SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો ભગવાન મહાવીરના નિર્વાણ સમયે સુધર્માસ્વામીની વય ૮૦ વર્ષની હતી. ૯૨ વર્ષની વયે, વીરનિર્વાણ સં. ૧૨ (વિ. સં. પૂર્વે ૪૫૮)માં, તેઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં, તેમના ઉત્તરાધિકારી શ્રી અંબૂસ્વામીની સમસ્ત શ્રમણગણ સહિત ચતુર્વિધ સંઘના નાયકપદે સ્થાપના થઈ હતી. આઠ વર્ષ સુધી કેવલીપણે વિચરી, ૧૦૦ વર્ષની વયે, વિ. સં. પૂર્વે ૪૫૦માં, શ્રી સુધર્માસ્વામી રાજગૃહીના વૈભારગિરિ ઉપર એક મહિનાના અનશનપૂર્વક નિર્વાણ પામી મોક્ષગામી બન્યા હતા. તેઓના એક બીજા શિષ્ય શ્રી પ્રભવસ્વામી પણ શ્રી જંબુસ્વામી પછી સંઘનાયક થયા હતા. (જેન પરંપરાનો ઇતિહાસ અને અન્ય ગ્રંથો-લેખો આદિમાંથી સાભાર.) ભરતક્ષેત્રે વર્તમાન ચોવીશીના અંતિમ કેવલજ્ઞાની -મોક્ષગામી આચાર્ય શ્રી જંબૂસ્વામીજી મહારાજ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં સંઘનાયકની બીજી પાટે આચાર્ય જંબુસ્વામી થયા. જંબુસ્વામીના ગુરુ ભગવાન મહાવીરના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી હતા. જબૂસ્વામીએ શ્રી સુધર્માસ્વામી પાસે દ્વાદશાંગીને સગેવાંગ અભ્યાસ કર્યો હતો. આથી જંબુસ્વામીના દીક્ષાગુરુ અને વિદ્યાગુરુ શ્રી સુધર્માસ્વામી હતા. જંબૂ કુમારનો જન્મ વીરનિર્વાણ પૂર્વે ૧૬મા વર્ષે રાજગૃહીનગરમાં થયો. તેમના પિતાનું નામ ભદત્ત અને માતાનું નામ ધારિણી હતું. તેમનું નામ પ્રમાણે ગુણવાળી (૧) સમુદ્રશ્રી, (૨) પદ્મશ્રી, (૩) પાસેના, (૪) કનકસેના, (૫) નભસેના, (૬) કનકશ્રી, (૭) કનકાવતી, (૮) જ્યશ્રી નામે આઠ પત્ની હતી. રાષભદત્ત રાજગૃહનગરના શ્રેષ્ઠી હતા. અપાર લક્ષ્મીના સ્વામી હતા. તેમને ધારિણી નામે સદ્ધર્મચારિણી સ્ત્રી હતી. એક વખત ધારિણીના ગર્ભમાં મહાન તેજસ્વી વિદ્યુમ્માલદેવને જીવ ગર્ભ પણે ઉત્પન્ન થયો. તે વખતે ધારિણીએ સ્વમમાં શ્વેત સિંહ અને પિતાના ઉદરમાં રહેલા પુત્રને સુસંસ્કારી બનાવવા માટે વિશેષપણે સંયમપૂર્વક રહીને ધર્માચરણ કરવા લાગી. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે ધારિણુએ તેજસ્વી પુત્રને જન્મ આપે. માતાએ ગર્ભધારણ વખતે જંબુદ્વીપના અધિષ્ઠાતા દેવને ઉદ્દેશીને ૧૦૮ આયંબિલપૂર્વક આરાધના કરી હતી, આથી શુભ મુહૂતે તેનું નામ જબૂ પાડવામાં આવ્યું. “ બાળક જબૂ રૂપસંપન્ન અને તેજસ્વી હતું. તેનામાં અનુક્રમે વિનયાદિ ગુણે વિકાસ પામ્યા. યૌવનવયમાં તેમનું રૂપ વિશેષે ખીલી ઊઠયું. એક વખત જંબૂએ મગધસમ્રાટ શ્રેણિકના ગુણશીલ નામના ઉદ્યાનમાં શ્રી સુધર્માસ્વામીનું ભવસંતાપહારી પ્રવચન સાંભળ્યું. તેનાથી તેના હૃદયમાં સંયમ ગ્રહણ કરવાને તીવ્ર અભિલાષ જાગૃત થયે. જંબુએ શ્રી સુધર્માસ્વામી પાસે જઈને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy