SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક સ્વીકારે. હું તેમના સઘળા અપરાધો માફ કરું છું.” રાજા કેણિકની શુભેચ્છા પ્રાપ્ત કરી જંબૂકુમાર તથા પ્રભવ પરમ પ્રસન્નતા પામ્યા. આર્ય સુધર્માસ્વામીએ જંબૂકમાર સહિત પર૭ મુમુક્ષુઓને વિ. સં. પૂર્વે ૪૬૦માં રાજગૃહના ગુણશીલ ચૈત્યમાં મુનિદીક્ષા આપી. મુનિ જંબૂસ્વામી કુશાગ્રબુદ્ધિના સ્વામી હતા. આર્ય સુધર્માસ્વામી પાસેથી દ્વાદશાંગીનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. સમગ્ર સૂત્રાર્થના જ્ઞાતા તેમ જ વિવિધ ગુણેના ધારક જંબુસ્વામીને શ્રી સુધર્માસ્વામીએ પિતાના પદ ઉપર સ્થાપન કર્યા તે વખતે તેમની વય ફક્ત ૩૬ વર્ષની હતી. શ્રી સુધર્માસ્વામી અને બૂસ્વામીને પાંચ ભવને સંબંધ આગમશાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. પ્રથમ ભાવમાં સુધર્મા અને જંબૂ બને ભાઈ હતા. સુધર્માસ્વામીનું નામ ભવદત્ત અને જબૂસ્વામીનું નામ ભવદેવ હતું. ભવદત્તે ભવદેવને દીક્ષા આપી, આત્મકલ્યાણના માર્ગે વાળ્યા. બંને ભાઈ સંયમની આરાધના કરી સ્વર્ગે ગયા. તે પછી બંને સાગરદત્ત અને શિવકુમાર નામે રાજકુમારો થયા. સાગરદત્તનો જન્મ કુંડરીકિણી નગરીમાં અને શિવકુમારનો જન્મ વિતકશા નગરીમાં થયે. સાગરદત્તના પિતાનું નામ વદત્ત અને માતાનું નામ યશોધના હતું. શિવકુમારના પિતાનું નામ પદ્મરથ અને માતાનું નામ વનમાળા હતું. સાગરદત્ત મુનિદીક્ષા ગ્રહણ કરી શિવકુમારને પ્રતિબંધ કર્યો. શિવકુમારે શ્રાવકધર્મની આરાધના કરી અને બાર વર્ષ કઠોર તપ કર્યું. ત્યાંથી સમાધિમરણ પામી બન્ને દેવ થયા. દેવાયુ પૂર્ણ કરી બંને મનુષ્ય જન્મ પામ્યા અને તેમનાં નામ સુધર્મા અને જંબૂ પાડવામાં આવ્યાં. સુધર્માને જન્મ બ્રાહ્મણ પરિવારમાં અને જંબૂનો જન્મ વૈશ્ય પરિવારમાં થયે. આ પાંચમા ભાવમાં શ્રેષ્ઠીપુત્ર જંબૂ કુમાર આર્ય સુધર્માસ્વામીથી પ્રતિબોધ પામ્યા. વિ. સં. પૂર્વે ૪પ૦માં ૩૬ વર્ષની વયે શ્રી અંબૂસ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રે કેવલી પરંપરામાં જંબૂસ્વામી છેલ્લા કેવલજ્ઞાની થયા. આર્ય સંબૂસ્વામી સોળ વર્ષ ગૃહસ્થજીવનમાં રહ્યા. મુનિપર્યાયનાં ૬૪ વર્ષમાં ૪૪ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા. તેમનું આયુષ્ય ૮૦ વર્ષનું હતું. તેઓ વિ. સં. ૫૪૦૬માં નિર્વાણપદ પામ્યા. નવયૌવના રૂપ સંપન્ના આઠ પત્નીઓને ત્યાગ કરી, સંયમમાર્ગ પર ચઢી, જંબૂ કુમાર મુક્તિધૂને વરી કૃતાર્થ થયા. એ માટે પટ્ટાવલી સમુચ્ચયમાં કહ્યું છે કે– જંબુએ મુજ કારણે ઠંડી કન્યા આડ; આજ થકી આ ભરતને, નહિ કરું હું નાથ. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy