SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતા-૧ એવી અભેદ અને અભિન્ન સ્થિતિ બંને વચ્ચે રહેલી છે. નવપદમાં સાધનાથી સિદ્ધિ સુધીના સુરેખ નકશે અ ંકિત થયેલા છે. જીવે શિવ બનવાનુ છે અને એ માટે સાધના જરૂરી છે. નીચેની કક્ષાએથી નવપદને નિહાળીએ તેા જ્ઞાન-દન-ચારિત્ર-તપ : આ સાધનામાર્ગ છે. આચાય ઉપાધ્યાય –મુનિ : એના સાધકે છે. એમની સામે વીતરાગના પ્રતીક શ્રી અરિહંતદેવ સાધ્ય છે અને સિદ્ધિ તરીકે સૌનુ ધ્યેય સિદ્ધપદ છે. આમ, અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, સાધુ – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ : આ નવપદમય · સિદ્ધચક્ર ’માં સ ́પૂર્ણ જૈનશાસન સમાય છે. જગતમાં જૈનશાસનનુ અસ્તિત્વ એના સાધુએ, મદિરા ઉપાશ્રયા અને આગમસાહિત્યથી જાણી શકાય છે. અરિહંતાદિ પાંચ પદે તેા નામ પરથી જ એળખાઈ જાય તેવાં છે. જ્ઞાનપદમાં સમ્યક્ જ્ઞાન અને એનાં સાધન ૪૫ આગમ આદિ આવે. દશનપદમાં જિનમદિર, જિનપ્રતિમા આદિ આવે. ચારિત્રપદમાં સાધુતાની સાધનામાં સાધક સહાયક આઘે, પાત્રા આદિ ઉપકરણા આવે અને તપપદમાં તપના ભેદ–પ્રભેદોના સમાવેશ થાય. આમ, નવપદમાં બધુ જ આવી જાય છે. આ વાતને વધુ સ્પષ્ટ રીતે જોઇએ તે, નવપદમાં દેવતત્ત્વ, ગુરુતત્ત્વ, ધર્માંતત્ત્વ છે. કોઈ પણ ધર્મીમાં આ ત્રણ તત્ત્વ અવશ્ય હોવાનાં જ. એથી જૈનધર્મની દરેક શાસ્ત્રોક્ત પ્રવૃત્તિ-ઉપદેશ આ ત્રણ તત્ત્વને પુષ્ટ કરનાર આ ત્રણની આરાધના-ઉપાસના કરનારાં જ કહેવાશે. માટે જૈનધમ ને નવપદમય /ત્રણ તત્ત્વમય કહેવામાં જ એના દનના સાર છે. (જૈનાચાર્યોની કવિત્વશકિતના પ્રભાવ : શ્રી સિદ્ધસેન દિવાકરજી શીઘ્રકવિ હતા. કલ્યાણમંદિર-સ્તોત્રની રચના દ્વારા એમણે જે ચમત્કાર સ તે ઘટના ઇતિહાસમાં અમર બની ગઈ. એ કાવ્ય દ્વારા અવંતી પાર્શ્વનાથની પ્રતિમા સ્વયં પ્રગટ થઈ. પૂ. આ. શ્રી માનતુ ગસૂરિએ ભક્તામર સ્તોત્રની રચના કરી : ૪૮-૪૮ એડીએનાં તાળાં સ્વયં તૂટી ગયાં, બંધ દ્વારા સ્વયં ખૂલી ગયાં ! કલિકાલસર્વ જ્ઞ હેમચ’દ્રાચાયે સાડાત્રણ કરોડ લેાકપ્રમાણુ નવ્ય-ભવ્ય શાસ્ત્રનું સર્જન કરી મહાભારત કાય કર્યું. મહામહેાપાધ્યાયજી શ્રી મેઘવિજયજીએ સપ્તસ`ધાન મહાકાવ્ય રચ્યું. એક એક શ્લેાકમાંથી સાત સાત ચરિત્રના અર્થ નીકળે એવી તેની રચના છે! આવી દિવ્ય શક્તિને વંદન કર્યા વિના રહી શકાય જ નહીં ! શ્રી સમયસુંદરે અબ્દાલક્ષી ગ્રંથ રચ્યા અને એક વાકયના આઠ લાખ અર્થ કાઢવામાં આવ્યા ! આવી અદ્ભુત કવિત્વશક્તિને અહેભાવપૂર્વક કોટિશઃ વંદન કર્યાં વિના કેમ રહી શકાય ! ) ગુણગ્રાહી ભ્રમણાની સુવાસ અને સહવાસ : શ્ર. ૫ 33 મારા બાલ્યકાળથી જ નિત્ય શ્રમણાને વાંઢવા જતી વખતે મારા મનમાં અનન્ય Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy