SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૨૪૧ મહામહોત્સવપૂર્ણાંક પ્રવેશ કરાવ્યો. અહીં પાટણમાં એક દિવસ તેમને વાદીસિંહ નામના સાંખ્ય વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ થયેા. વાદીસિંહ સામે વીરાચાર્યના વિજય થયે. સિદ્ધરાજે આ પ્રસંગે તેમને જયપત્ર આપ્યુ. પાટણની સભામાં દિગંબરાચાય કમલકીતિ સાથે પણ વીરાચાર્ય ને સફ્ળ શાસ્ત્રાર્થ થયા. શ્રી વીરાચાર્યના જન્મ, દીક્ષા આદિ સંબધી સાલ, વાર આદિના ઉલ્લેખ મળતા નથી. તે પાટણનરેશ સિદ્ધરાજ જયસિંહની સભાના સન્માન્ય વિદ્વાન હતા. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ વિ. સ. ૧૧૫૦ થી ૧૧૯૯૯ સુધી મનાય છે. એ આધારે શ્રી વીરાચાર્ય વિક્રમની બારમી શતાબ્દીના વિદ્વાન આચાર્ય સિદ્ધ થાય છે. wwwww ખરતરગચ્છના મહાન જ્યોતિર્ધર, પરમ પ્રભાવી અને નામથી સુપ્રસિદ્ આચાર્ય શ્રી જિનદત્તસૂરિજી મહારાજ શ્રી જિનદત્તસૂરિ ખરતરગચ્છ પરંપરાના મહાન જયાતિર પરમ પ્રભાવી આચાય હતા. ખરતરગચ્છમાં તેમનુ' નામ ઘણા જ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમની પ્રસિદ્ધિ (6 66 "" દાદા ” તરીકે છે. เล શબ્દ મહાન પૂજ્યભાવના પ્રતીક છે, દાદા 'ના • ગુર્વાવલી 'ના આધારે શ્રી જિનદત્તસૂરિ શ્રી જિનવલ્લભસૂરિના પટ્ટધર હતા અને શ્રી જિનવલ્લભસૂરિ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિના પટ્ટધર હતા. શ્રી જિનદત્તસૂરિના દીક્ષાગુરુ ઉપાધ્યાય ધદેવ અને શ્રી જિનવલ્લભસૂરિના દીક્ષાગુરુ ચૈત્યવાસી જિનેશ્વરસૂરિ હતા. શ્રી જિનવલ્લભસૂરિના દીક્ષાગુરુ ચૈત્યવાસી જિનેશ્વરસૂરિ હતા. શ્રી જિનવલ્લભસૂરિ શ્રી અભયદેવસૂરિ પાસે જિનાગમનું ઊંડું જ્ઞાન મેળવી, ચૈત્યવાસી પર પરાના ત્યાગ કરી સુવિહિતમાગી બન્યા હતા. શ્રૃ. ૩૧ Jain Education International 2010_04 શ્રી જિનદત્તસૂરિના જન્મ વૈશ્યવંશ હુમ્બડ ગેત્રમાં વિ.સ. ૧૧૩૨ માં થયા. ધવલકપુર ( ધોલકા ) નિવાસી શ્રેષ્ઠિ વાફ્ટિંગના તેએ પુત્ર હતા. તેમની માતાનુ' નામ વાહડદેવી હતુ'. બાલ્યકાળમાં જિનદત્તસૂરિને સહજ ધાર્મિ ક વાતાવરણ પ્રાપ્ત થયું હતું. એક વાર ધાલકામાં જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાધ્યાય ધર્માંદેવની આજ્ઞાનુવતિની સાધ્વીઓનુ ચાતુર્માસ થયું. તેની પાસે પુત્રને લઇ વાડદેવી ધકથા સાંભળવા માટે જતી. ધ કથાએ સાંભળવાથી બાળકના મનમાં વૈરાગ્યભાવ જાગૃત થયે. મુનિજીવન સ્વીકારવાની ઇચ્છા થઈ. બાળકના શરીર ઉપર શુભચિહ્ન તા હતાં જ, જે તેના સુ'દર ભવિષ્યને જણાવતાં હતાં. સાધ્વીઓએ બાળકને ધ સંઘમાં અ`ણુ કરવા વાડદેવીને પ્રેરણા કરી. ધર્માનુરાગણી વાહડદેવી પણ આ કાર્ય માટે તૈયાર થતાં ઉપાધ્યાય ધદેવે બાળકને વિ. સ. ૧૧૪૧ માં દીક્ષા આપી. નવદીક્ષિત મુનિનુ નામ સામચંદ્ર રાખવામાં આવ્યુ. એ સમયે બાલમુનિ સોમચદ્રની વય નવ વર્ષની હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy