્રંથના સંશોધક અને સંપાદક : સમર્થ વિદ્વાન પૂ. મુનિવર શ્રી ચતુરવિજયજી મહારાજ જૈન જ્ઞાનભંડારના ઉદ્ધારક, પ્રાચીન જૈન ગ્રંથના મહાન સંપાદક અને સંશોધક તેમ જ સમર્થ વિદ્વાન શ્રી ચતુરવિજયજી મહારાજને જન્મ વડોદરા પાસે આવેલા છાણી ગામમાં વીશા પોરવાડ જ્ઞાતીય શ્રી મલકચંદભાઈની ભાર્યા જમનાબાઈની કુક્ષીએ સં. ૧૯૨૬ના ચૈત્ર સુદ ૧ના દિવસે થયે હતું. તેમનું જન્મનામ ચુનીલાલ હતું. તેમને ત્રણ ભાઈ અને ત્રણ બહેન હતા. તેમનું કુટુંબ ઘણું ખાનદાન હતું. ગૃહસ્થપણાને તેમને અભ્યાસ તે જમાના પ્રમાણે સાત ચોપડીને હતો. વ્યાપારાદિ હિસાબકિતાબમાં તેઓશ્રી ઇંશિયાર હતા. છાણી ગામ સ્વાભાવિક રીતે જ ધાર્મિક સંસ્કારવાળું હોઈ તેમનામાં પહેલેથી ધાર્મિક સંસ્કાર હતા જ. તેમણે પ્રતિક્રમણુસૂત્રાદિને યેચ અભ્યાસ પ્રથમથી જ કર્યો હતે. છાણીની જેનજનતા અભિભાવિક હોઈ ત્યાં સાધુ-સાધ્વીઓનું આગમન થતું રહેતું અને તેઓના ઉપદેશથી લોકેના ધાર્મિક સંસ્કાર ષિાતા રહેતા. એ રીતે ભાઈ ચુનીલાલમાં પણ ધર્મના સંસ્કારો દઢ થયા. પરિણામે, પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજીને સંયોગ થતાં, તેઓશ્રીની પ્રભાવસંપન્ન વાણીથી વૈરાગ્યવંત થઈને, તેમણે ડઈ મુકામે સં. ૧૯૪૬ના જેઠ વદ ૧૦ને દિવસે, પૂજ્યશ્રીના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી, મુનિશ્રી ચતુરવિજયજી તરીકે ઘોષિત થયા. દીક્ષા ગ્રહણ કરીને તેઓશ્રીનો વિહાર ગુરુદેવશ્રી પ્રવર્તકજી મહારાજ સાથે પંજાબ તરફ થતો રહ્યો. અને તે સાથે અભ્યાસ પણ આગળ વધતો રહ્યો. આરંભમાં સાધુયેગ્ય આવશ્યક ક્રિયાસૂત્ર અને જીવવિચાર આદિ પ્રકરણને અભ્યાસ કર્યો તથા વ્યાકરણમાં સારસ્વત પૂર્વાધ અને ચંદ્રિકા ઉત્તરાર્ધને અભ્યાસ કર્યો. તે સાથે કાવ્ય, વાગભટાલંકાર, શ્રતબોધ આદિને પણ અભ્યાસ કરી લીધું. ત્યાર બાદ પૂર્વાચાકૃત સંખ્યાબંધ શાસ્ત્રીય પ્રકરણે, કે જે જૈનાગમના પ્રવેશદ્વાર સમાન છે તેને અભ્યાસ કર્યો. વળી, તર્કસંગ્રહ તથા મુક્તાવલીનું પણ અધ્યયન કર્યું. પછી જ્યાં જ્યાં અવસર મળે ત્યાં ત્યાં વિદ્વાન મુનિવરો પાસે અને પિતાની મેળે પણ શાનું અધ્યયન કરતા રહ્યા. તેઓશ્રી શાની પ્રત્યેક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy