SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શાસનપ્રભાવક ઉપાંગ આગમ ઉપર પણ છે. તેમણે સ્વતંત્ર ગ્રંથરચના પણ કરી હતી. ગણધર શ્રી સુધર્મા સ્વામીના આગમ સાહિત્યના ગૂઢાર્થ સમજવા માટે આચાર્ય અભયદેવસૂરિની ટીકાઓ ચાવી સમાન માનવામાં આવે છે. આ ટીકાઓ સંક્ષિપ્ત અને શબ્દાર્થપ્રધાન છે. તેમાં અનેક વિષયેનું નિરૂપણ કરવામાં આવેલ છે. તેમની આ ટીકાઓની સહાય વિના અંગશાસ્ત્રના રહસ્યને સમજવું મુશ્કેલ છે. તેમણે દ્વાદશાંગીમાંના અંગ ૩ થી ૧૧ ઉપર ટીકા લખી છે. તેમણે રચેલ ટીકા વગેરે ગ્રંથને પરિચય આ પ્રમાણે છે : સ્થાનાંગવૃત્તિ ઃ મૂળસૂત્રે પર સ્થાનાંગવૃત્તિની રચના છે. સૂત્રસંબદ્ધ વિષયેનું વિસ્તારથી વિવેચન છે. દાર્શનિક દૃષ્ટિઓની વિશદ વ્યાખ્યા છે. વૃત્તિમાં કયાંક ક્યાંક સંક્ષિપ્ત કથાનક છે. આ વૃત્તિની રચનામાં શ્રી અભયદેવસૂરિને સંવિપાક્ષિક અજીતસિંહસૂરિના શિષ્ય શ્રી યશદેવગણિ સોગ પ્રાપ્ત થયે હતો. દ્રોણાચાર્યને નામોલ્લેખ પણ આ ટીકામાં છે, જેમણે આ ટીકાનું સંશોધન કર્યું હતું. આ ટીકાને રચનાકાળ વિ. સં. ૧૧૨૦ છે. આનું ગ્રંથમાન ૧૪૨૫૦ પદપરિમાણ છે. સમવાયાંગવૃત્તિ : આ વૃત્તિની રચના પણ મૂળ સૂત્રો પર છે. આ મધ્યમ પરિમાણની ટીકા છે. આમાં પ્રજ્ઞાપનાસૂત્રને તથા ગંધહસ્તિ ભાષ્યને ઉલ્લેખ છે. આ ટીકાની રચના વિ. સં. ૧૧૨૦ માં પાટણમાં થઈ છે. આનું ગ્રંથમાન ૩૫૭૫ લેક પરિમાણ છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિવૃત્તિ ઃ આ સંક્ષિપ્ત શબ્દાર્થપ્રધાન ટીકા છે. આમાં એક વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના દશ અર્થ બતાવ્યા છે, જે ભિન્ન ભિન્ન અર્થબોધની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ ટીકામાં શ્રી સુધર્માસ્વામી આદિને નમસ્કાર કર્યા પછી ટીકાકારે આ સૂત્રની પ્રાચીન ટીકા, ચૂણિ અને જીવાભિગમ આદિની વૃત્તિની સહાયતાથી ટીકા રચવાને સંકલ્પ કરેલો છે. આથી સ્પષ્ટ છે કે, ટીકાકાર શ્રી અભયદેવસૂરિ સામે ભગવતીસૂત્રની પ્રાચીન ટીકા હતી. ટીકાના અંતમાં ગ્રંથકારે જિનેશ્વરસૂરિથી પિતાની ગુરુપરંપરાને ઉલ્લેખ કર્યો છે. આ ટીકાની રચના વણ અભયદેવસૂરિએ પાટણમાં વિ. સં. ૧૧૨૮ માં કરી હતી. આ ટીકાનું ગ્રંથમાન ૧૮૬૧૬ કપરિમાણ બતાવ્યું છે. જ્ઞાતાધર્મકથાવૃત્તિ ઃ મૂળસૂત્રસ્પશી શબ્દાર્થપ્રધાન આ ટીકા ૩૮૦૦ લેક પરિમાણ છે. આ ગ્રંથની રચના પાટણમાં વિ. સં. ૧૧૨૦ માં વિજયાદશમીને દિવસે થઈ છે. જ્ઞાતાધર્મ કથાના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રતસ્કધમાં ૧૯ કથાનક છે. એ કથાનક અત્યંત પ્રસિદ્ધ છે. જ્ઞાત હવાને લીધે આ શ્રતસ્કંધનું નામ જ્ઞાતા છે. બીજા પ્રતસ્કંધમાં ઘણી ધર્મકથાઓ હોવાથી તેનું નામ ધર્મકથા છે. ઉપાસકદશાંગવૃત્તિ : ઉપાસકદશાંગવૃત્તિની રચના મૂળ સૂત્ર પર થઈ છે. આ સંક્ષિપ્ત ટીકા છે. આની રચના જ્ઞાતાસૂત્રની વૃત્તિની રચના પછી થઈ છે. આમાં ટીકાકારે વિશેષ શબ્દોમાં અર્થનું સ્પષ્ટીકરણ કરેલ છે. આ વૃત્તિનું ગ્રંથમાન ૯૦૦ પદપરિમાણ છે. અંતકૃદશાવૃત્તિ : આ વૃત્તિ પણ મૂળસૂત્રસ્પર્શી અને શબ્દપ્રધાન છે. આ વૃત્તિનું ગ્રંથમાન ૮૯૯ પદપરિમાણ છે. અનુત્તરી પપાતિકવૃત્તિ ઃ આ પણ શબ્દપ્રધાન સંક્ષિપ્ન ટીકા છે. આનું ગ્રંથમાન ૧૦૦ પ્રમાણ છે. આમાં શબ્દોની સારગર્ભિત વ્યાખ્યા પાઠકના મનને વિશેષ પ્રભાવિત કરે છે. પ્રશ્નવ્યાકરણવૃત્તિ ઃ આ શબ્દાર્થપ્રધાનવૃત્તિ લગભગ ૪૬૩૦ પદ પરિમાણ Jain Education International 2010 04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy