SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણુભગવંતો ૧૯૩ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પિતાના ગ્રંથમાં ગુરુપરંપરાને ઉલ્લેખ કર્યો નથી. અંકેટ્ટિક ગામમાંથી પ્રાપ્ત થયેલી બે પ્રતિમાઓ પર કરેલા લેખમાં નિવૃત્તિકુળના આચાર્ય જિનભદ્રને ઉલ્લેખ છે. આ ઉલ્લેખ ભાગ્યકાર શ્રી જિનભદ્રગણિ સાથે સંબંધવાળે જણાય છે. શ્રી જિનભદ્રગણિની પ્રસિદ્ધિ ક્ષમાશ્રમણ તરીકે છે, પરંતુ વાચક-ક્ષમા શ્રમણ વગેરે નામો એકાઈ વાચક છે. પ્રસ્તુત પ્રતિમાના લેખના આધારે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ નિવૃત્તિકુળના સિદ્ધ થાય છે. નિવૃત્તિકુળને સમય શ્રી વાસેનસૂરિના શિષ્ય નિવૃત્તિ સાથે છે. આથી શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આર્ય સુહસ્તિસૂરિની પરંપરામાં થનારા વાસેનશાખીય સંભવે છે. (વલભીના જેનભંડારમાં શ્રી જિનભદ્રગણિકત વિશેષાવશ્યક ભાષ્યની એક પ્રતિ પ્રાપ્ત થઈ છે તે શક સં. પ૩૧ માં લખાઈ છે. એથી એ જિનભદ્રગુણિને વલભી સાથે કઈને કઈ પ્રકારને વિશેષ સંબંધ હોય તેમ અનુમાન થાય છે. જેસલમેર ભંડારની વિશેષાવશ્યક ભાષ્યની એક પ્રતિના અંતમાં બે ગાથાઓ મળે છે તેમાં પણ વલભીનગરીને ઉલ્લેખ મળે છે. જીવકલ્પ ચૂર્ણિકાર શ્રી સિદ્ધસેનગણિએ ચૂર્ણિની છ ગાથાઓમાં શ્રી જિનભદ્રગણિની ભાવપૂર્ણ શબ્દોમાં પ્રશંસા કરી છે, તેને સાર આ પ્રમાણે છે: “શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અથગમના ધારક હતા; યુગપ્રધાન હતા. જ્ઞાનીજનેમાં મુખ્ય હતા; દર્શને પગ અને જ્ઞાને પગના વિશિષ્ટ જ્ઞાતા હતા. સુવાસથી આકર્ષાઈને જેમ ભ્રમરો કમળને સેવે છે તેમ, જ્ઞાનરસના પિપાસુ મુનિએ શ્રી જિનભદ્રગણિના મુખમાંથી નીકળેલા જ્ઞાનામૃતનું પાન કરવા સદા ઉત્સુક રહેતા. સ્વસમય-પરસમય આદિ વિવિધ વિષયે પર આપેલાં વ્યાખ્યાનેથી તેમને યશ દશે દિશાઓમાં ફેલાય હતે. તેમણે પિતાના બુદ્ધિબળથી આગમને સાર વિશેષાવશ્યક ભાષ્યમાં ગૂંથેલ છે. છેદસૂત્રોના આધારે પ્રાયશ્ચિત્તનાં વિધિવિધાન સંબંધી જીતસૂત્રની તેમણે રચના કરી છે. આ રીતે અનેક વિશેષતાઓના સ્વામી આગમવેત્તા સંયમશીલ ક્ષમાશ્રમના અગ્રણે જિનભદ્રગુણિને હું નમસ્કાર કરું છું.” શ્રી સિદ્ધસેનગણના આ વર્ણનથી શ્રી જિનભદ્રગણિના વિશિષ્ટ વ્યક્તિત્વને પરિચય મળે છે. આગમના વ્યાખ્યામાં નિર્યુક્તિ બાદ ભાષ્યને ક્રમ આવે છે. નિર્યુક્તિની જેમ ભાષ્ય પદ્યબદ્ધ પ્રાકૃતમાં છે. નિયુક્તિની અપેક્ષાએ ભાષ્ય અર્થને અધિક સ્પષ્ટ કરે છે. ઘણી વખત આગમને ગૂઢાર્થ સમજવામાં નિર્યુક્તિ અને નિર્યુક્તિના પારિભાષિક શબ્દોમાં ગૂંથાયેલા અને સ્પષ્ટ કરવા માટે ભાગેની રચના થઈ છે. વર્તમાનમાં મુખ્યત્વે બે ભાગ્યકારોનાં નામ મળે છે: ૧. સંઘદાસગણિ અને ૨. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ. એ બે ભાષ્યકાર સિવાય ત્રીજા ભાષ્યકાર વ્યવહારભાષ્યના કર્તા અને ચોથા ભાષ્યકાર બૃહત્ક૫ બૃહદ્ ભાષ્યના કર્તા છે. ભાષ્યની રચના નિયુક્તિઓ પર થઈ છે. કેટલાંક ભાષ્યનો આધાર મૂળસૂત્ર પણ છે. નીચેના આગમગ્રંથ પર ભાષ્ય લખાયાં છેઃ ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન, ૪. બૃહત્કલ્પ, પ. પંચકલ્પ, ૬. વ્યવહાર, ૭. નિશીથ, ૮. જીવકલ્પ, ૯ એઘિનિયુક્તિ, ૧૦. પિંડનિયુક્તિ. સંઘદાસગણિનાં બે ભાગ્ય મળે છે: ૧. બૃહત્કલ્પ લઘુભાષ્ય અને ૨. પંચકલ્પ મહાભાષ્ય. શ્ર. ૨૫ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy