SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણુભગવંતો ૩૨૯ અધિકારી ઈન્દ્રરાજે કરાવેલા ઈન્દ્રવિહાર નામે ભવ્ય પ્રાસાદમાં સં. ૧૬૪૪માં પાર્શ્વનાથાદિ બિંબની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રાસાદની પ્રશસ્તિ તેમના પ્રમુખ વિદ્વાન શિષ્ય લાભવિજયજી ગણિએ રચી હતી. " શ્રી વિજયહીરસૂરિજી કાળધર્મ પામ્યા પછી સં. ૧૬૫રમાં માગશર વદ બીજ ને સોમવારે તેમના ભક્ત, ખંભાતના સંઘવી ઉદયકરણે શ્રી વિજ્યસેનસૂરિના હાથે મહોપાધ્યાય કલ્યાણવિજ્યજી તથા પંડિત ધનવિજયજીની વિદ્યમાનતામાં શ્રી વિજયહીરસૂરિજીનાં પગલાંની શ્રી શત્રુજ્ય ગિરિતીથે સ્થાપના કરી પ્રતિષ્ઠા કરી હતી. મહામહોપાધ્યાય વ્યાકરણશાસ્ત્રમાં પારંગત હતા. તેમણે સં. ૧૬૫૮માં “જિનસહસ્ત્રનામ સ્તોત્ર રચ્યું હતું. તેમણે પાટણમાં શ્રી ધર્મસાગરજીને ઝઘડે મિટાવવામાં સારે ભાગ લીધો હતો. પં. લાભવિજય, ધર્મવિજય, સંઘવિજય, જયવિજય, સેમકુશળ, સાધુવિજય, શુભવિજય આદિ અનેક તેમના શિષ્ય-પ્રશિષ્ય થયા. (જેન ગુર્જર કવિઓ” ભાગ-૨, પૃ. ૨૦) (સંકલન : કરમશી ખેતશી ખાના) સહોદરોને સંયમમાર્ગે પ્રેરનાર ઉપાધ્યાય શ્રી કીતિવિજયજી મહારાજ વીરમગામમાં વીરજી મલિક નામને એક વજીર રહેતું હતું. તે જાતે પિોરવાલ હતો. પિતાની સાથે કાયમ પાંચ ઘેડેસવારે રાતે હતે. વીરજીને પુત્ર સહસકિરણ મલિક થયો, તે પણ પ્રસિદ્ધ હતા, અને તે મહમ્મદશાહ (રાજ્યકાલ ઈ. સ. ૧૫૩૮થી ૧૫૫૪ ) બાદશાહને મંત્રી હતો. સહસકિરણને ગોપાળજી અને કલ્યાણજી નામના બે પુત્ર અને એક પુત્રી હતી. તેમાંથી ગેપાળજીએ બ્રહ્મચર્ય સેવી, સાધુસમાગમમાં રહી, દીક્ષા લેવાની ઈચ્છા કરી. તેની સાથે પોતાના ભાઈ કલ્યાણજી તથા બહેને પણ દીક્ષા થવાની તત્પરતા દર્શાવતાં, સં. ૧૯૩૧માં અમદાવાદ જઈને શ્રી વિજયહીરસૂરિજી પાસે ગોપાળજીએ સેમવિજયના નામે, કલ્યાણજીએ કીતિવિજયજીના નામે અને બહેને વિમલશ્રીજીના નામે દીક્ષા લીધી હતી. આ સમયે તેમની સાથે ધનજી તથા તેમની પત્ની તથા ત્રણ પુત્રો-ગણુજી, કમલ અને વિમલે ધનવિજ્ય, ગુણવિજ્ય, કુંવરવિજય અને વિમલવિય નામે તથા પદ્મવિજય, વિજયહર્ષ, સદયવચ્છ, ભણશાળી પ્રમુખ ૧૮ જણની સાથે દીક્ષા થયેલ. શ્રી કીર્તિવિજયજી દીક્ષિત થયા પછી શાસ્ત્રાભ્યાસમાં જોડાયા અને વિદ્વાન થયા. ગુરુએ યોગ્ય જાણે તેમને ઉપાધ્યાયપદે સ્થાપ્યા. તેઓશ્રીએ શ્રી વિજયહીરસૂરિજીને પૂછાયેલા જૈનશાસ્ત્ર સંબંધી શંકાના પ્રશ્નો અને અપાયેલા ઉત્તરો એકત્રિત કરી “ પ્રોત્તર સમુચ્ચય” અપરનામ “હરિપ્રશ્ન” તથા સં. ૧૬૯૦માં “વિચારરત્નાકર” ગ્રંથ સંકલિત કર્યો. (સંકલન : કરમશી ખેતશી ખાના) - કાન શ્ર. ૪૨ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy