SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહે પાધ્યાય, મહાન જ્ગ્યાતિર ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ વિક્રમની સત્તરમી સદીમાં જન્મેલા, જૈન ધર્મના પરમ પ્રભાવક, જૈનદર્શનના મહાન દાનિક, જૈન તના મહાન તાકક, ષટ્ટુનવેત્તા અને ગુજરાતના મહાન યાતિર ઉપાધ્યાયશ્રી યશેવિજયજી મહારાજ એક મહાન જૈન મુનિવર હતા. ચેાગ્ય સમયે અમદાવાદના જૈન શ્રીસંઘે સમર્પિત કરેલા ઉપાધ્યાયપદના બિરૂદથી તેએ ‘ ઉપાધ્યાયજી' બન્યા હતા. સામાન્ય રીતે વ્યક્તિ • વિશેષ ' નામથી જ ઓળખાય છે; પણ યશેાવિજયજી મહારાજ માટે નવાઈની વાત એ હતી કે જૈનસ'ઘમાં તેઓશ્રી વિશેષ્યથી નહિ, પણ ‘ વિશેષણ ’થી વિશેષ એળખાતા હતા. • ઉપાધ્યાયજી આમ કહે છે”, ‘ આ તેા ઉપાધ્યાયજીનું વચન છે. ' વગેરે સામાન્ય વાતચીતમાં પણ થતાં આવાં વિધાનાથી ‘ ઉપાધ્યાયજી ’થી શ્રી યજ્ઞેોવિજયજી એમ સમજાતું થઈ રહ્યું. વિશેષ્ય વિશેષણના પર્યાય બની ગયુ.. આવી ઘટના વિરલ વ્યક્તિએ માટે બનતી હેાય છે. ઉપાધ્યાયજી માટે પણ આ બાબત ખરેખર ગૌરવાસ્પદ હતી. શાસનપ્રભાવક વળી, તેઓશ્રીનાં વચને માટે પણ બીજી એક વિરલ અને વિશિષ્ટ બાબત છે. એમની વાણી–વચન–વિચારે ‘ ટંકશાળી ' એવાં વિશેષણથી ઓળખાય છે. વળી ઉપાધ્યાયજીની શાખ એટલે ‘ આગમશાખ ’ અર્થાત્ શાસ્ત્રવચન એવી પણ પ્રસિદ્ધિ છે. વર્તમાનના એક વિદ્વાન આચાયે તેમને વમાનના મહાવીર ’તરીકે પણ ઓળખાવ્યા છે. આજે પણ શ્રીસંઘમાં કોઈ પણ બાબતમાં વિવાદ જન્મે ત્યારે ઉપાધ્યાયજી વિરચિત શાસ્ત્ર કે ટીકાની · શહાદત ’ને અંતિમ પ્રમાણ માનવામાં આવે છે. ઉપાધ્યાયજીના ચુકાદા એટલે જાણે સજ્ઞના ચુકાદા. એટલે જ એમનાં સમકાલીન મુનિવરોએ તેઓશ્રીને શ્રુતકેવલી ' વિશેષણથી નવાજ્યા છે. એટલે કે ‘શાસ્ત્રાના સન ’ અર્થાત્ શ્રુતના બળે કેવલી. એના અથ એ કે સર્વાં જેવું પદા'નું સ્વરૂપ વર્ણવી શકનારા. આવા ઉપાધ્યાયજી ભગવંતે બાલ્યવયમાં ( આઠેક વર્ષની આસપાસ ) દીક્ષિત બનીને, વિદ્યા પ્રાપ્ત કરવા માટે—ગુજરાતમાં ઉચ્ચ કેટિના વિદ્વાનોને અભાવે કે ગમે તે કારણે—ગુજરાત છેડીને દૂર-સુદૂર પાતાના ગુરુદેવ સાથે કાશીના વિદ્યાધામમાં જવું પડ્યું. અને ત્યાં તેમણે છએ દર્શીનના તેમજ વિદ્યાની વિવિધ શાખા-પ્રશાખાઓના આમૂલ-ફૂલ અભ્યાસ કર્યાં; અને તેના પર તેમણે અદ્ભુત પ્રભુત્વ મેળવ્યુ' અને વિદ્વાનામાં ષડ્કશનવેત્તા ' તરીકે પ`કાયા. કાશીની રાજસભામાં એક મહાસમર્થ દિગ્ગજ વિદ્વાન – જે અજૈન હતા તેની જોડે, અનેક વિદ્વાના અને અધિકારી આદિ સમક્ષ, શાસ્રા કરી વિજયની વરમાળા પહેરી હતી. તેઓશ્રીના અગાધ પાંડિત્યથી મુગ્ધ થઈને વિદ્વાનાએ તેમને ન્યાયવિશારદ' બિરૂદથી અલંકૃત કર્યાં હતા. આમ, જૈનસ'સ્કૃતિના એક જ્યોતિધરે તે જૈનપ્રજાના એક સપૂતે જૈનધર્મના અને ગુજરાતની પુણ્યભૂમિના જય જયકાર વર્તાવ્યેા હતા. વિવિધ વાદ્ગમયના પારંગત હોવાથી આજની દૃષ્ટિએ કહીએ તો તેઓશ્રીને બે-ચાર નહિ પણ સ`ખ્યાબંધ વિષયેાના પીએચ. ડી. કહીએ તે તે યથા જ છે. ( Jain Education International 2010_04 6 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy