SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો શ્રી અંગશાને સુલભ અને સુગમ બનાવનાર મહાસમર્થ નવાંગી ટીકાકાર આચાર્યશ્રી અભયદેવસૂરિજી મહારાજ - જૈનપરંપરામાં અભયદેવસૂરિ નામે કેટલાયે આચાર્યો થયા છે, તેમાં આ આચાર્ય અભયદેવસૂરિ નવાંગી ટીકાકાર તરીકે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. તેઓ ચંદ્રકુલીય સુવિહિતમાગી શ્રી વર્ધમાનસૂરિના પ્રશિષ્ય અને શ્રી બુદ્ધિસાગરસૂરિના શિષ્ય હતા. શ્રી વર્ધમાનસૂરિ પ્રારંભમાં કુર્યપુરના ચૈત્યવાસી હતા. તેમનું ૮૪ જિનમંદિર પર સ્વામિત્વ હતું. શ્રી ઉદ્યોતનસૂરિની પરંપરાથી પ્રભાવિત થઈ તેમણે ચૈત્યવાસને ત્યાગ કરી સુવિહિતમાર્ગી પરંપરાને સ્વીકાર કર્યો હતો. આચાર્યશ્રી અભયદેવસૂરિને જન્મ વૈશ્યપરિવારમાં વીરનિર્વાણ સં. ૧૫૪૨ ( વિ. સં. ૧૦૭૨)માં થયો હતે. ઇતિહાસપ્રસિદ્ધ માલવદેશની રાજધાની ધારાનગરી તેમની જન્મભૂમિ હતી. તે મહીધર શેડના પુત્ર હતા. તેમની માતાનું નામ ધનદેવી હતું. અને તેમનું જન્મનામ અભયકુમાર હતું. ધારાનગરીમાં એ વખતે રાજા ભેજનું શાસન હતું. અભયકુમાર બુદ્ધિશાળી બાળક હતા, તેથી પરિવાર પાસેથી સહજપણે ધાર્મિક સંસ્કાર મળ્યા હતા. એક વખત શ્રી જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ ધારાનગરીમાં પધાર્યા. પિતા મહીધર સાથે અભયકુમારે તેઓનું પ્રવચન સાંભળ્યું. બાળકના મન પર વૈરાગ્યને રંગ લાગે. માતા-પિતાની આજ્ઞા લઈ અભયકુમારે શ્રી જિનેશ્વરસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી; અને શ્રી બુદ્ધિસાગરસૂરિના શિષ્ય બન્યા. દક્ષા બાદ બાળમુનિએ ગંભીરતાપૂર્વક આગમને અભ્યાસ કર્યો. ગુરુજન પાસે ગ્રહણ અને આસેવન શિક્ષા ગ્રહણ કરી મહાકિયાનિષ્ઠ અભયદેવમુનિ શાસનરૂપી કમળને વિકસિત કરવા માટે સૂર્યના તેજસ્વી જણાવા લાગ્યા. આચાર્ય શ્રી વર્ધમાનસૂરિના આદેશથી શ્રી જિનેશ્વરએ તેમને વિ. સં. ૧૦૮માં, ૧૬ વર્ષની વયે, આચાર્યપદથી અલંકૃત કર્યા. આચાર્ય શ્રી અભયદેવસૂરિ સિદ્ધાંતના ગંભીર જ્ઞાતા હતા. આગમેતર વિષયનું પણ તેમને વિશાળ જ્ઞાન હતું. શ્રમણગણને તેઓ આગમની વાચના આપતા હતા. શ્રી વર્ધમાનસૂરિના સ્વર્ગવાસ પછી, એક વખત રાત્રિના સમયે આચાર્ય અભયદેવસૂરિ ધ્યાનમાં બેઠા હતા. તે સમયે તેમને ટીકા રચવાની પ્રેરણા થઈ. પ્રભાવક ચરિત્ર આદિ ગ્રંથો પ્રમાણે આ પ્રેરણા શાસનદેવીએ કરી હતી. રાત્રિ સમયે ધ્યાનસ્થ અભયદેવસૂરિની સામે શાસનદેવી પ્રગટ થઈને બોલ્યા, મુનિવર્ય આચાર્ય શીલાંકસૂરિ અને કેયાચાર્ય વિરચિત ટીકાસાહિત્યમાં આચારાંગ અને સૂત્રકૃતાંગ આગમની ટીકાઓ સુરક્ષિત છે, જ્યારે બાકીના આગમેની ટીકાઓ કાળદોષના પ્રભાવે લુપ્ત થઈ ગઈ છે, આથી આ ક્ષતિ દૂર કરવા માટે આપ સંઘના હિતાર્થ પ્રયત્નવાન બને અને ટીકા રચવાના કાર્યને પ્રારંભ કરે.” આચાર્ય શ્રી અભયદેવસૂરિએ કહ્યું કે- “દેવી ! મારા જેવા જડમતિ દ્વારા શ્રી સુધર્મા સ્વામીત આગમ પૂર્ણરીતે જાણવા પણ કઠિન છે. અજાણતાં ઉસૂત્રપ્રરૂપણા થઈ જાય તો આ કાર્ય કર્મબંધન અને અનંત સંસારની વૃદ્ધિનું નિમિત્ત બની જાય. આપનાં વચનું ઉલ્લંઘન Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy