SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૩૩૧ લઘુપ્રક્રિયાની રચના. વિ. સં. ૧૭૧૩માં વિજયપ્રભસૂરિ પર્યત પટ્ટાવલી સઝાય. વિ. સં. ૧૭૧૬માં સુરતમાં ધર્મના વિજ્ઞપ્તિરૂપ ઉપમિતિભવ–પ્રપંચ સ્તવન. વિ. સં. ૧૭૨૩માં ગંધારમાં શાંતસુધારસ ભાવના પ્રબંધ (સં. ગેય દેશીઓમાં, મધુર સંગીતમાં ઉતારેલ ઉચ્ચ જેન સેળ ભાવનાઓ). વિ. સં. ૧૭૨૬માં મહામહોપાધ્યાય યશોવિજયે રચેલ ધર્મપરીક્ષા ગ્રંથનું સંશોધન. વિ. સં. ૧૭૨૮માં રાંદેરમાં રાજુલ–નેમિ-સંદેશ ( બારમાસ). વિ. સં. ૧૭૨માં રાંદેરમાં વિજયાદશમીએ પુણ્યપ્રકાશ ( આરાધના) સ્તવન. વિ. સં. ૧૭૩૧માં ગંધારમાં જિનસહસ્ત્રનામસ્તોત્ર. વિ. સં. ૧૭૩૨માં પંચકારણ (પંચસમવાય) સ્તવન સ્યાદ્વાદ સૂચક મહાવીર સ્તવન. વિ. સં. ૧૭૩૬માં વિયરત્નસૂરિના અધિકારમાં ગુણસ્થાપક સ્વરૂપ (વીર) સ્તવન. વિ. સં. ૧૭૩૭માં વિજયાદશમીએ રતલામમાં હંમપ્રકાશ (હેમપ્રક્રિયા વિવરણ) વિસ્તૃત વ્યાકરણગ્રંથ. વિ. સં. ૧૭૩૮માં રાંદેરમાં ભગવતીસૂત્ર-સઝાય. વિ. સં. ૧૭૩૮માં રાંદેરમાં શ્રીપાલ રાસ. ( ૭૫૦ ગાથાપર્યત અપૂર્ણ મૂકી કાળધર્મ પામતા બાકીને ભાગ તેમના વચનથી સુપ્રસિદ્ધ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પૂર્ણ કર્યોઆ ઉપરાંત, તેમણે આદિનાથ-વિનતિ, ઉપધાનસ્તવન, ષડાવશ્યકતવન, પચકખાણની સક્ઝાય, આયંબીલની સક્ઝાય, વિનયવિલાસ (સુંદર ૩૭ પદને સંગ્રહ), વસી, વીસી (૨૪ જિનનાં ૨૪ સ્તવન), અધ્યાત્મગીતા, શાશ્વતજિનભાષ, અહંન્નમસ્કારસ્તોત્ર, હૈમલઘુપ્રક્રિયા પર પજ્ઞ ટીકા ૩૪૦૦૦ કલેકપ્રમાણે, ભાવવિજયગણિ કૃત વિંશજજ૫ સંક્ષેપ તરીકે ષત્રિશતજલ્પ સંસ્કૃત ગદ્યમાં રચેલ છે. ધનતેરશે પ્રભાસપાટણથી ગુજરાતની રાજધાની પાટણમાં માસું રહેલા પૂજ્ય વિજયદેવસૂરિ તરફ પૂર્વાર્ધ પ્રાકૃત અને ઉત્તરાર્ધ સંસ્કૃત પદ્યોવાળું છટાદાર વિશિષ્ટ નિવેદનવાળું પર્યુષણ પર્વ-વિજ્ઞપ્તિપત્ર રચી મોકલ્યું હતું. - તેઓશ્રી વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં વિદ્વત્તાભરી રચનાઓથી વિખ્યાત થયેલા. આ બહુશ્રુત વિશ્વાસભાજન ઉપાધ્યાય એક પ્રતિભાશાળી નામાંક્તિ વિદ્વાન હતા. વિ. સં. ૧૭૧૦ના જેઠ સુદ ૬ના વિજયસિંહસૂરિના ઉપદેશથી શત્રુંજ્યના શિખર પર થયેલા ઉગ્રસેન (આગ્રા શહેર)વાસી ઓશવાલજ્ઞાતીય, વૃદ્ધશાખીય અને કુહાડગોત્રીય સા. વર્ધમાન ( સ્ત્રી વાહાદે)ના પુત્ર સા. માનસિંહ, રાયસિંહ, કનકસેન, ઉગ્રસેન, રાષભદાસ આદિએ સા. જગતસિંહ અને જીવણદાસ પ્રમુખ પુત્રાદિ પરિવાર સહિત પિતાના પિતા વર્ધમાનના વચનથી તેમના પુણ્ય માટે આ સહસકૂટ તીર્થ કરાવ્યું. અને વિજ્યદેવસૂરિ અને વિયપ્રભસૂરિની આજ્ઞાથી વિહીરસૂરિ શિષ્ય મહ૦ કીતિવિજ્યજી ગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયજીએ તેની પ્રતિષ્ઠા કરી. (સંકલન : કરમશી ખેતશી ખાના) (“ઐતિહાસિક લેખસંગ્રહ ' પૃ. ૪૩૨ થી ૪૩૬. “જેન સાહિત્યનો ઈતિહાસ પૃ. ૬૪૮ અને “જેન ગૂર્જર કવિઓ” ભા. ૨, પૃ. ૪ થી ૧૯ માંથી સંકલન) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy