SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક કરી રહ્યા છે. આ મહાવિદ્યાના પ્રભાવે હમેશાં ગૃહસ્થના ઘરેથી સરસ સરસ આહાર ખેંચી તેનાથી તેમણે ઉપભેગ કરવાનું શરૂ કરી દીધું છે. રસલુપ મુનિ ભુવનને સ્થવિરેએ વારંવાર ક્યા, પણ તે માન્યા નહિ. સ્થિતિ વિકટ બની છે. જેનસંઘની સાથે પોતાનો સંબંધ વિચછેદ કરી, વિદ્યાના ગર્વથી ગર્વિત ભુવન મુનિ બૌદ્ધોને મળ્યા છે, અને ત્યાં રહી આ વિદ્યાના આધારે આકાશમાગે આહારપાત્રો મેળવી બૌદ્ધોના ઉપાસકેને ઘેર મોકલે છે અને ભેજન થઈ ગયા પછી પાત્રને પાછો ખેંચી લે છે. આ ચમત્કારિક વિદ્યાના પ્રભાવથી અનેક જેને બૌદ્ધો થવા લાગ્યા છે. આ વિષમ પરિસ્થિતિ આપ ધ્યાન પર લે અને જે ઉચિત હોય તે કરે.” આર્ય પુરાચાર્ય આ વાત સાંભળી ભૃગુપુર પધાર્યા. તેમણે આકાશમાં એક શિલા વિમુર્તી રાખી. આથી આકાશમાગે જતાં આહારપાત્રે તેની સાથે અથડાતાં ભાંગીને ભુક્કો થવા લાગ્યાં. ભુવન મુનિ ગુરુ આવ્યા જાણે અન્યત્ર નાસી ગયા. આવી જ રીતે, પાટલિપુત્રમાં જેનસંઘ સામે એક ભયંકર સંકટ ઊભું થયું. ત્યાંના રાજા દાહડને જૈન મુનિઓને આદેશ મળે કે—તેઓ બ્રાહ્મણવર્ગને નમન કરેનહિતર તમારે શિરચ્છેદ થશે. રાજાની ઘોષણાથી જૈનસંઘમાં ચિંતા પેદા થઈ. આ ફક્ત જીવનસંકટને પ્રશ્ન ન હિતેપણ ધર્મસંકટને પણ પ્રશ્ન હતો. અનેક વિદ્યાસંપન્ન આર્ય ખપૂટાચાર્ય અને શિષ્યમંડળ જ આ સંકટથી જૈનસંઘને બચાવી શકે તેમ હતા. જેનસંઘે ભૃગુપુરમાં બે ગીતાર્થ સ્થવિર મુનિઓને આર્ય ખપૂટાચાર્ય પાસે મોકલ્યા. આર્ય ખપૂટાચા સઘળી પરિસ્થિતિ સમજીને તેને પ્રતિકાર કરવા માટે પિતાના વિદ્વાન શિષ્ય મહેન્દ્ર મુનિને ત્યાં મોકલ્યા. રાજા દાહડની સભામાં બ્રાહ્મણ પંડિતની સન્મુખ મુનિ મહેન્દ્ર લાલ તથા સફેદ કરેણની સેટીઓના માધ્યમથી વિદ્યાપ્રેગનું પ્રદર્શન કર્યું, જે જૈનસંઘના હિતમાં થયું. રાજા દાઉંડે જૈન મુનિવર્ગ માટે કઠેર આદેશ આપવા બદલ મુનિ મહેન્દ્ર પાસે ક્ષમા માગી. આ ઘટનાથી જૈનધર્મની મોટી પ્રભાવના થઈ. રાજા દાહડ અને બ્રાહ્મણવર્ગ પ્રતિબોધ પામ્યા. કેટલાક સમય પછી પેલા નાસી ગયેલા શિષ્ય ભુવને પણ પિતાના ગુરુ પાસે આવી પિતે કરેલા અવિનય અંગે ક્ષમા માગી અને શ્રમણસંઘમાં ભળી ગયા. ગુરુએ પણ તેને ક્ષમા આપી. પછી ભુવન મુનિ નિષ્ઠાવાન, વિનયવાન, ચારિત્રવાન અને શ્રતવાન બની સૌના વિશ્વાસપાત્ર બન્યા. આથી આચાર્ય પુસૂરિએ શિષ્ય ભુવન મુનિને યોગ્ય જાણી, આચાર્યપદે સ્થાપ્યા અને ત્યારબાદ પિતે અનશન કરી સ્વર્ગવાસ પામ્યા. આમ, આર્ય બપુરાચાર્યના જીવન સાથે અનેક ચમત્કારિક ઘટનાઓ જોડાયેલી છે. “પ્રભાવક ચરિત્ર” મુજબ આચાર્ય પુસૂરિ વીરનિર્વાણની પાંચમી સદીમાં થયા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy