SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત-૧ આ માન્યતા પ્રમાણે ભાવનાથી શરૂ થયેલી સાધના વૃત્તિક્ષય સુધીમાં પરિપૂર્ણ થાય છે અને તે પછી આત્મા સર્વકર્મનિમુક્ત બની અજરામર એક્ષપદને પ્રાપ્ત કરી નિરુપમનિરવધિ અક્ષય આનંદને અનંતકાળ સુધી ભક્તા બને છે. આમ ચૌદ ગુણસ્થાનકની સ્થિતિને જ આડ તથા પાંચ પ્રકારમાં વિભક્ત કરવામાં આવી છે એટલે નામથી તથા સંખ્યાથી ફેર હોવા છતાં એના વાસ્તવિક સ્વરૂપમાં કશે જ ફેર પડતો નથી. જૈન સંસ્કૃતિની શ્રેષ્ઠતા : ઉપર મુજબ ત્રણે સંસ્કૃતિના કરેલા વર્ણન ઉપરથી વાચકને એટલી તે પ્રતીતિ થઈ જ જાય છે કે ત્રણે સંસ્કૃતિના સ્વરૂપમાં, વિકસાત્મક સ્થિતિને વર્ણવતા તે તે વિભાગના નિરૂપણમાં તેમ જ તેનાં નામે આદિમાં ભેદ હેવા છતાં તે ત્રણેનું લક્ષ્યાંક અનાદિકાલીન કર્મ પાતંત્ર્યને દૂર કરી આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત બની આત્માના સ્વાભાવિક નિર્મળ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું જ છે. એમ હોવા છતાં જેન સંસ્કૃતિએ ચાદુવાદ શૈલી દ્વારા આ બધા વિષયનું જેટલી સચોટતા તથા વિશદતાથી નિરૂપણ કર્યું છે તેવું અન્યત્ર જોવા મળતું નથી. એટલે જ એની શ્રેષ્ઠતા કેઈ પણ વિચારક બેશક કબૂલ કર્યા સિવાય રહેતું નથી. જૈન સંસ્કૃતિમાં શ્રમણની પ્રધાનતા : આ સર્વ જગજજીવ-હિતકર સંસ્કૃતિનાં મૂળ પ્રતિપાદક કલેકપ્રકાશક કેવળજ્ઞાન-વિભૂષિત તીર્થંકર પરમાત્માએ જ હોવા છતાં યે સંસ્કૃતિના પ્રવાહ ઝીલવાનું, સાચવવાનું, વિસ્તારવાનું અને સમયે સમયે એને પરિષ્કૃત કરવાનું કાર્ય આચાર્યભગવંતે આદિ શ્રમણ એ જ કર્યું છે. તેઓના વગર આ સંસ્કૃતિ આ સ્વરૂપે આપણને પ્રાપ્ત થવી મુશ્કેલ હતી. ( વિશાળ વિશ્વમાં જૈનધર્મનું સ્થાન : વિશાળ આ વિશ્વમાં ધર્મો, મતે, સંપ્રદાયે કે દર્શનને કઈ પાર જ નથી. ભિન્ન ભિન્ન પ્રકારના સિદ્ધાંત ઉપર અવલંબેલા ભિન્ન ભિન્ન પ્રકારના આચારવિચાર અને માન્યતાઓ ધરાવતા એ ધર્મો તરફ નજર કરવામાં કે એની ગણતરી કરવામાં આવે તે એનો અંદાજ નીકળવો ખરેખર મુશ્કેલ છે. કેટલાયે એવા પણ ધર્મો કે મને છે કે એની વિશેષ વિગતની વાત તે બાજુએ રહી, પણ એનાં નામ સુધ્ધાં પણ આપણે જાણતા નથી. એ બધામાં જૈનધર્મ એક આગવું અને અગત્યનું સ્થાન ધરાવે છે. આ ધર્મનું સ્વરૂપ, એનું તત્વજ્ઞાન, એના વિચાર, એના આચાર અને એના અપ્રતિમ સિદ્ધાંતે કેઈપણ બુદ્ધિશાળીને અપીલ કર્યા વગર રહી શકે તેમ નથી. આ ધર્મ પ્રવાહની દષ્ટિએ તે અનાદિ જ છે. આના માટે ધ્રુવ-નિત્ય-શાશ્વત વગેરે શબ્દોને પ્રયોગ કરવામાં આવ્યું છે. તેમ છતાં, આ અવસર્પિણીકાળમાં નાભિનરેશ્વરનંદન પરમાત્મા રાષભદેવથી આ ધર્મને પ્રાદુર્ભાવ થયાનું માનવામાં આવે છે અને વર્તમાનકાળમાં જે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy