SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ દીક્ષા પછીના પ્રથમ વર્ષે જ શ્રી રામવિજયજી મહારાજને તેમણે વ્યાખ્યાન કરવાના આદેશ આપ્યા, અને વ્યાખ્યાન સાંભળીને પીઠ થાબડતાં કહ્યું કે, ‘તુ અચ્છા વ્યાખ્યાતા હૈગા. ’ આ ભવિષ્યવાણી એટલી બધી સચાટ પૂરવાર થઇ કે એમનાં મૂર્તિમંત ઉદાહરણ રૂપે આચાય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ચારિત્ર સાક્ષીભૂત છે. આવા ચમત્કારે પછી તાબડતાબ ત્યાંથી વિહાર કરી જતા ! જન્મ : સ. ૧૯૦૮ : પડવા ગામ ( ભાવનગર ). દીક્ષા : સ. ૧૯૩૫ અંબાલા ( પ ંજાબ ), ઉપાધ્યાયપદ : સ. ૧૯૫૭ ( પાટણ ). સ્વ`વાસ : સ`. ૧૯૭૫ ( ખંભાત ). ( સંકલન : - શ્રી દાન–પ્રેમ વશવાટિકા 'માંથી સાભાર. ) જે સિદ્ધાંત અને સમાચારીની રક્ષા માટે અને તેથી જ શ્રી જૈનશાસનમાં જે પ્રસિદ્ધિ પામ્યા એવા શાસનપ્રભાવક જુસાપૂર્વીક ઝઝુમ્યા ‘સત્ક્રમ સૌંરક્ષક ’ તરીકે પૂ. આચાર્ય દેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ વમાનમાં વિચરતા મેાટા ભાગના સાધુસમુદાયના એક પ્રભાવક નાયક તરીકે પૂ. આત્મારામજી મહારાજનુ નામ અવિસ્મરણીય રહે તેવું છે. તેઓશ્રીની પાટ પર પણ એવા જ પ્રભાવશાળી પુરુષ થઈ ગયા. તેમનું નામ હતું. સદ્ઘ સંરક્ષક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ. પૂ. મુનિવર શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્ય, પૂ. આત્મા રામજી મહારાજના પ્રભાવક પટ્ટધર અને શ્રી સુધર્માંસ્વામીજીની ૭૪મી પાને પોતાના પ્રચંડ ચારિત્રપ્રભાવથી અને નીડર પડકારથી શેાભાવી જનારા આ મહાપુરુષ અનેક રીતે પૂ. આત્મારામજી મહારાજના ઉત્તરાધિકારી હતા. કોઈની યે શેહમાં નહિ તણાવાની, સત્યના નિરુપણમાં સિંહ જેવા નાદ જગાવવાની અને નિઃસ્પૃહતાની પરાકાષ્ટાની કળા તેમણે પૂ. આત્મારામજી મહારાજ પાસેથી મેળવી હતી. બાર વર્ષની ઉંમરે તેમણે યતિ–દીક્ષા મેળવી હતી. પણ તપ-ત્યાગની સાધના કરવા નીકળનારને એ પાલવે ખરી ? તેથી તે સ્થાનકવાસી દીક્ષિત બન્યા. આ સંપ્રદાયમાં ત્યાગ હતા, પણ સત્ય નહતું. તેથી અંતે પૂ. આત્મારામજી મહારાજ સાથે તેમણે પણ સ ંપ્રદાયત્યાગ કર્યો અને સંવેગી દીક્ષા સ્વીકારીને મુનિશ્રી કમલવિજયજી બન્યા. Jain Education International 2010_04 પૂ. કમવિજયજી મહારાજના લલાટે બ્રહ્મનું તેજ ઝગારા મારતું હતું. તેઓશ્રી માટે ભાગે હિન્દીમાં જ બેાલતા. અને ખેાલતા થાડું, પણ નાભિના ઊંડાણમાંથી શબ્દો એવા નીકળતા કે મુમુક્ષુઓ માટે તે એ મેલ મા દર્શોક મશાલ બની જતા. ભલભલા રાજા મહારાજાને શરમાવે એવા રૂપના ધારક આ મહાપુરુષ હિંસાના હિમાયતી રાજવીએ સમક્ષ અહિંસાના એવા સચાટ અને સજ્જડ ઉપદેશ આપતા કે સહુવતી આને ય ત્યારે એમ થઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy