SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંત ૮૫ કરી. વૈશાખ સુદિ ૧૧ના એ શુભ દિવસને “ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીના તીર્થ( શાસનની સ્થાપના દિવસ” કહેવાય છે. ભગવાન મહાવીરે આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને જુદા જુદા વિભાગે-ગણની રચના કરી અને તેની વ્યવસ્થા પિતાના આ મુખ્ય અગિયાર શિષ્યને સેંપી. આથી તેઓ એ ગણના નાયક બન્યા અને એ રીતે પણ તેઓ “ગણધર” કહેવાયા. આ અગિયાર ગણધરમાં શ્રી સુધર્માસ્વામી પાંચમા ગણધર હતા. (શ્રી સુધર્માસ્વામી સરલતમ, સૌમ્ય, નિર્મલ, ભદ્રપરિણામી, સત્યના ઉપાસક ને સાધક, વેદ-વેદાંગપુરાણની ચૌદે વિદ્યાના જાણકાર, પ્રજ્ઞાવાન, સંપૂર્ણ જિનાગમના પારગામી, અજોડ સંકલનકાર, વિનમ્ર અને વિનયવાન શિષ્ય, વત્સલ અને મેધાવી ગુરુ, સવિશુદ્ધ ચારિત્રશીલ, અપ્રમત્ત આત્મસાધક, ક્ષમાસાગર, પંચમહાવ્રતના અણિશુદ્ધ પાલક, સ્વ-પર કલ્યાણમાં સદા તત્પર વગેરે વગેરે સદ્ગુણથી સુસમ્પન્ન અને અગ્રેસર હતા.)તેઓની પિતાની શિષ્યસંપદા ૩૯૦૦થી પણ વધુ હતી. આચાર્ય મલયગિરિ આવશ્યક નિર્યુક્તિની વૃત્તિમાં લખે છે: “એ ક્ષમાસાગર, લેહસાર સમાન કાન્તિમાન રંગવાળા “હાર્ય” ધન્ય છે કે જેમના ભિક્ષાપાત્રથી સ્વયં જિનેન્દ્ર ભગવાન મહાવીર પિતાના હસ્તપાત્ર દ્વારા ભજન કરે છે.” આ ઉલ્લેખથી બે વાત જાણવા મળે છેઃ ૧. સુધર્માસ્વામીનું બીજું નામ લેહાર્ય છે. ૨. ભગવાનના માટે તે ગોચરી લઈ આવતા. આમ છતાં, લેહાર્ય નામ બહુ પ્રચલિત નથી, અને તે અંગે વિદ્વાનોમાં એકમત પણ નથી. શ્રી સુર્માસ્વામીના દીક્ષા જીવનના ત્રણ પ્રસંગેની શક્તિ નોંધ નીચે પ્રમાણે મળે છે : એક ઃ ભગવાન મહાવીર વિદ્યમાન હતા એ સમયે તેમના પરમ ભક્ત શ્રેણિક રાજાએ કુમાર-કુમરી પર્વત ઉપર એક જિનાલય બંધાવ્યું હતું. શ્રી સુધર્માસ્વામીએ આ જિનાલયમાં ભગવાન શ્રી કષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. બેઃ ભગવાન મહાવીરના નિર્વાણના અંતિમ દિવસે, તેઓ ભગવાનને વિનયથી પૂછે છે? હે ભગવંત! કેવળજ્ઞાનરૂપી સૂર્ય ક્યારે અને કેના પછી ઉછેદ પામશે, તે કહેવા કૃપા કરે.” તેમના આ પ્રશ્નથી આપણને સૌને જાણવા મળ્યું કે, જંબુસ્વામી છેલ્લા કેવળી બનશે, ત્યાર પછી કઈને કેવળજ્ઞાન નહિ થાય. ત્રણ ભગવાનના નિર્વાણ બાદ શ્રી સુધર્માસ્વામી ચંપાનગરીમાં શિષ્ય પરિવાર સાથે પધાર્યા. આ શિષ્ય પરિવારમાં શ્રી જબૂસ્વામી પણ હતા. મગધનરેશ કેણિક તેમને વંદન કરવા માટે ગયા. શ્રી જે બૂસ્વામીનું અપ્રતિમ સૌંદર્ય જોઈને કેણિકે પૂછ્યું: હે ભગવંત! આપના આ શિષ્યવૃંદમાં તારામંડળમાં શરદ પૂર્ણિમાના ચંદ્ર સમાન કાંતિવાન, ઘીસીચિત ઝળહળતી જ્યોત સમાન તેજસ્વી અને સૌંદર્યસમ્રાટ આ શ્રમણ કેણ છે? કયા દાન, શીલ, તપ અને ભાવના પ્રભાવથી તેમણે આવું ભુવનમોહન સૌંદર્ય અને તે પ્રાપ્ત કર્યા છે??? Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy