SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૩૩પ રચેલ છે. તે નવ સર્ગમાં વિભક્ત છે. તેમાં પ્રતિ ક્ષેક રાષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર એ પાંચ તીર્થકરે તથા રામચંદ્ર કે કૃષ્ણ વાસુદેવ – એમ સાત મહાચરિત્રોને લાગુ પડે છે. પંચતીર્થ સ્તુતિ પિતાના શિષ્ય મેરુવિજય માટે બનાવી છે. જેમાં એક એકના પાંચ અર્થ થાય છે અને તે વૃષભનાથ, શાંતિનાથ, સંભવનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથને લાગુ પડે છે. આ સાથે વૃત્તિ પણ આપી છે. આ ઉપરાંત, તેમણે ભક્તામર સ્તોત્ર પર ટીકા રચી છે. પંચાખ્યાન (પંચતંત્ર) લોકસાહિત્ય પિતાની ભાષામાં રચ્યું છે. લઘુત્રિષષ્ટિચરિત્ર ૫૦૦૦ લોકપ્રમાણે છે, તે હેમાચાર્યના વિસ્તૃત ચરિત્રગ્રંથમાંથી સંક્ષેપમાં ૬૩ પુણ્યશ્લેક પુરુષના ટૂંકાં ચરિત્ર રૂપે છે. એક પંચમી. કથા પણ રચી છે. ચંદ્રપ્રભા–હૈમી કૌમુદી નામનું વ્યાકરણ સં. ૧૭૫૭માં આગ્રામાં રચી પિતે શાબ્દિક પણ હતા તે પૂરવાર કર્યું છે. વિજયદેવમાહાસ્ય પર વિવરણ લખ્યું છે, તેમાં કેટલાક પ્રયોગને પરિફેટ કર્યો છે. ઉદયદીપિકા નામને તિષશાસ્ત્રને ગ્રંથ સં. ૧૭૫૨માં રચે, જે મદનસિંહ શ્રાવકના પ્રશ્નોત્તર રૂપે છે. તેમાં પ્રશ્ન કાઢવાની વિધિ પણ છે. વર્ષપ્રબોધ અથવા મેઘમહદય નામના ગ્રંથમાં ૧૩ અધિકારમાં ને ૩૫૦૦ શ્લેકમાં ઉત્પાતપ્રકરણ, કપૂરચક, પદ્મની ચક્ર, મંડલપ્રકરણ, સૂર્ય અને ચંદ્રનાં ગ્રહણનું ફળ, પ્રત્યેક માસમાં વાયુને વિચાર, વરસાદ લાવવાના અને બંધ કરવાના મંત્રયંત્ર, સાંઠ સંવત્સરેનાં ફળ, ગ્રહોની રાશિઓ પર ઉદય-અસ્ત યા વકીનું ફળ, અયન–માસ-પક્ષ અને દિનનો વિચાર, સંકાંતિફલ, વર્ષના રાજા-મંત્રી આદિને. વરસાદના ગર્ભને, વિશ્વાને, આય ને વ્યયને વિચાર. સર્વતોભદ્ર ચક્ર અને વરસાદ જાણવાના શુકન આદિ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તદુઉપરાંત, રમલશાસ્ત્ર, સિદ્ધજ્ઞાન અને તે પર વૃત્તિ, વીસાયંત્રવિધિ, બ્રહ્મબોધ, , માતૃકાપ્રસાદ નામને અધ્યાત્મ વિષયને ગ્રંથ, જે સં. ૧૭૪૭માં ધર્મનગરમાં ર. તત્ત્વગીતાઅહંદૂગીતા ૩૬ અધ્યાયમાં રચી છે, જેમાં જેનદર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે. યુક્તિપ્રબોધ નાટક સાત અંકમાં, જેમાં દિગંબની વેતાંબર સાથે ૮૪ બેલની ભિન્નતા છે તે બતાવી વેતાંબરોની માન્યતાનું મંડન કરેલ છે. ધર્મમંજૂષા જેમાં ટુંકેના મતનું ખંડન કર્યું છે. વિજયદેવનિર્વાણરાસ, પાર્શ્વનાથનામમાલા સં. ૧૭૨૧માં દીવમાં રચવામાં આવેલ. આમ, ઉપરોક્ત સર્વ રચનાઓ દ્વારા શ્રી મેઘવિજયજી ગણિની વિદ્વત્તાને અને સર્જકતાને પરિચય થાય છે. (“જૈન સાહિત્યને ઇતિહાસ માંથી સંકલિત.) (સંકલનકર્તા : કરમશી ખેતશી ના.) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy