SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ચોર્યવૃત્તિ-પ્રવૃત્તિનો ત્યાગ કરી અચૌર્યગ્રતાદિ પાંચ મહાવ્રતોને સ્વીકારનાર શ્રમણ શ્રેષ્ઠ, સમર્થ શ્રુતકેવલી, ચૌદ પૂર્વધર મહાન યુગપ્રધાન આર્ય શ્રી પ્રભવસ્વામીજી મહારાજા પ૦૦ ચોરના નાયક પ્રભવ મણગણના નાયક બન્યા. કેવલજ્ઞાનના વિચ્છેદ પછી શ્રતધરોની પરંપરામાં આર્ય પ્રભવ સર્વપ્રથમ ચૌઢ પૂર્વધર હતા. આર્ય સુધર્માસ્વામી પ્રભવના ગુરુ હતા. આર્ય જંબૂસ્વામી અને આર્ય પ્રભવસ્વામીના ગુરુ એક જ હતા. શ્રમણુપરંપરામાં શ્રમણ ગણનાયક આર્ય જંબૂસ્વામીની પછી આર્ય પ્રભવસ્વામી આવ્યા હતા. પ્રભવ ક્ષત્રિય રાજકુમાર હતા. વિંધ્યાચલ પર્વતની નજીકના જ્યપુર નગરમાં વીરનિર્વાણ પૂર્વે ૩૦માં તેમનો જન્મ થયો હતો. તે વિંધ્યનરેશના પુત્ર હતા. તે કાત્યાયન ગોત્રના હતા. વિંધ્યરાજાને બે પુત્ર હતા; તેમાં પ્રભવ મોટા હતા. તેમને ક્ષત્રિય કુળને ઉચિત શિક્ષા આપવામાં આવી હતી. તે યુવાન બન્યા. છ પુત્ર હોવાને કારણે તેઓ રાજ્યના ઉત્તરાધિકારી હતા. પણ કેઈક કારણથી વિંધ્યરાજાએ તેના રાજ્યના ઉત્તરાધિકારી તરીકે નાના પુત્રને સ્થાપિત કર્યો. આ ઘટનાથી પ્રભવ કેપ પામે. રાજધાનીનો ત્યાગ કરી ચેરેની પલ્લીમાં પહોંચી ગયા. તે બુદ્ધિશાળી તેમ જ શારીરિક બળથી યુક્ત હતો. વિધ્ય પર્વતની ઘાટીઓમાં રહી તે લોકોમાં લૂંટફાટ કરતો હતા. પ૦૦ ચોરોને અધિપતિ બન્યો. તેને અવસ્થાપિની અને તાલેદ્દઘાટિની નામે બે વિદ્યાઓ હતી. અવસ્થાપિની વિદ્યા વડે તે બધાને નિદ્રાધીન કરી શક્તા અને તાલેદ્દઘાટિની વિદ્યા વડે મજબૂતમાં મજબૂત તાળાંઓને પણ ઉઘાડી શકતો. આ બે વિદ્યાઓને લીધે તેનું બળ અસાધારણ થયું. શસ્ત્રસજજ સૈન્યદળ પણ તેનાથી ભય પામતું હતું. એક વાર પ્રભવ અને તેના સાગરીત ચોરે ઘણી ધનસંપત્તિ પ્રાપ્ત કરવા માટે રાજગૃહીમાં ધનાઢય એવા રાષભદત્ત શ્રેષ્ઠીના ઘરે પહોંચ્યા. તેમના પુત્ર જંબૂ કુમારનાં આ જ દિવસે આઠ કન્યાઓ સાથે લગ્ન થયાં હતાં. પ્રભવે અવસ્થાપિની વિદ્યાથી સર્વને નિદ્રાધીન કર્યા અને તાલેઘાટિની વિદ્યાના પ્રયોગથી તાળાંઓ તોડી નાંખ્યાં. પરંતુ જંબૂને તે વિદ્યાની અસર ન થઈ. ચેરે ધનની પેટીઓ પાસે જઈ હીરા અને પન્ના વગેરે ભેગા કરવા લાગ્યા. જંબૂ કુમારે એને પિતાની સંપત્તિનું અપહરણ કરતા જોયા પણ તે ક્ષેભ ન પામ્યા અને કેોધ પણ ન પામ્યા. ચેર કેટલાક નિદ્રાધીન મનુષ્યનાં શરીર ઉપરથી આભૂષણે ઉતારવાને પ્રયાસ કરવા લાગ્યા. તે વખતે જંબૂએ કહ્યું કે, “હે ચિરો! મારા વિવાહ પ્રસંગ પર આવેલા મારા મિત્રના અલંકાર પર હાથે ન લગાડો. હું પહેરેગીરની જેમ ખુલ્લી આંખોથી તમને જોઈ રહ્યો છું.” ચેરે અજાણી દિશાએથી આવતા શબ્દથી ચોંકી ગયા. તે વખતે એક આશ્ચર્યકારી ઘટના બની. ચોરીને અધિપતિ પ્રભાવ પહેરેગીરી કરતો ભમી રહ્યો હતો. ચોરો ઝડપથી પિતાનું કામ કરી રહ્યા હતા. ધનની ગાંસડીઓ વાળી તે ઉપાડવા જતા હતા ત્યાં તેઓના હાથે ગાંઠે ઉપર એંટી ગયા અને પગ જમીન પર ચૂંટી ગયા. બધા ચેરે કાષ્ઠની જેમ ખંભિત થઈ ગયા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy