SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત-૧ ૨૯ માટે બનાવેલા ઉપાશ્રયમાં સાધુએ આવીને રહે, આરાધના કરે, એ એક આનુષંગિક મહાન લાભ છે. પણ સાધુઓ માટે જ બનાવાતે ઉપાશ્રય સાધુઓ માટે જ કયારેક દેષિત બની જતા હોય છે. દરેક જૈન પરિવારે પિતાનાં સંતાને માટે ધર્મસંસ્કારને મૂલ્યવાન વારસે આપવા ઘરમાં જ પાઠશાળા જેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. પરિવારમાં આવું વાતાવરણ વિકસી શકે નહિ તે માટે શ્રીસંઘે પાઠશાળારૂપે આ ફરજ અદા કરે છે. જેન પાઠશાળામાં ધાર્મિક જ્ઞાન જ આપી શકાય. ગુજરાત-મહારાષ્ટ્રમાં જેની પાઠશાળાઓના વિકાસ માટે શ્રેષ્ઠીશ્રી ખાંતિલાલ લાલચંદ અને તેના સાથી મિત્રો સારી જહેમત લઈ રહ્યા છે. તે જ રીતે દાનવીરેની સહાયથી આરાધના માટે નવા ઉપાશ્રયે પણ નિર્માણ પામી રહ્યા છે. ડહેલા ઉપાશ્રય ઃ ભગવાન મહાવીરની પાટ પરંપરામાં જગદ્ગુરુ પૂ. આ. શ્રી હીરવિજયસૂરિજી થયા. તેમના પ્રશિષ્યના પ્રશિષ્ય પૂ. પં. શ્રી સત્યવિજયજી થયા, જેમનાથી ડહેલાના ઉપાશ્રયની પરંપરા ચાલી છે. એ જ પરંપરામાં શ્રી પદ્મવિજયજી, રૂપવિજયજી, વીરવિજયજી આદિ કવિઓ થયા છે. અમદાવાદમાં સૌથી વડેરે ઉપાશ્રય આ ડહેલા ઉપાશ્રય છે, બીજી બધા તેમાંથી નીકળેલા છે. એ જ પરંપરામાં શ્રી ધર્મવિજયજી મહારાજ થયા. પૂ. શ્રી સત્યવિજયજીથી ધર્મવિજયજી સુધીની બધી જ પરંપરા પંન્યાસની જ ચાલી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પાસે લીંબડીમાં પણ વે. મૂ. જૈનોની સંખ્યા સારી એવી છે. લીંબડીના ઉપાશ્રય, પાઠશાળાઓ, ગ્રંથભંડારે જગપ્રસિદ્ધ છે. જૈનમુનિઓએ આ ગ્રંથભંડારોને સમૃદ્ધ કરવામાં સારી એવી જહેમત લીધી છે. આ સંબંધે સુરતના પ્રે. ડે. મુગટલાલ બાવીશીએ એક સુંદર નિબંધ તૈયાર કર્યો છે. જિજ્ઞાસુઓએ વાંચવા જેવું છે. રથયાત્રા-શોભાયાત્રા-દીક્ષાયાત્રાના વરઘોડા : રથયાત્રાના વરઘેડા મુખ્યત્વે તે શાસનપ્રભાવના માટે જ નીકળતા હોય છે. અજેને પણ જૈનશાસનની પ્રભુભક્તિ જોઈને અનુમોદનામાં ભાગીદાર થાય તે માટે વરઘડા કાઢવામાં આવે છે. એમાંયે આ વરઘોડાનું આયોજન શાસ્ત્રીય મર્યાદા મુજબ હોય તે કેટલાયે અજેનો જેનધર્મની અનુમોદના કરનારા બની જાય. વીતરાગ જિનેશ્વર ભગવંતને રથમાં બિરાજમાન કરી સાદર–વિવેકપૂર્વક નગરમાં ફેરવવા, અન્ય જીવોને પ્રભુના દર્શન થાય, સમ્યક દર્શન–બેલિબીજની પ્રાપ્તિ થાય, શ્રાવકેનાં આંગણું પાવન થાય? આ ઉદ્દેશ સાથે રથયાત્રાનું આયોજન થાય છે. પચ્ચકખાણ” શું છે? પચ્ચકખાણુ” પ્રાકૃત શબ્દ છે. એનો પ્રાથમિક અર્થ પ્રતિજ્ઞા થાય છે. અસંયમિત જીવનને સંયમિત અને નિયમિત બનાવવું, એ આ પ્રતિજ્ઞાને ઉદ્દેશ છે. જૈન ધર્મમાં આવાં પચ્ચકખાણે અનેક પ્રકારનાં છે. એક જ વાર ખાવું, બે જ વાર ખાવું, એક વાર પણ લખ્યું જ ખાવું વગેરે પ્રતિજ્ઞાઓ એકાસણું, બિયાસણું, આયંબિલ તરીકે ઓળખાય છે. આના પ્રભાવે મનની આશાડ ઉપર કાબૂ આવી જાય છે, અનેક પાપથી બચી જવાય છે. સામાન્ય રીતે ૪૮ પાપને ત્યાગ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy