SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત ૨૧૭ ટીકા-રચનાના સમય પૂર્વે વિચ્છેદ થયું હોઈ અનુપલબ્ધ હતું. એ વાત શ્રી શીલાંકાચા એક લેકમાં લખી છે. પ્રથમ શ્રતસ્કંધની ટીકાને અંતે ટીકાકારનું ગ્રંથસંશોધન માટે નમ્ર નિવેદન છે અને ટીકાસમાપ્તિની સૂચના પણ છે. ટીકા રચનાને કાળ શાકે ૮૯૮ (વિ. સં. ૯૩૩) બતાવ્યું છે. સૂત્રકૃતાંગ ટીકા : આ દાર્શનિક વિષયના મહત્ત્વપૂર્ણ કૃતિ છે. ટીકારચનાને આધાર મૂળ આગમ અને તેની નિયુક્તિ છે. આ ટીકા ૧૩૩૨૫ ગ્રંથપ્રમાણ છે. આમાં દાર્શનિક દષ્ટિઓનું વિસ્તૃત વિવેચન છે. સ્વપક્ષની જેમ પરપક્ષની માન્યતાઓનું યુક્તિપૂર્વકનું પ્રામાણિક વિવેચન ટીકાકારના વિશાળ જ્ઞાનનું સૂચક છે. ટીકાની રચનાનું પુણ્ય ભવ્ય જનના કલ્યાણનું નિમિત્ત બને એ ટીકાકારને સંકેત છે. આ ટીકાની રચના મહેસાણા-મેરા વચ્ચેના ગાંભુ ગામે થયાને ઉલ્લેખ મળે છે. આ ટીકાની રચના પ્રાયઃ વિ. સં. ૯૦૭માં થઈ છે. આ બંને ઉપલબ્ધ ટીકાઓમાં તેમને શ્રી વાહરિ ગણિ સહાયક બન્યા છે. આચાર્યશ્રી શલાકસૂરિની ગ્રંથરચના પ્રમાણે તેઓ વિક્રમની નવમી અને દશમી શતાબ્દી વચ્ચે થયા હોવાનું મનાય છે. લબ્ધિસંપન્ન મહાન તપસ્વી, પરમ પ્રભાવી, કૃષ્ણર્ષિગચ્છ પ્રવર્તક શ્રી કૃષ્ણષિ (કૃષ્ણષિ) મહારાજ તેઓ કૃષ્ણ નામના વિપ્રદેવ હતા. તેમને મિત્રના મૃત્યુને ઊંડે આઘાત લાગવાથી, તે તીવ્ર વૈરાગ્યભાવમાં પરિણમ્યો હતો. તેઓએ હારિલવંશના પ્રવર્તક યુગપ્રધાન આચાર્ય હારિલસૂરિ (હરિગુપ્તસૂરિ)ના શિષ્ય શ્રી દેવગુપ્તસૂરિના શિષ્ય શ્રી શિવચંદ્રગણિના શિષ્ય શ્રી યક્ષદત્તગણિ ક્ષમાશ્રમણના શિષ્ય શ્રી વટેશ્વર ક્ષમાશ્રમણના શિષ્ય શ્રી તત્ત્વાચાર્યના શિષ્ય શ્રી યક્ષમહત્તર પાસે દીક્ષા લઈ કૃષ્ણષિ નામે વીતરાગમાગ ગ્રહણ કર્યો હતે. મુનિશ્રી કૃષ્ણર્ષિ અનન્ય જિનભક્તિ, તીર્થભક્તિ અને તપ-સંયમની અપૂર્વ સાધનાથી અનેક રાજા-મહારાજાઓ અને જનગણમાં પરમ પ્રભાવક બન્યા હતા. અને વીરનિર્વાણ સં. ૧૦૫પથી પ્રવર્તતે હારિવંશ, જે સં. ૧૩૧૦ પછી શ્રી કૃષ્ણષિના મહાન પ્રભાવે “કૃષ્ણષિગચ્છ” તરીકે પ્રસિદ્ધિ પામ્યું હતું. શ્રી કૃષ્ણષિ કઠેર સંયમી અને ઘેર તપસ્વી હતા. તેઓ સ્મશાનમાં અનેક પ્રકારના ઉપસર્ગોની વચ્ચે ધ્યાન–સાધનામાં મેરુની જેમ અડગ રહેતા. તેમણે મા ખમણ, દ્વિમાસખમણ ત્રિમાસખમણ, અને ચૌમાસીખમણ પણ કર્યા હતાં. કેઈ વર્ષ ૩૪ થી વધુ પારણું કર્યા ન હતાં. આવી ઉત્કૃષ્ટ તપસ્યાના પ્રભાવે તેઓ એવા તપમૂતિ બની ગયા હતા કે, તેમનું ભાવપૂર્વક સમરણ કરવાથી મનુષ્યના રોગ, શોક, દુઃખ-દર્દ, ઉપસર્ગ, ગ્રહપીડા, ભૂતાવેશ, શત્રુ, ચેર, મદાંધ રાજા તથા કુસ્વપ્નનું અનિષ્ટ વગેરે શાંત / ક્ષય થઈ જતાં હતાં. તેમનાં ચરણોદકથી સર્પ છે. ૨૮ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy