SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત ૨૨૩ યુતિપુરઃસર બતાવ્યા છે. પિતાની પૂર્વેના અનેક દર્શનિક ગ્રંથનું દહન કરી આચાર્યશ્રી અભયદેવસૂરિએ આ ગ્રંથનું નિર્માણ કર્યું છે. અનેકાંતદર્શનની સ્થાપનામાં વિભિન્ન પાને સ્પર્શ કરતી આ “તત્ત્વધિની” ટીકા પછીના ટીકાકારે માટે સબળ આકાર બની રહી છે. તેની ભાષા મનહર છે, વાદપદ્ધતિ મૌલિક છે. જુદા જુદા વાદીઓ પોતાના પક્ષ રજૂ કરે છે. આખરે સ્થાવાદ-દર્શન વડે તે દરેક પક્ષેની બંને બાજુએ રજૂ કરી સાચી વસ્તુને સ્થાપે છે. આમાં તુલનાત્મક દષ્ટિએ ઘણું ઘણું જાણવા મળે છે. જેને અને અજેનેના સેંકડો દાર્શનિક વિચારોની વિચારધારા મળે છે. આચાર્યશ્રી પ્રભાચંદ્રસૂરિકૃત “પ્રમેયકમલમાર્તડ ” અને શ્રી અભયદેવસૂરિકૃત સમ્મતિતક’ ટીકામાં કેવલીભક્તિ અને સ્ત્રીમુક્તિ આદિ વિષય પર પિતાના સંપ્રદાયની માન્યતાઓનું સમર્થન અને પરમતનું નિરસન હોવા છતાં એકબીજાએ આપેલી યુક્તિઓને પરસ્પર કઈ પ્રભાવ જોવામાં આવતો નથી. આથી જણાય છે કે, બંને આચાર્ય સમકાલીન હતા. જે કે રચના કરતી વખતે એકબીજાના ગ્રંથ જેવામાં ન આવ્યા હોય એમ લાગે છે. - વાદવેતાલ આચાર્ય શાંતિસૂરિ પાસે શ્રી અભયદેવસૂરિ ન્યાયશાસ્ત્ર ભણ્યા હતા અને તેમની શિષ્યમંડળીમાં દર્શનશાસ્ત્રના વિદ્વાન હતા. ન્યાયવનસિંહ આચાર્ય શ્રી અભયદેવસૂરિને સમય વીરનિર્વાણ સં. ૧૫૪૫ થી ૧૬૨૦ (વિ. સં. ૧૦૭૫ થી ૧૧૫૦) માનવામાં આવે છે. બૃહદ્ શાંતિ સ્તોત્રના કર્તા તથા વાદિવેતાલ, “ક્વીન્દ્ર” તથા વાદીચક્રવત ના બિરુદથી સન્માનિત આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ વાદિવેતાલ આચાર્યશ્રી શાંતિસૂરિ પ્રશસ્ત ટીકાકાર હતા. વાદીઓમાં વેતાલની જેમ દુધ હોવાથી તેમની પ્રસિદ્ધિ “ વાદિવેતાલ” તરીકે થઈ“વાઢીચક્રવતી’ અને ‘કવીન્દ્ર” જેવી પદવીઓ પણ તેમને મળી હતી. તેઓ ન્યાયશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિના દીક્ષાગુરુ શ્રી વિજયસિંહસૂરિ હતા. વિજયસિંહસૂરિ નામના ઘણું પ્રસિદ્ધ આચાર્ય થયા છે. આ વિજયસિંહરિ થારાપદ્રગચ્છના આચાર્ય હતા. થારાપદ્રગચ્છની ઉત્પત્તિ વટેશ્વરસૂરિથી થઈ છે. વટેશ્વરસૂરિનો સંબંધ યુગપ્રધાન આચાર્ય હારિલસૂરિના ગચ્છ સાથે હતે. વિજયસિંહસૂરિ ચેત્યવાસી હતા. તેઓ સંપન્કર (શાંતુ) મહેતાના ચૈત્યમાં રહેતા હતા. થારાપદ્રગચ્છની ઉત્પત્તિ થારાપદ્ર (થરાદ) ગામ સાથે હેવાથી થારાપદ્રગચ્છ નામથી પ્રસિદ્ધિ મળી. વર્તમાનમાં થરાદ ગામ ગુજરાત પ્રદેશ અંતર્ગત ડીસા શહેરથી થોડે દૂર છે. શ્રી શાંતિસૂરિને જન્મ વૈશ્યવંશ શ્રીમાલ ગોત્રમાં થયો હતો. ગુજરાત પ્રદેશ અંતર્ગત ઉન્નતાયુ (ઊણ-બનાસકાંઠા) ગામ તેમનું જન્મસ્થળ છે. શાંતિસૂરિના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ ધનશ્રી હતું. શાંતિસૂરિનું બાલ્યાવસ્થાનું નામ ભીમ હતું. ભીમના પિતા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy