SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૩૭૯ જતું કે, મહારાજ આ કેટલું બધું કડક સંભળાવી રહ્યા છે ! પરંતુ તેઓશ્રીનાં વચનની ધારી અસર થતી. પૂ. આત્મારામજી મહારાજની પાટ પૂજ્યશ્રીએ વફાદારી અને વીરતાથી દીપાવી. જીવનમાં એવા પ્રસંગો આવ્યા કે જ્યારે કડવા થઈને ય સત્યની રક્ષા કરવાનો પ્રસંગ ઊભે થયે ત્યારે ઘરના કે પરના ભેદ રાખ્યા વિના તેઓશ્રીએ જે શાસ્ત્રચુસ્તતા દાખવી તેને ઇતિહાસ ખૂબ ગૌરવભર્યો છે. ખુમારી, સત્યપ્રીતિ અને પવિત્રતા તે તેઓશ્રીની જ. જીવનનાં છેલ્લાં વર્ષોમાં શહેરમાં રહેવાનું થતાં, ત્યાં થઈ રહેલે મર્યાદાને સાર્વત્રિક લોપ જઈને તેઓશ્રી બોલી ઊઠ્યા કે, “શહેરી લેગ ચંદન કી ચિતા સે જલાયેંગે, તો લકડી સે જલાનેવાલે ગામડે મૌજૂદ છે. મૃત્યુ બિગાડના નહીં હૈ” અને પૂજ્યશ્રી શહેર છોડીને, ગામડામાં જઈને સાધનામાં મગ્ન બન્યા. અંતે એક મોટા શહેરની પાસે આવેલા ગામડામાં જ તેમનું જીવન સમાધિપૂર્વક પૂર્ણ થયું. તેઓશ્રીએ શાસનની રક્ષા કાજે પિતાની જાતને વિચાર કર્યા વિના જે છાવરી દાખવી તે વિરલ કહી શકાય તેવી હતી. પૂજ્યશ્રીની ટૂંકી વિગતે નીચે પ્રમાણે છે : જન્મ : સં. ૧૯૦૮ સરસા (પંજાબ), યતિ દીક્ષા : સં. ૧૯૨૦ (પંજાબ), સ્થાનકવાસી દીક્ષા : સં. ૧૯૨૯ જીરા (પંજાબ), સંવેગી દીક્ષા : સં. ૧૯૩૨ અમદાવાદ, આચાર્યપદ : સં. ૧૯૫૭ પાટણ અને સ્વર્ગવાસ : ૧૯૮૩ જલાલપુર (નવસારી). પોલીસ પટેલમાંથી પલટાયેલાં, પ્રખર વ્યક્તિતવના ધારક એવા શાસનના સમર્થ સેનાની : સકલાગમ રહસ્યવેદી : જ્યોતિષમાર્તડ મહાપુરુષ પૂ. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પૂ. આત્મારામજી મહારાજના સમુદાયે એકત્રિત થઈને શ્રી કમલવિયજી મહારાજને આચાર્યપદારૂદ કરવાનો નિર્ણય લીધે અને પાટણમાં એ પ્રસંગ ઉજવાય ત્યારે શ્રી વીરવિજ્યજી મહારાજે સૌની ઇચ્છાને માન આપીને ઉપાધ્યાયપદને સ્વીકાર કર્યો હતો. પૂ. આચાર્યશ્રી કમલસૂરીશ્વરજી મહારાજની પાટને ભાવતા પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ સમર્થ મુનિવર્યા હતા. પરંતુ સં. ૧૯૭૫માં તેઓશ્રી સ્વર્ગવાસી બનતાં આ પાટ-પરંપરા પર શ્રી કમલસૂરીશ્વરજી મહારાજે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ અને શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજને સ્થાપિત કર્યા. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા બે અણમોલ રત્નના ઘડવૈયા તરીકે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ જૈનશાસનને જે પ્રદાન કર્યું છે તેનું તે મૂલ જ થાય તેમ નથી ! ઝીંઝુવાડાના વતની આ મહાપુરુષે ૨૨ વર્ષની વયે પૂ. ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજના શિષ્ય બનીને, સંયમ સ્વીકારીને, જ્ઞાન-ધ્યાન Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy