SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક પ્રાર્થના કરી કે, “હે મુનીશ્વર! મને આપની વાણી સાંભળવાથી સંસારની અસારતાને બોધ થયો છે. શાશ્વત સુખને આપનાર સંયમમાગને ગ્રહણ કરવા ઈચ્છું છું.” શ્રી સુધર્માસ્વામી કહ્યું કે, “છીપુત્ર! સંયમી જીવનની અમૂલ્ય ક્ષણ દુર્લભ છે, ધીરપુરુષએ આચરવા લાયક છે. તું પળભર પણ પ્રમાદ ન કર.” જંબૂકુમારનું મન શીધ્ર મુનિજીવન સ્વીકારવા માટે ઉત્સુક બન્યું. પણ તે તેમના હાથની વાત ન હતી. માતા-પિતાની અનુજ્ઞાની જરૂર હતી. જબૂએ આદેશ કરવાથી સારથિએ રથને ઘર તરફ વાળે. વાહનની ભીડ હેવાથી માગ રૂંધાયેલું હતું. વિરાગી જંબૂ માટે કાળવિલંબ અસહ્ય બને. જબૂના આદેશથી સારથિએ રથને બીજા દરવાજા તરફ વાળ્યું. ત્યાં કિલ્લા પર યુદ્ધ માટે તૈયારીઓ થતી જોઈ, જબૂએ વિચાર્યું કે, જે આ અવસ્થામાં કારમાં પ્રવેશ કરવામાં આવે તે દુર્ઘટના થવાનો સંભવ છે. જબૂએ રથ પાછો ફેરવી સુધર્માસ્વામી પાસે જઈ આજીવન બ્રહ્મચર્ય તપાલનની પ્રતિજ્ઞા લીધી. જંબૂકુમારને રથે ઘર તરફ જલદી પાછો ફર્યો. માતા-પિતા પાસે જઈ પ્રણામ કરી જંબૂએ કહ્યું કે, “મેં આર્ય સુધર્માસ્વામીનું પ્રવચન સાંભળી મુનિજીવન સ્વીકારવાને નિર્ણય કર્યો છે. આપના આદેશની રાહ જોઉં છું.” પુત્રની વાત સાંભળી માત-પિતા વ્યાકુળ બન્યાં. લાડકવા જબૂ તેમને એકને એક પુત્ર હતું. આઠ કન્યાઓ સાથે પહેલેથી જ તેમને સંબંધ થયેલ હતું. તેમના વિવાહ પછી પુત્રની જોગસંપત્તિ જેવાની તેમની પ્રબળ ઈચ્છા હતી. આથી મહમૂઢ માતા-પિતાએ કહ્યું, “વત્સ ! અમારે આધાર ફક્ત તું જ છે. તારે વિવાહ મહોત્સવ કરવાની અમારી તીવ્ર ઇચ્છા છે. આઠ કન્યાઓને પરણી અમારી ઇચ્છા સફળ કર.” બીજા પણ ઘણાં પ્રલેભને આપ્યાં, પરંતુ તેઓ જંબૂના મનને ચલિત કરી શકયાં નહિ. માતાપિતાએ છેવટે કહ્યું, “પુત્ર ! તારા સંયમમાર્ગમાં અમે વિદ્ધભૂત થવા ઈચ્છતા નથી, પરંતુ જે આઠ કન્યાઓ સાથે તારો સંબંધ થયો છે તેના વિવાહ માટે અમે વચનથી બંધાયાં છીએ. તારા સંયમ સ્વીકારથી તેઓને દુઃખ થશે અને અમે પણ વચનભંગ થઈશું. તું અમારે આજ્ઞાકારી પુત્ર છે. હજુ પણ અમારી વાત સ્વીકારી આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરવા સંમતિ આપ. વિવાહ પછી અમે તારા માર્ગમાં કઈ પણ પ્રતિબંધ રાખશું નહિ.” જંબૂએ વિચાર્યું કે, પાણિગ્રહણ પછી સંયમ-સ્વીકાર કરવા માટે આઠ પત્નીઓની પણ અનુજ્ઞા લેવી પડશે. એમાં વિદન દેખાયું, છતાં માતા-પિતાનું વચન ઉલ્લંધી શક્યા નહિ. તેમણે નમતું તે આપ્યું પણ બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞામાં તેઓ મક્કમ રહ્યા. લગ્ન કરી બીજા જ દિવસે દીક્ષા લેવાના જંબૂના દઢ સંક૯પની વાત કન્યાઓના વડીલને જણાવી દેવામાં આવી. પરસ્પર વિચારવિનિમય કરવામાં આવ્યો. મેહને લીધે કન્યાના માતા-પિતા કેઈ નિર્ણય કરી શક્યા નહિ. આ વાત કન્યાઓ સુધી પહોંચી. તેઓએ દઢ સ્વરે કહ્યું કે, “તમે જખૂકુમાર સાથે અમારું સગપણ કરેલ છે. અમે જ બૂકુમારને વર રૂપે સ્વીકારેલ છે. હવે અમારે બીજે કઈ વર હોઈ શકે નહિ. અમારું જીવન હવે જંબૂકુમારના હાથમાં છે.” કન્યાઓને નિશ્ચય સાંભળી તેમનાં માતા-પિતાઓએ વિવાહ કરવાનો નિર્ણય કર્યો. નૈમિત્તિકને પૂછી સાતમે દિવસે વિવાહને નિર્ણય કર્યો. ત્રષભદત્ત પિતા અને ધારિણી માતા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy