SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શાસનપ્રભાવક આર્ય મહાગિરિનો જન્મ એલેપત્ય ગોત્રમાં થયો હતો. તેમના જન્મ વીરનિર્વાણ સં. ૧૪૫ બતાવવામાં આવે છે. પરિશિષ્ટ પર્વ આદિ ગ્રો પ્રમાણે આર્ય મહાગિરિનું બાલ્યાવસ્થામાં લાલન-પાલન આર્યા સાધ્વી યક્ષા દ્વારા થયું હતું, તે કારણે તેમના નામ પૂર્વે આર્ય” વિશેષણ જોડવામાં આવે છે. આર્ય મહાગિરિજી બાલ્યકાળથી તેજસ્વી હતા. આર્યા યક્ષાના માર્ગદર્શન મુજબ તેમના જીવનને ધર્મમાગે બહુમુખી વિકાસ થયો હતે. આથી સંસારથી વિરક્ત બની ૩૦ વર્ષની વયે તેમણે આચાર્ય સ્થૂલિભદ્ર પાસે વીરનિર્વાણ સં. ૧૫માં દીક્ષા ગ્રહણ કરી. તેઓ ગુરુના સાન્નિધ્યમાં ૪૦ વર્ષ સુધી રહ્યા. તે સમયમાં તેમણે ૧૧ અંગોનું અને દશ પૂર્વોનું વિશદ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આચાર્ય શૂલિભદ્રના નિર્વાણ બાદ વીર સં. ૨૧૫ થી ૨૪૫ સુધી ૩૦ વર્ષ તેમણે યુગપ્રધાનપદ શોભાવ્યું હતું આચાર્ય શૂલિભદ્રને આર્ય મહાગિરિ જેવા જ એક બીજા શિષ્ય હતા, જેમનું નામ આર્ય સુહસ્તિ હતું. આ બંને શિષ્યરત્ન અને પટ્ટધરો હતા. આ મહાગિરિ આર્ય સુહસ્તિથી ઉંમરમાં ૪૬ વર્ષ મોટા અને દીક્ષા પર્યાયમાં ૩૯ વર્ષ મોટા હતા. કાળક્રમે આ બંને બાલ્યાવસ્થામાં આર્યા યક્ષા સાધ્વીજીના આશ્રયે વળ્યા હતા. આથી આ બંનેનાં નામ આગળ “આર્ય” વિશેષણ જવામાં આવે છે. બંનેના ઉછેર અને સુસંસ્કાર એક જ સ્થાને થયા હોઈ, બંનેને માર્ગ પણ એક જ-ત્યાગમાર્ગ–રહ્યો. અ ન્યભાવ પણ અનન્ય હતો. પ્રજ્ઞા, સંયમસાધના અને શાસનરાગ પણ બંનેમાં ઉત્કૃષ્ટ હતા. આર્ય મહાગિરિની જેમ દીક્ષાના અલ્પ સમયમાં આર્ય સુહસ્તિઓ પણ ૧૧ અંગશા અને ૧૦ પૂર્વે કંઠસ્થ કર્યા હતાં. તેઓ આર્ય મહાગિરિસૂરિને ગુરુતુલ્ય માનતા હતા. બંને ગુરુભાઈ પ્રાયઃ સાથે જ વિચરતા હતા. આર્ય મહાગિરિ મોટા ભાગે નગર બહાર ઉદ્યાનમાં અને આર્ય સુહસ્તિ વિશેષતઃ નગરમાં સ્થિરતા કરતા હતા. એક વખત સંઘનાયક આર્ય મહાગિરિએ વિચાર્યું કે, “શ્રેષ્ઠ આત્મવિશુદ્ધિ કરનાર જિનકલ્પ આચાર વર્તમાનકાળે વિચ્છેદ થયો છે. પરંતુ તેના સમાન કરેલા તપ-જપ-ધ્યાન પણ પૂર્વસંચિત કર્મનો વિનાશ કરી શકે છે. મારા સ્થિર બુદ્ધિવાળા અનેક શિષ્ય શાસ્ત્રના સારા જ્ઞાતા બની ગયા છે. હું પિતાના આ ઉત્તરદાયિત્વથી પ્રસન્ન અને નિશ્ચિત છું. ગચ્છની પ્રતિપાલન કરવામાં આર્ય સુહસ્તિ સુદક્ષ અને સમર્થ છે. આથી આ ઉત્તરદાયિત્વથી રહિત ગણની સાથે રહી હું પિતાને આત્મહિત માટે વિશિષ્ટ તપમાં જોડી મહાન ફળને ભાગી બનું, તે મારા માટે કલ્યાણકારક માર્ગ છે.” આચાર્યશ્રી મહાગિરિની આ વિચારણા દઢ નિશ્ચયપણે સ્થિર થવા પામી. શ્રીસંધસંચાલનને ભાર આર્ય સુહસ્તિને ભળાવી તેઓ જિનકલ્પતુલ્ય સાધના આત્મધ્યાન પૂર્વક કરવા લાગ્યા. ભયંકર ઉપસર્ગોમાં નિષ્ણકંપ; નગર, ગ્રામ, આરામ આદિના પ્રતિબંધરહિત બન્યા. સ્મશાનભૂમિમાં ગણની નિશ્રાએ સ્થિરતા કરવા લાગ્યા. ભિક્ષાચર્યામાં આર્ય મહાગિરિજી વિશેષ અભિગ્રહવાળા હતા. તેઓ સદાય ત્યાગ કરવાલાયક તુચ્છ આહારાદિની ભિક્ષા ગ્રહણ કરતા. પાટલીપુત્રને એક પ્રસંગ છે. આર્ય મહાગિરિ વસુભૂતિ નામના શ્રેષ્ઠીને ઘેર આહાર માટે પધાર્યા. ત્યાં તેમની પહેલાં આર્ય સુહસ્તિ પધાર્યા હતા. તેઓ શ્રેષ્ટિ વસુભૂતિની વિશેષ પ્રાર્થનાથી તેમના પરિવારને જૈનધર્મનો બોધ દેવા પધાર્યા હતા. પરિવારસહિત વસુભૂતિ આચાર્ય Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy