SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ શ્રમણભગવા છે, આમાં ૫ આશ્રવ અને પ સવરનુ યુક્તિપૂર્વક વર્ણન છે. દ્રોણાચાયે` આ વૃત્તિનુ સંશાધન કર્યુ છે. શુભાશુભ કર્મોના જુદા જુદા રૂપે ફળનાં પરિણામ જાણવા આ વૃત્તિ વિશેષ સહાયક છે. વિપાકવૃત્તિ ઃ આ વૃત્તિ પણ સૂત્રસ્પી છે. પારિભાષિક પદોના સંક્ષિપ્ત અર્થ આમાં જણાવ્યા છે. આગમસૂત્રને પ્રવચનપુરુષ કહેલ છે. શુભાશુભ કર્મોના વિવિધ રૂપે ફળપરિણામ સમજવા માટે વિશેષ સહાયક છે. ગ્રંથગત વિઓને સંશાધન કરવા માટે વૃત્તિકારે શ્રીમાન્ પુરુષોને સશાષિત કરવા માટે કહ્યું છે : જ્ઞાનુયોને ચવયુવતમુદ્દત તદ્બોધના પ્રાર્પશોષયન્તુ । ટીકાકારે આ કથનથી પેાતાના વિચારોની સરળતા પ્રગટ કરી છે. ટીકાના અંતમાં ટીકાકારે પોતાનું નામ અને પેાતાના ગુરુના નામના ઉલ્લેખ પણ કરેલા છે. આ ટીકાનુ` સંશાધન અણહિલપુર પાટણમાં દ્રોણાચાર્યે કર્યું હતું. વૃત્તિનું ગ્રંથમાન ૩૧૨૫ પપરિમાણુ બતાવ્યુ` છે. ઓપપાતિકવૃત્તિ : આ વૃત્તિ ઉપાંગ આગમ પર છે. ટીકાકાર શ્રી અભયદેવસૂરિની ઉપાંગ આગમ પર આ એક જ ટીકા છે. આ વૃત્તિનું ગ્રંથમાન ૩૧૨૫ પદ્મપરિમાણ છે, વૃત્તિના આર'ભમાં ઔપપાતિક શબ્દની સુંદર વ્યાખ્યા આપી છે. શબ્દાપ્રધાન ટીકા સૈદ્ધાંતિક, સામાજિક, અને સાંસ્કૃતિક વિવિધ પ્રકારની સામગ્રીથી પરિપૂર્ણ છે. વૃત્તિના અંતમાં ટીકાકારે ગુરુ જિનેશ્વરસૂરિનુ નામ અને ચંદ્રકુલના ઉલ્લેખ પણ કર્યાં છે. વૃત્તિની પ્રશસ્તિ મુજબ આ વૃત્તિનુ સંશાધન અણહિલપુર પાટણમાં શ્રી દ્રોણાચાયે કયુ છે. આ ટીકામાં ત્રણ ટીકા સ્થાનાંગવૃત્તિ, સમવાયાંગવૃત્તિ અને જ્ઞાતાધમ કથાવૃત્તિ વિ. સ. ૧૧૨૦ માં રચી છે. આ ત્રણ વૃત્તિનું પરિમાણુ ૨૧૬૨૫ શ્લોક છે. એક વર્ષીમાં આવા વિશાળ સાહિત્યની રચના કરવી એ તેમની મહાન સર્જનશક્તિને પરિચય કરાવે છે. ઉપાંગ સહિત આ વૃત્તિઓનું ગ્રંથમાન ૫૦૭૬૯ શ્ર્લાકપ્રમાણ છે. આગમાતિરિક્ત ગ્રંથો પર ટીકા : આચાય અભયદેવસૂરિએ આગમે પર ટીકાએ લખીને જ સંતોષ લીધા નથી, તેમણે બીજા ગ્રંથા પર પણ ટીકાઓ લખી છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ સૂચિત ષોડશક તેમ જ પચાશક ગ્રંથ પર શ્રી અભયદેવસૂરિએ ટીકા રચવાનુ` કા` કર્યુ છે. આ બ'ને ગ્રંથામાં પંચાશકની ટીકા વિશાળ છે. એ ટીકાનુ' ગ્રંથમાન ૭૪૮૦ પદ્મપરિમાણ છે, આ ટીકાનો રચનાકાળ વિ. સં. ૧૧૨૪ છે. આચાર્ય અભયદેવસૂરિએ ટીકાગ્ર થાની રચના ઉપરાંત પ્રજ્ઞાપના તૃતીયપદ સંગ્રહણી, જયતિહુઅણુ સ્તોત્ર, પ'ચનિગ્રંથી પ્રકરણ તેમ જ છ કમ ગ્રંથ સવૃત્તિભાષ્ય આદિ ગ્રંથાની રચના કરી છે. પ્રજ્ઞાપના તૃતીયપદ સંગ્રહણીનુ' ગ્રંથમાન ૧૩૨ શ્લોકપરિમાણ છે. પ્રભાવકત્ર મુજબ થી અભયદેવસૂરિના સ્વર્ગવાસ પાટણમાં થયા હતા. એ વખતે પાટણમાં કરાજાનું રાજ હતું. સ્વ`વાસ સંવત-સમયના ઉલ્લેખ નથી; જ્યારે પટ્ટાવલી મુજબ અભયદેવસૂરિના સ્વર્ગવાસ ગુજરાતમાં કપડવંજ ગામમાં થયા હતા. પટ્ટાવલીમાં દર્શાવ્યા પ્રમાણે સ્વર્ગવાસ સંવત ૧૧૩૫ બતાવેલ છે. કોઈ કાર્ય સ્થળે વિ. સ. ૧૧૩૯ જણાવેલ છે. એમાં ૪ વર્ષીનું અંતર છે. આચાર્ય શ્રી અભયદેવસૂરિએ ટીકાનિર્માણનું કાર્ય વિ. સં. ૧૧૨૦ થી ૧૧૨૮માં કર્યું હતું. પટ્ટાવલી અનુસાર ટીકાનિર્માણના કાર્ય પછી ૬ અથવા ૧૧ વર્ષ તેમને સ્વવાસ થયેલ છે. એ આધારે શ્રી અભયદેવસૂરિ વિક્રમની ૧૧-૧૨ મી સદીમાં થયાનુ નક્કી થાય છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy