SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ શાસનપ્રભાવક તે આધારે શ્રી ઉદ્યોતનસૂરિ વીરનિર્વાણની પંદરમી ( વિક્રમની દશમી) શતાબ્દીના આચાર્ય પ્રમાણિત થાય છે. વાદમહાર્ણવ ટીકાકાર, ન્યાયવનસિંહ, તર્કપચાનન આચાર્યશ્રી અભયદેવસૂરિજી મહારાજ જૈન પરંપરામાં ઘણું અભયદેવસૂરિ થયા છે. આ અભયદેવસૂરિ નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ અને મલ્લવારી અભયદેવસૂરિથી ભિન્ન છે. એમની પ્રસિદ્ધ કૃતિ “વાદમહાર્ણવ-ટીકા” છે. આ અભયદેવસૂરિ રાજગચ્છના આચાર્ય હતા. તેમની ગુરુપરંપરામાં આચાર્ય નસૂરિ, આચાર્ય અજિયશવાદિસૂરિ, શ્રી સહદેવસૂરિ અને શ્રી પ્રદ્યુમ્નસૂરિ હતા. અભયદેવ રાજકુમાર હતા. શ્રી પ્રદ્યુમ્નસૂરિ પાસે તેમણે મુનિદીક્ષા ગ્રહણ કરી હતી. શ્રી પ્રદ્યુમ્નસૂરિ શાસ્ત્રાર્થ નિપુણ આચાર્ય હતા. જેનદર્શનની સાથે તેઓ વૈદિક દર્શનના પણ નિષ્ણાત હતા. તેમને અનેક વિષચેનું ગહન જ્ઞાન હતું. સપાદલક્ષ (ગ્વાલિયર) અને ત્રિભુવનગિરિના રાજાઓને બોધ આપી તેઓને જૈન બનાવ્યા હતા. વૈદિક દર્શનને વિદ્વાન રાજા અલ્લટ તેમને પરમ ભક્ત હતા. શ્રી અભયદેવસૂરિએ શ્રી પ્રદ્યુમ્નસૂરિ પાસે વિવિધ વિષયને ગાઢ અભ્યાસ કર્યો હતો. તેઓ જેનશાસનના પ્રભાવક આચાર્ય હતા, રાજષિ તરીકે પણ પ્રસિદ્ધ થયા હતા. તેઓના ઉત્કૃષ્ટ જ્ઞાન, ચારિત્ર અને તપોબળના પ્રભાવે અસાધ્ય રોગો શમી જતા હતા. ન્યાયના ક્ષેત્રમાં વિશેષતા પ્રાપ્ત કરવાથી અને બાદમાં ઘણું કુશળ હોવાથી તેમને ન્યાયવનસિંહ અને તર્કપંચાનનની પદવી પ્રાપ્ત થઈ હતી. શ્રી અભયદેવસૂરિના પટ્ટધર શ્રી ધનેશ્વરસૂરિ હતા. તેઓ ગૃહસ્થાવસ્થામાં ત્રિભુવનગિરિના રાજા હતા. તેમના શરીરે ઝેરી ફેલ્લા નીકળ્યા હતા. અનેક ઉપાયે છતાં તે કયા નહીં. છેવટે, એક દિવસ શ્રી અભયસૂરિના ચરણોદકથી ફેલ્લા મટી ગયા. બસ, તરત જ તેમણે શ્રી અભયસૂરિનું આજીવન શિષ્યત્વ સ્વીકારી દીક્ષા ગ્રહણ કરી. ધારાનગરીને રાજા મુંજ તે સમયમાં પ્રભાવશાળી રાજવી હતે. ધનેશ્વરસૂરિને તે ગુરુ માનતા. અન્ય રાજાઓ પણ તેમના રાગી હતા. આથી શ્રી ધનેશ્વરસૂરિના સમયમાં રાજગચ્છ વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું. તેમણે ૧૮ શિષ્યોને આચાર્ય પદ પ્રદાન કર્યું હતું. ચિત્તોડમાં ૧૮ હજાર બ્રાહ્મણોને જૈનધર્મી બનાવ્યા હતા અને તેઓને પ્રેરણા કરી ત્યાં ભગવાન મહાવીરનું જિનમંદિર બંધાવ્યું હતું. આચાર્યશ્રી અભયદેવસૂરિ ન્યાય અને દર્શનશાસ્ત્રના પ્રખર વિદ્વાન હતા. તેમણે આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરના “સમ્મતિતક” ગ્રંથ પર સંસ્કૃતમાં ૨૫૦૦૦ કલેક પ્રમાણ તત્વબોધિની” નામે વિશાળ ટીકા રચી હતી. આનું બીજું નામ વાદમહાર્ણવ ટીકા (વૃત્તિ) પણ છે. વાદમહાર્ણવ જ કે ટીકા ગ્રંથ છે, પરંતુ તેની રચનાશેલી એવી મૌલિક અને પ્રૌઢ છે કે તે સ્વતંત્ર ગ્રંથ જેવો લાગે છે. આ ગ્રંથમાં આત્મા–પરમાત્મા, મોક્ષ આદિ વિષે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy