SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા ૨૧૩ મહાન દાર્શનિક, સમર્થ વ્યાખ્યાકાર અને ‘ ઉપમિતિભવપ્રપ’ચકથા ’ જેવા મહાન ગ્રંથના સક આચાર્ય શ્રી સિદ્ધષિ સૂરિજી મહારાજ પ્રભાવક જૈનાચાની પરપરામાં શ્રી સિદ્ધર્ષિસૂરિ પ્રકાંડ વિદ્વાન, મહાન દાર્શનિક, સમર્થ વ્યાખ્યાકાર અને મેધાવી આચાય હતા. સ`સ્કૃત ભાષા પણ તેમનુ' અદ્ભુત પ્રભુત્વ હતુ'. તેમણે રચેલ ‘ ઉપમિતિભવપ્રપ`ચ ' કથા જૈન સાહિત્યના ઉત્તમ ગ્રંથ છે. .. પ્રભાવક ચરિત્ર પ્રમાણે આચાય સિદ્ધર્ષિં શ્રી વસેનસૂરિના નાગેન્દ્ર, નિવૃત્તિ, ચન્દ્ર અને વિદ્યાધર – એ ચાર મુખ્ય શિષ્યેામાં શિષ્ય નિવૃત્તિસૂરિના નામથી પ્રવતેલ નિવૃત્તિગચ્છમાં થયેલા શ્રી સૂરાચાના શિષ્ય ‘ ક-વિપાક-વિચાર ’ અને જ્યાતિષશાસ્ત્રના પ્રખર વિદ્વાન આચાય ગષિઁના પ્રશિષ્ય શ્રી દુર્ગાસ્વામીના શિષ્ય હતા. આચાર્ય શ્રી ગષિના વરદ્દ હસ્તે તેમણે દીક્ષા અ’ગીકાર કરી હતી. ઉપમિતિભવપ્રપ’ચકથા 'ની પ્રશસ્તિમાં સિદ્ધષિ એ ધ બાધદાયક ગુરુના રૂપમાં ચાકિની મહત્તાસૂનું શ્રી હરિભદ્રસૂરિનું સ્મરણ કર્યુ છે. તેમણે પોતાની ગુરુપર’પરામાં લાટ દેશના આભૂષણરૂપ સૂરાચાય ના સર્વપ્રથમ ઉલ્લેખ કર્યો છે અને તેમને નિવૃત્તિકુળના બતાવ્યા છે. સૂરાચાય પછી ઠેલ્લમહત્તરાચાય ને ઉલ્લેખ છે, જે જ્યેાતિષશાસ્ત્રના અને નિમિત્તશાસ્ત્રના સમર્થ વિદ્વાન હતા. તેમના શિષ્ય દુર્ગા સ્વામી હતા. દુર્ગા સ્વામીના જન્મ બ્રાહ્મણકુળમાં થયા હતા. સિદ્ધષિ એ દુ`સ્વામી પછી દીક્ષાગુરુ ગષિને નમસ્કાર કર્યો છે. આગળનાં પદોમાં દુર્ગંસ્વામીની ભાવપૂર્ણ પદમાં સ્તુતિ કરી છે. પ્રશસ્તિ મુજબ સિદ્ધાર્ષના ગુરુ દુસ્વામી હતા. સિદ્ધષિ`ને જન્મ શ્રીમાલપુર ( ભિન્નમાલ )માં થયેા હતો. તેમનુ ગાત્ર શ્રીમાલ હતુ. રાજા ધર્મપાલના મંત્રી સુપ્રભદેવને બે પુત્રા હતા : દત્ત અને શુભંકર, દત્તના પુત્રનું નામ માઘ અને શુભ કરના પુત્રનું નામ સિદ્ધ હતુ.. · શિશુપાલવધ ' આદિ મહાકાવ્ય દ્વારા માઘની પ્રસિદ્ધિ મહાકિવ તરીકે થઇ. શુભ'કરના પુત્ર સિદ્ધ (સિદ્ધષિ)ની માતાનું નામ લક્ષ્મી અને પત્નીનુ નામ ધન્યા હતુ. પ્રભાવકચરિત્ર, પુરાતનપ્રબધસંગ્રહ વગેરે ગ્રથા પ્રમાણે કવિ માઘ અને સિદ્ધષિ બંને મંત્રી સુપ્રભદેવના પૌત્ર હતા. કવિ માઘ સિદ્ધષિના પિતાના મેાટાભાઈના પુત્ર હતા. - શિશુપાલવધુ ’મહાકાવ્યની પ્રશસ્તિમાં મહાકવિ માઘે પોતાના પિરવારને પરિચય આપતાં બતાવ્યું છે કે, શ્રી વલ રાજાના સર્વાધિકારી મંત્રી સુપ્રભદેવ હતા. તેમના પુત્રનુ નામ દત્તક હતું. દત્તકના પુત્ર માથે આ ગ્રંથની રચના કરી છે. રાજા વલ, મંત્રી સુપ્રભદેવ, મ`ત્રીપુત્ર દત્તક તથા દત્તકના પુત્ર કવિ માઘ સંબંધી ઉલ્લેખ પ્રભાવકચરિત્ર, પુરાતનપ્રખ`ધસ ગ્રહ અને ‘ શિશુપાલવધ ’ કાવ્યની પ્રશસ્તિમાં એકસરખા છે. સિદ્ધના જીવનમાં ઉદારતા, આજ્ઞાંકિતતા આદિ અનેક ગુણ્ણા વિકાસ પામ્યા હતા, પણ તેને જુગાર રમવાની જબરી આદત પડી ગઈ હતી. તે હ ંમેશાં અડધી રાત પછી ઘેર આવતા. સિદ્ધની પત્ની ધન્યાને તેની પ્રતીક્ષામાં રાત્રિ-જાગરણ કરવું પડતું. પતિની આ ટેવથી પત્ની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy