SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૪૩ ભાવના, ડષક, અષ્ટક પ્રકરણ, ધર્મબિંદુ વગેરે શાસ્ત્રના સરોવરમાં તેઓશ્રી સતત ઝીલતા હતા. તેથી જ તેઓશ્રીમાં ત્યાગ–જમ્બર ત્યાગ, ભવૈરાગ્ય, પ્રવચનરાગ, સુવિશુદ્ધ ચારિત્ર, અદ્ભુત ગુરુસેવા, બહુમાન વગેરે મૂર્તિમંત દેખાતાં હતાં. આ બધું તેઓશ્રીના સાધુ તથા શ્રાવકે ઉપર લખેલા હિતશિક્ષાના સેંકડે પત્રમાં (પદ્મપ્રેરણા, પદ્મપરિમલ પુસ્તકમાં) જોવા મળે છે અને તે કાળે થતાં તેઓશ્રીનાં પ્રવચનમાં પણ જોવા મળતું હતું. સહેજ પણ અતિશયોક્તિ વિનાના સત્ય અને પ્રેરણાદાયી હકીકતની રજૂઆત કરતું તેઓશ્રીના જીવનચરિત્રનું પદ્મસુવાસ પુસ્તક આજે પણ કેટલાંક ઘરોમાં રામાયણની જેમ વંચાય છે અને મોક્ષાર્થી જીવોને મોક્ષમાર્ગની આરાધનામાં સચોટ માર્ગદર્શન કરાવે છે. | સ્વર સમુદાયના સાધુઓને અધ્યયન કરાવવાની અદ્દભુત કળા તેઓમાં હતી. સમુદાયના બાળમુનિઓને ભણાવવાની તથા આસેવનશિક્ષાની તેઓ માસ્ટરી ધરાવતા હતા. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના વિશાળ સમુદાયના સંખ્યાબંધ મુનિઓને ગુરુવિનય, ગુબહુમાન, ગુરુસમર્પણ, જીવરક્ષા–જયણા, નિર્દોષ ગોચરી, નિત્ય એકાસણા, સંયમ, ત્યાગ, ઈન્દ્રિયનિગ્રહ, સાધુ સહાય, અંતર્મુખતા વગેરે બાબતે ઉપર આગમમાં રહેલી સચોટ વાતો કરી પ્રેરણું પ્રોત્સાહન આપતા. ગુરુકુલવાસમાં જ રહેવાના તેઓ આગ્રહી હતા. તેથી ર૭ વર્ષના દીક્ષા પર્યાયમાં ફક્ત ગુરુ આજ્ઞાપાલન માટે જ પાંચ માસાં જુદાં ક્યાં હતાં! બાકીનાં વર્ષોમાં ગુરુકુલવાસ સેવ્યું હતું. સાધુ જીવનમાં નિત્ય એકાસણું, મોટે ભાગે ૫-૭ દ્રવ્યનું જ સેવન, વર્ધમાન તપની ઓળીઓ તથા કેન્સર જેવી જીવલેણ બીમારીમાં પણ માસક્ષમણ, ૨૧ ઉપવાસ–૧૬ ઉપવાસ જેવી મોટી મોટી તપશ્ચર્યાએ તેઓશ્રીએ કરી હતી. દીક્ષાના પ્રારંભકાળથી જ ફળ-ફૂંટ તથા મેવા વગેરેને ત્યાગ, ૪૫ આગમન વાંચન માટે સં. ૨૦૦૩થી મિષ્ટાન્નને ત્યાગ, બેલતાં મુહપત્તિને ઉપયોગ ન રહે ત્યાં સુધી હાને ત્યાગ, પ્રસિદ્ધિને કઈ મેહ નહીં...કપડાં, કામળી, આસન, ઉપકરણાદિમાં સાદગી, કેસર વગેરેની અનેક વખતની માંદગીમાં અજબગજબની સહનશીલતા સહુને મુગ્ધ કરી જતી હતી. મોટી સંખ્યામાં સાધુઓને તેઓશ્રી પ્રત્યે ખૂબ અભાવ હતો. સંખ્યાબંધ સાધુઓ સેવામાં દેડાદોડ કરતા! સક્ઝાય સ્તવનાદિ સંભળાવી આરાધનામાં ઝીલાવતા! કેન્સરની બીમારીમાં છેલ્લાં કેટલાંય વર્ષો સુધી અનંતપરમેષ્ટિનો પટ રાખી તેઓ કલાક સુધી ધ્યાન કરતા! સં. ૨૦૧૭ની સાલમાં પિંડવાડાના ચાતુર્માસમાં શ્રાવણ વદ-૧૧ના દિવસે બપોરના બે વાગે પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયયદેવસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયત્રિલેચનસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય આદિ લગભગ પંચાવન મુનિઓની, છેલ્લા કેટલાય દિવસોથી અંતિમ નિર્ધામણા ઝીલતાં ઝીલતાં સમાધિપૂર્ણ સ્વર્ગવાસ પામ્યા... Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy