SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ૨૩૯ આચાર્યશ્રી અભયદેવસૂરિના જીવનની તેજસ્વી તવારીખે જોતાં તેઓ વિક્રમની બારમી સદીમાં થયા હોવાનો નિર્ણય થાય છે. મહા મેધાવી, સમર્થ વ્યાખ્યાતા, રાજપૂજિત આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ આચાર્ય ધર્મઘોષસૂરિ મહા મેધાવી, વાદવિજયી, અનેક રાજાઓ, બ્રાહ્મણ, વૈશ્ય આદિના પ્રતિબંધક અને તેમના સમયના સમર્થ મહાપુરુષ હતા. તેમના સંસારી જીવનની માહિતી પ્રાપ્ત થતી નથી, જ્યારે દીક્ષાવસ્થામાં તેઓશ્રી શ્રી શીલભદ્રસૂરિના શિષ્ય હતા. રાજગચ્છના પ્રવર્તક શ્રી નમ્નસૂરિની પાટ પરંપરામાં થયેલા સમર્થ આચાર્યોમાં તેઓ એક હતા. તેમનું બીજું નામ ધર્મસૂરિ પણ હતું. શ્રી ધર્મઘોષસૂરિ તીવ્ર બુદ્ધિવાળા હતા. છઠ્ઠી ઘડીમાં ૫૦૦ શ્લેક મુખપાઠ કરી શકતા હતા. વળી, તેઓશ્રી વ્યાકરણના પારગામી, ન્યાયનિષ્ણાત અને સૂત્રાર્થના સમર્થ વ્યાખ્યાતા હતા. ગુર્જરેશ્વર રાજા જ્યસિંહ સિદ્ધરાજ તેમની બુદ્ધિમત્તા અને જ્ઞાનસમૃદ્ધિના પ્રશંસક હતા. શ્રી ધર્મઘોષસૂરિ રાજપૂજિત પણ હતા. તેમણે નાગર, શાકંભરી અને અજમેરની રાજસભામાં વ્યાખ્યાને આપ્યાં હતાં. નાગોરને રાજા આલણ, શાકભરીના રાજાઓ અજયરાજ અને અર્ણોરાજ, અજમેરના રાજા વિગ્રહરાજ વગેરે તેમને ગુરુ માનતા હતા. રાજા વિગ્રહરાજે તેમના ઉપદેશથી અગિયારસ વગેરે તિથિઓની અમારિ પળાવી હતી. મેટે રાજવિહાર બનાવી તેમાં ભગવાન શાંતિનાથ આદિ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. સૂરિજીએ રાજાઓ ઉપરાંત બ્રાહ્મણ, માહેશ્વરી વૈ અને ક્ષત્રિને ઉપદેશ આપી જૈનધમી બનાવ્યા હતા. તેમના ઉપદેશથી એ સવાલમાં ૧૦૫ અને શ્રીમાલીમાં ૩પ નવાં જેન ગોત્ર બન્યાં હતાં. - શ્રી ધર્મઘોષસૂરિના નામથી રાજગચ્છની ધર્મઘોષશાખા નીકળી હતી, જે પાછળથી ધર્મષગચ્છ નામે વિખ્યાત થઈ છે. આચાર્યશ્રીએ પિતાના શ્રમણ સંઘની સંપૂર્ણ વ્યવસ્થા માટે, શિષ્યસમુદાયમાં શિથિલતા ન પેસે તેની દેખરેખ અને સુરક્ષા માટે ૧૬ શ્રાવકેની એક સમિતિ બનાવી હતી. આચાર્યશ્રીએ પિતાના ૨૦ શિષ્યને સૂરિપદ આપ્યું હતું. તેમના મુખ્ય પટ્ટધર શ્રી સમુદ્રષસૂરિ હતા. આચાર્ય ધર્મ જોષસૂરિના ઉપદેશથી ૧૦૫ સ્થાનમાં જિનાલય અંધાયાં હતાં. ફધિ પાર્શ્વનાથ પ્રગટ્યા ત્યારે તે પ્રાકટય મહોત્સવમાં તેઓશ્રી હાજર હતા. તેમણે વિ. સં. ૧૧૮૬ માં “ધમ્મકપદેદુમા” તથા “ગૃહિધર્મપરિગ્રહપ્રમાણ” નામે ગ્રંથ રચ્યા હતા. તેઓશ્રી બીજા યુગના ૧૮ મા યુગપ્રધાન આચાર્ય હતા. તેમને યુગપ્રધાનકાળ વીરનિર્વાણ સં. ૧૫ર૦ થી ૧૫૯૮ હતે. Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy