SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણુભગવંત ૧૧૭ સુહસ્તિસૂરિનાં ચરણે પાસે બેસી પ્રવચન સાંભળતા હતા ત્યારે ત્યાં આર્ય મહાગિરિ પધાર્યા. આર્ય સુહસ્વિએ ઊભા થઈને તેમને વંદન કર્યા. આર્ય મહાગિરિ પ્રત્યે આર્ય સુહસ્તિનું આ સન્માન ઈ વસુભૂતિના હૃદયમાં આશ્ચર્ય સહ જિજ્ઞાસા જાગી. આર્ય મહાગિરિ પાછા ફર્યા પછી વસુભૂતિ શેઠે આર્ય સુહસ્તિસૂરિને પૂછ્યું કે –“ભગવદ્ ! આપ શ્રુતસંપન્ન મહાપ્રભાવી આચાર્ય છે. આપનાથી પણ કેઈ મોટું છે?” વિનમ્રભાવે શ્રી સુહસ્તિસૂરિએ કહ્યું, “હે ભાગ્યવાન ! આ મારા ગુરુ છે. મહાન સાધક, વિશિષ્ટ તપસ્વી અને દઢ અભિગ્રહવાળા છે. તેમ જ અંત, પ્રાન્ત, નીરસ પ્રક્ષેપ એગ્ય ભિક્ષા ગ્રહણ કરે છે, અભિગ્રહ પ્રમાણે ભિક્ષા ન મળે તે ઉપવાસ કરે છે.” આર્ય સુહસ્તિસૂરિ પાસેથી મહાતપસ્વી આર્ય મહાગિરિને પરિચય પામી શ્રેષ્ટિ વસુભૂતિ અત્યંત પ્રભાવિત થયા. આર્ય સુહસ્તિસૂરિ શ્રેણી પરિવારને ઉધન કરી સ્વસ્થાને પાછા ફર્યા. આર્ય મહાગિરિને લક્ષમાં રાખી પિતાના પરિવારને આ વાત કરતાં શ્રેષ્ઠી વસુભૂતિએ કહ્યું કે—“આપણું ઘેર જ્યારે આવા મહા-અભિચહધારે તપસ્વી મુનિવર પઘારે તે તેમને ભજન પ્રક્ષેપગ્ય છે એમ કહી આપવું. આવી રીતનું સાધુદાન મહાલદાયી હોય છે.” આર્ય મહાગિરિ ભિક્ષાચર્યા માટે બીજે દિવસે ફરતાં ફરતાં ગાનુગ શ્રેણી વસુભૂતિને ઘેર પધાર્યા. દાન દેવામાં તત્પર તે લોકેએ કહ્યું કે–“હે મુનિવર ! આ મેદ, અમારે માટે પરિત્યક્ત ભજન છે. અમે હંમેશાં દૂધ સાથે આ મોદક ખાઈએ છીએ, પણ આજે સરસ ઘી-સાકર સાથે પરિપૂર્ણ ભજન કરેલ હોવાથી અમારે આ મેદક વાપરવાનું કે પ્રજન નથી.” આર્ય મહાગિરિ પિતાની પ્રતિજ્ઞામાં પૂર્ણ જાગૃત હતા. શ્રેષ્ઠી વસુભૂતિના પરિવારની મર્યાદાથી વધારે ભક્તિ અને ચેષ્ટા જોઈ તેમણે વિશેષ ઉપગ મૂક્યો અને અપાતી સામગ્રી પિતાની પ્રતિજ્ઞાને અનુરૂપ ન જોઈ તેમણે ગ્રહણ ન કરી. આર્ય મહાગિરિ ભિક્ષા લીધા વિના જ ત્યાંથી પાછા ફર્યા. જયારે આર્ય મહાગિરિ સુહસ્તિને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે—“સુહસ્તિ! તમે તે દિવસે શ્રેષ્ઠી વસુભૂતિની સામે મારું સન્માન કરી મારા માટે ત્યાં આહાર વહોરવા જતાં અનેષણય સ્થિતિ ઊભી કરી છે.” આર્ય સુહસ્તિએ આર્ય મહાગિરિનાં ચરણોમાં નમી ક્ષમાપ્રાર્થના કરતાં કહ્યું કે –“આવી ભૂલનું આગળ પુનરાવર્તન નહિ કરું.” આ ઘટના આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિને ગુરુશિષ્યતુલ્ય અનન્ય સંબંધ પ્રકાશિત કરે છે. કલ્પસૂત્ર સ્થવિરાવલીમાં આર્ય મહાગિરિના વિશાળ શિષ્ય પરિવારમાં આઠ મુખ્ય શિષ્યને ઉલ્લેખ છે. તેમનાં નામ આ પ્રમાણે છે: (૧) ઉત્તર, (૨) બલિસ્સહ, (૩) ધનાઢ્ય, (૪) આડ્ય, (૫) કૌડિન્ય, (૬) નાગ, (૭) નાગમિત્ર, (૮) રેહગુપ્ત. આ શિષ્યમાં ઉત્તર અને બિસ્સહ પ્રભાવક શિષ્ય હતા. આ આઠ શિષ્યને સમય જતાં તેઓ પરંપરાગત શિષ્ય હોવાનું એક અનુમાન થાય છે. આર્ય મહાગિરિ વિશુદ્ધતમ ચારિત્રપાલક, જિનકલ્પતુલ્ય સાધનાના વિશિષ્ટ સાધક તેમ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy