SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ભગવતે ૧૪૧ વિદ્યાસિદ્ધ મહાન શાસનપ્રભાવક આચાર્યશ્રી આર્ય ખપૂટાચાર્ય મહારાજ આર્ય ખપૂટાચાર્ય મહાન મંત્રવાદી અને પ્રભાવક આચાર્ય હતા. જૈનશાસનમાં આઠ પ્રભાવક કહ્યા છે. તેમાં વિદ્યાબલ પર પ્રભાવના કરનારાઓમાં શ્રી ખપુરાચાર્યનું ઉદાહરણ આપવામાં આવે છે. વિશેષ વિદ્યાપ્રાપ્તિના કારણે પ્રબંધકોશકારે તેમને આચાર્યસમ્રાટ પણ કહ્યા છે. તેમના શિષ્યસમુદાયમાં ભુવન નામે એક શિષ્ય હતું. તે તેમને ભાણેજ હતું. બીજે મહેન્દ્ર નામે શિષ્ય હતો. આચાર્ય બપુસૂરિને ઉત્તરાધિકાર તેમના શિષ્ય ભુવનને પ્રાપ્ત થયે હતો. આ બને શિષ્યને ઉલ્લેખ પ્રભાવક ચરિત્રમાં આપવામાં આવેલ છે. આચાર્ય ખપુસૂરિએ તેમના શિષ્ય ભુવનને અનેક પ્રકારની વિદ્યાઓ આપી હતી. શીધ્રગ્રાહી બુદ્ધિના કારણે સાંભળવા માત્રથી કેટલીક વિદ્યાઓ તેમણે ગ્રહણ કરી હતી. ભૃગુકચ્છને રાજા બલમિત્ર શરૂઆતમાં બૌદ્ધભક્ત હતો. તેમની સભામાં મુનિ ભુવનને બૌદ્ધો સાથે માટે શાસ્ત્રાર્થ છે. રાજકીય સન્માન પ્રાપ્ત પ્રમાણસ, તર્ક, ન્યાયજ્ઞ બૌદ્ધભિખુ જેને કરતાં પોતાની જાતને ઉત્કૃષ્ટ માનતા હતા. મુનિ ભુવનના અકાય તેની સામે તે બૌદ્ધો પરાજય પામ્યા. તેથી જેનશાસન પર વિજય મેળવવા ઇચ્છતા વઢકર નામના બૌદ્ધાચાર્ય ગુડશસ્ત્રપુરથી ભૃગુકચ્છ આવ્યા. શાસ્ત્રાર્થમાં સ્યાદ્વાદવાદી મુનિ ભુવને તેમને પણ પરાજિત કર્યા. આથી જૈનશાસનની મહાપ્રભાવના થઈ ગુડશસ્ત્રપુરમાં એક વખત યક્ષને ઉપદ્રવ થવા લાગ્યું હતું. જેનસંઘ આ ઉપદ્રવથી વિશેષ આકાંત થયું હતું. ગુડશસ્ત્રપુરથી જૈનસંઘે મોકલેલ બે મુનિઓએ વિસ્તારપૂર્વક આ દુઃખદ ઘટના આચાર્ય પુસૂરિને કહી. આચાર્ય પુસૂરિએ પિતાના શિષ્ય ભુવન મુનિને પિતાની કપર્દિકા (વિશિષ્ટ વિદ્યાના સંબંધવાળું પુસ્તક) સેપીને કહ્યું કે, “વત્સ! આ કપર્દિકા હું તને આપું છું, તે તારે કેઈના હાથમાં આપવી નહિ; અને કૌતુકને વશ થઈ એને ખેલવી પણ નહિ.” સર્વ પ્રકારની ઉચિત શિખામણ આપી આચાર્ય પુસૂરિ ભૃગુપુરથી વિહાર કરી ગુડશસ્ત્રપુર પહોંચ્યા. ત્યાં સંઘને મળી સમગ્ર પરિસ્થિતિ જાણી. તેઓ યક્ષમંદિરમાં ગયા અને યક્ષના કાનમાં ઉપાન (જેડા) નાંખી સૂઈ ગયા. પૂજારી આ વ્યવહારથી કેપ પામ્યા. આ વાત તેણે રાજાના કાન સુધી પહોંચાડી. રાજા આચાર્ય ખપુસૂરિને મારવા લાગ્યા. યષ્ટિપ્રહાર આચાર્ય ખપુટસૂરિની પીઠ પર થતો હતો, પણ તેની કરુણ ચીસે અંતઃપુરમાં સંભળાવા લાગી. બધા આશ્ચર્ય પામ્યા. રાજા સમજી ગયો કે આ ચમત્કાર વિદ્યાસિદ્ધ યોગી છે. તે ખપુટાચાર્ય પાસે પહં. તેણે કઠેર આદેશ માટે ક્ષમા માગી. આ વિદ્યાબલથી પ્રભાવિત થઈ રાજા ખપુરાચાર્યને પરમ ભક્ત બની ગયે. યક્ષપ્રતિમા પણ તેમને દ્વાર સુધી પહોંચાડવા આવી. યક્ષને ઉપદ્રવ શાંત થે. આચાર્ય પુસૂરિ ઉપદ્રવ શાંત થયા પછી પણ સંઘની અતિ વિનંતિથી કેટલાક દિવસ ત્યાં રહ્યા. આ તરફ ભૃગુપુરમાં વિચિત્ર ઘટના બની. બે મુનિઓ ભૃગુપુરથી અપુરાચાર્ય પાસે આવ્યા. તેમણે જણાવ્યું કે, “આર્ય ! તમે નિષેધ કરવા છતાં મુનિ ભુવને આપની આપેલી કપર્દિકા બેલી. તેમાંથી તેમને આકૃષ્ટિ મહાવિદ્યા પ્રાપ્ત થઈ છે અને તે આ વિદ્યાને દુર્ગ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy