________________
શ્રમણુભગવંત
૧૪૫
પાદલિપ્ત પાસે ગયા અને વિનમ્ર સ્વરમાં કહ્યું કે–આચાર્યપ્રવર ! રાજાના મસ્તકની પીડાને દૂર કરી કીતિ અને ધર્મનું ઉપાર્જન કરો.” મંત્રીની પ્રાર્થના સ્વીકારી આચાર્ય પાદલિપ્તસૂરિ રાજદરબારમાં પધાર્યા. પિતાની પ્રદેશિની આંગળીને ઢીંચણ પર ફેરવીને ક્ષણવારમાં તેમણે રાજાના મસ્તકની પીડાને ઉપશાંત કરી. પાદલિપ્તસૂરિની મંત્રવિદ્યાથી સંપૂર્ણ સ્વસ્થતાને પ્રાપ્ત કરી મહારાજા મુરુંડ તેમને ભક્ત બની ગયે.
એક વખત મુરુંડ રાજાએ વાર્તાલાપમાં આચાર્ય પાદલિપ્તસૂરિને પ્રશ્ન કર્યો કે– અમારા પગાર ખાનારા નેકર પગાર પ્રમાણે કામ કરે છે, જ્યારે આપના શિષ્ય પૈસાના લાભ વિના વગર પગાર આપનું કાર્ય કરવા તત્પર રહે છે, તેનું રહસ્ય શું છે?” પ્રત્યુત્તરમાં શ્રી પાદલિપ્તસૂરિએ કહ્યું કે–“રાજન ! ઉભયેલેકની હિતકામનાથી પ્રેરિત થઈ, શિષ્ય ગુરુનું કાર્ય કરવામાં ઉત્સુક રહે છે.” શ્રી પાદલિપ્તસૂરિના આ ઉત્તરથી મુરુંડ રાજાના મનનું પૂરું સમાધાન ન થયું. રાજાએ ફરી કહ્યું કે –“લેક પ્રવૃત્તિનું મુખ્ય નિમિત્ત ધન છે.” કેટલાક સમય સુધી બંનેમાં આ વિષયની ચર્ચા ચાલી. પોતપોતાની વાતને પ્રામાણિત કરવા માટે રાજાએ પિતાના પ્રધાનને અને આચાર્ય પાદલિપ્તસૂરિએ પિતાના નવ દીક્ષિત શિષ્યને આદેશ આપ્યું કે – “તમે તપાસ કરી આવો કે ગંગા કઈ દિશા તરફ વહે છે?” આ સાંભળી પ્રધાને વિચાર્યું કે–બાલમુનિની સાથે રહેવાથી રાજાની બુદ્ધિ પણ બાળક જેવી થઈ ગઈ છે. આવા સાધારણ પ્રશ્નને ઉત્તર તે સ્ત્રીઓ પણ આપી શકે. આ રીતે બડબડ કરતે પ્રધાન રાજાના આદેશ મુજબ ત્યાંથી ચાલ્યા ગયે અને પિતાના મિત્ર સાથે જુગાર રમવા લાગ્યા. જુગાર રમવામાં સમય પસાર કરી, રાજાની પાસે આવીને જણાવ્યું કે–“ગંગા પૂર્વાભિમુખ વહે છે. પરંતુ કેટલીક વ્યક્તિઓ દ્વારા રાજાએ જાણ્યું કે–પ્રધાને રાજાના આદેશનું જાતે જઈ પાલન કર્યું ન હતું. જ્યારે આ બાજુ પાદલિપ્તસૂરિના નવદીક્ષિત શિષ્ય ગંગાના કિનારા પર ગયા અને પૂરી તપાસ કરી. લોકોને પણ પૂછયું અને પૂરી જાણકારી મેળવી, ગુરુની પાસે આવીને વિનમ્ર શબ્દોમાં કહ્યું કે—“ગંગા પૂર્વાભિમુખ વહે છે.” તેમણે જાતે જઈ તપાસ કર્યાની વાત, પિતાના મોકલેલા માણસે દ્વારા જાણી મુરુંડ રાજા પ્રભાવિત થયા.
પાટલિપુત્રથી વિહાર કરી શ્રી પાદલિપ્તસૂરિ મથુરા પધાર્યા. ત્યાંથી લાટપ્રદેશમાં આવેલા કારપુર પધાર્યા. કાપુરમાં એ વખતે ભીમ રાજાનું રાજ હતું. વિદ્વાન આચાર્યશ્રીનું રાજાએ બહુ સન્માન કર્યું. એક વાર આચાર્ય પાદલિપ્તથી પ્રભાવિત થઈ લાટ પ્રદેશના પંડિતોએ તેમને પૂછ્યું “પૃથ્વીમંડળ પર વિચરતાં તમે કઈ ઠેકાણે ચંદનરસ સમાન શીતલ અગ્નિને જે છે કે સાંભળ્યું છે? ” શ્રી પાદલિપ્તસૂરિએ તરત જ કાવ્યમય ભાષામાં ઉત્તર આપ્યો કે—“પવિત્ર હૃદયવાળા, અપકીર્તિજન્ય દુઃખને વહન કરનારા પુરુષને અગ્નિ પણ શીતલ ચંદન સમાન લાગે છે.” આચાર્ય પાદલિપ્તસૂરિની મત્યુત્પન્ન પ્રતિભાના પ્રભાવથી પંડિત મુગ્ધ થયા.
શ્રીસંઘની વિજ્ઞપ્તિથી તેમની સાથે પધારી આચાર્ય પાદલિપ્તસૂરિએ શત્રુંજય તીર્થની યાત્રા કરી. ત્યાંથી તેઓ માનખેત્રપુર પધાર્યા. માનપુરમાં એ વખતે નરેશ કૃષ્ણનું રાજ હતું. છે. ૧૯
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org