SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શાસનપ્રભાવક નિર્વાણુ સં. ૧૨૭૭ (વિ. સં. ૮૦૭)માં અને આચાર્ય પદ વીનિર્વાણુ સ. ૧૨૮૧ (વ. સ’. ૮૧૧)માં પ્રાપ્ત થયાં હતાં. આચાર્ય પદગ્રહણ વખતે તેમની વય ૧૧ વર્ષની હતી. તેમને સ્વવાસ વીરનિર્વાણુ સ ૧૩૬૫ (વિ. સ’. ૮૯૫)માં બતાવવામાં આવ્યેા છે. તે આધારે તે વીરનિર્વાણુની તેરમી ( વિક્રમની નવમી) શતાબ્દીના પ્રભાવક આચાર્ય હતા. ‘ કુવલયમાળા ’ ગ્રંથના કર્તા, સ્વપરસમય-વિશારદ, દાક્ષિણ્યાંક આચાર્ય શ્રી ઉદ્યોતનસૂરીશ્વરજી મહારાજ કુવલયમાળા ’ના કર્તા શ્રી ઉદ્યોતનસૂરિ દાક્ષિણ્યચિહ્ન નામથી પ્રસિદ્ધ છે. તેઓ વિભિન્ન દનાના ધુર ંધર વિદ્વાન હતા. સામુદ્રિકશાસ્ત્ર, જ્યોતિષવિદ્યા અને ધાતુવિજ્ઞાન આદિ વિવિધ વિષયેાના વિશિષ્ટ જ્ઞાતા હતા. તેમના શરીરના જમણા ભાગમાં સાથિયાનું ચિહ્ન હાવાથી તેઓ દાક્ષિણ્યચિહ્ન કે દાક્ષિણાંક તરીકે પ્રસિદ્ધ થયા હતા. શ્રી ઉદ્યોતનસૂરિ ગુરુપરંપરામાં યુગપ્રધાન હિરગુપ્તસૂરિ નામે આચાય થયા છે. તેમનુ બીજું નામ રાજર્ષિ હાલિસૂરિ હતું અને તેમનાથી હાદ્દિલ વંશ ગચ્છ ) નીકળ્યેા હતેા. હરિગુપ્તસૂરિ ઇતિહાસપ્રસિદ્ધ તેરમાણુ ' રાજાના ગુરુ હતા. મહાકિવ દેવગુપ્ત હરિગુપ્તસૂરિના મુખ્ય શિષ્ય હતા. શ્રી દેવગુપ્તસૂરિના શિષ્ય શિવચંદ્રગણિ હતા. શિવચંદ્રગણિના શિષ્ય ક્ષમાશ્રમણ યજ્ઞદત્તગણ હતા. યજ્ઞદત્તણને અનેક શિષ્યા હતા. તેમાં છ મુખ્ય શિષ્યામાં એકનું નામ વટેશ્વર ક્ષમાશ્રમણ હતું. વટેશ્વરના શિષ્ય તત્ત્વાચા હતા. તત્ત્વાચાય ના શિષ્ય ઉદ્યોતનસૂરિ હતા. આ ગુરુપરંપરા ‘ કુવલયમાળા'ની પ્રશસ્તિમાં મળે છે. C , " શ્રી ઉદ્યોતનસૂરિએ સૈદ્ધાંતિક ગ્રંથાના અભ્યાસ આચાર્ય શ્રી વીરભદ્રસૂરિ પાસે અને ન્યાયશાસ્ત્રના અભ્યાસ યાકિની મહત્તરાનૂનુ શ્રી હરિભદ્રસૂરિ પાસે કર્યાં હતા. શ્રી ઉદ્યોતનસૂરિ વિશિષ્ટ વ્યાખ્યાનકાર તેમ જ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રકાંડ પડિત હતા. ‘કુવલયમાળા ’તેમણે ચમ્પૂશૈલીમાં રચેલી પ્રાકૃત કથા છે, ગદ્ય-પદ્યમિશ્રિત મહારાષ્ટ્રી પ્રાકૃતની પ્રસાદપૂર્ણ રચના છે, પૈચાશી, અપભ્રંશ અને સંસ્કૃત પ્રયાગોએ પણ આ કથાને સુ ંદરતા અર્પી છે. વિવિધ અલંકારો, પ્રહેલિકા અને સુભાષિતા તેમ જ માર્મિક પ્રશ્નોત્તર, વિવિધ પ્રકારની વણિક એલીઓના માધ્યમથી મધુર રસપાન કરાવતી આ કથા પાઠકોના મનને મુગ્ધ કરે તેવી ભાવવાહી છે. અનેક દેશ્ય શબ્દોના પ્રયાગ પણ આ કથામાં કરવામાં આવ્યા છે. ક્રાધ, માન, માયા, લેાભ આદિનાં દુઃખદ પિરણામ બતાવવા માટે કિવએ સરળ નાની કથાએના પ્રયોગ ગૂંથીને આ કથામાં મધુબિંદુની જેમ આકર્ષણ ભર્યું છે. બાણુ કવિની કાર્દ...બરી જેવા આ અદ્ભુત ગ્રંથ છે. શ્રી ઉદ્યોતનસૂરિએ આ ગ્રંથ જાલેારમાં લખીને પૂર્ણ કર્યાં હતા. કુવલયમાળા 'ના અંતે પ્રાપ્ત થતા ઉલ્લેખા મુજબ આ ગ્રંથની સમાપ્તિ શક સંવત ૭૦૦ પૂર્ણ થવાના એક દિવસ પહેલાં થઈ છે. આ આધારે શ્રી ઉદ્યોતનસૂરિને સમય વીરનિર્વાણુ સ. ૧૩૦૪ (વિ. સ’. ૮૩૪) નિર્ણીત થાય છે. 6 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy