SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શાસનપ્રભાવક ભાષાનુ લાલિત્ય, શૈલીની સુંદરતા મુક્ત ઝરણાની જેમ ભાવાના અસ્ખલિત પ્રવાહ વહાવે છે. આ ગ્રંથ મુખ્યત્વે ધ કથાનુયાગ છે. તેમાંનાં વર્ણન જોતાં ચારે અનુયાગા ઘટી શકે છે. આ કથામાં ન્યાય, દન, આયુવેદ, યેાતિષશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, ધાતુવિદ્યા, વ્યાપાર, યુદ્ધનીતિ આદિ વિવિધ વિષયાનુ વર્ણન છે. આ કથાના આઠ પ્રસ્તાવ છે. પ્રથમ પ્રસ્તાવ વિષયની ભૂમિકા રૂપે છે. ખીા પ્રસ્તાવમાં ક, જીવ અને સ'સારની અવસ્થાઓનુ` રૂપક રૂપે વર્ણન છે. ત્રીજા પ્રસ્તાવમાં ક્રોધ, વિષયાસક્તિની પરિણતિ કથાના માધ્યમથી સમજાવી છે. ચેાથા પ્રસ્તાવમાં પેાતાના પ્રતિપાદ્ય વિષયનું વિસ્તારથી વર્ણન અને અનેક અવાન્તર કથાઓ છે. આઠમાંથી ચાર પ્રસ્તાવ મહત્ત્વના છે. તેમાંય ચેાથે પ્રસ્તાવ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, ‘ઉપમિતિભવપ્રપંચ કથા ’ ગ્રંથ પૂર્ણ થયા પછી એનું વાચન ભિન્નમાલ નગરમાં કર્યું હતું. આ ગ્રંથની પ્રતિલિપિ ‘ ગણા’ નામનાં સાધ્વીએ તૈયાર કરી હતી. તે દુ॰સ્વામીના આજ્ઞાવતિની હતાં. આ ગ્રંથ વિ. સ. ૯૬૨ માં જેઠ સુદ પાંચમને ગુરુવારે પૂર્ણ થયા હતા. ઉપશમભાવથી પરિપૂર્ણ આ કથાવાચન સાંભળી લાક પ્રસન્ન થયા અને જૈનસંઘે આચાય સિદ્ધષિ`સૂરિને સિદ્ધવ્યાખ્યાતા 'ની પદવી અર્પી હતી. આ કથા વિ. સ. ૯૬૨માં રચાયેલી હોવાથી આચાય સિદ્ધષિ`ના સમય વિક્રમની દસમી સદી સિદ્ધ થાય છે. ન્યાયશૈલીની ટીકા રચનારાઓમાં અગ્રેસર, સમર્થ આગમ ટીકાકાર આચાર્ય શ્રી શીલાંકરિજી મહારાજ ટીકાકાર આચાયૅ માં શ્રી શીલાંકસૂરિનું નામ પ્રસિદ્ધ છે. તેમનાં બીજા નામેા શીલાંકાચાય, શીલાચા, વિમલમતિ, તત્ત્પાદિત્ય વગેરે છે. સંસ્કૃત અને પ્રાકૃત અને ભાષા પર તેમનુ પ્રભુત્વ હતું. ન્યાયશૈલીની ટીકા રચનારાઓમાં તેએ સૌથી પહેલા છે. આજે પ્રાપ્ત થતી આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રની વિશાળ ટીકાએ તેમની વિદ્વત્તાની પરિચાયક છે. આચાય શીલાંકસૂરિની ગુરુપરંપરાના સંબંધ નિવૃત્તિકુલ સાથે છે; નિવૃત્તિકુલ ( ગચ્છ )ના આચાય માનદેવસૂરિ તેમના ગુરુ છે. આચારાંગસૂત્રની ટીકામાં પેાતાને ‹ નિવ્રુત્તિકુલીન ’અને ચઉપન્નમહાપુરિસચરિય''માં પોતાને માનદેવસૂરિના શિષ્ય બતાવ્યા છે. આ સિવાય તેમના ગૃહસ્થજીવનની વિગતા કે સાધુજીવનની વિગતો મળતી નથી. C ' શ્રી શીલાંકાચાયે આગમ પર ટીકાએ રચવાનું યશસ્વી કાર્ય કર્યું છે. તેમણે · ચવન્નમહાપુરિસચરિય' ’, આચારાંગ ટીકા, સૂત્રકૃતાંગ ટીકા, ભગવતીસૂત્રની ટીકા, જીવસમાસની વૃત્તિ વગેરે ગ્રંથાની રચના કરી છે. આ સંગ્રથા ગાંભુ ગામે રચ્યા છે. પ્રભાવકચરિત્ર પ્રમાણે શ્રી શીલાંકાચાર્ય અગિયાર અગશાસ્ત્રા-આગમે! પર ટીકા રચી હતી. પણ વર્તમાનમાં માત્ર આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્ર પરની ટીકાએ જ મળે છે, જેને પરિચય આ પ્રમાણે છે : આચારાંગ ટીકા : બંને શ્રુતસ્ક ંધા પર રચેલી આ ટીકાનું ગ્રંથ પ્રમાણ ૧૨૩૦૦ લેાક છે. મૂળ અને નિયુક્તિના આધારે આગમના પ્રથમ શ્રુતસ્કંધનું મહાપરિજ્ઞા નામનું સાતમું અધ્યયન Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy