SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ E પરમ પ્રભાવક-પ્રતાપી પૂર્વાચાર્યો *252525252525252525S2S2SESZSZSC. ચરમ તીર્થકર શ્રી મહાવીર પરમાત્માના પંચમ ગણધર અને પ્રવર્તમાન શ્રી વીરશાસન શ્રમણ પરંપરાના પ્રથમ પધર શ્રી સુધર્માસ્વામીજી ગણધર ભગવંત તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના તીર્થ (શાસન)ની સ્થાપના : આ અવસર્પિણીકાળમાં પરમાત્મા શ્રી રાષભદેવ વગેરે ૨૪ તીર્થકર ભગવાન થયા. તેમાં અંતિમ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી થયા, જેમનું આ કાળે જિનશાસન પ્રવર્તે છે, જ્યવંતુ વતે છે. વિ. સં. પૂર્વે ૫૪૩માં પરમાત્મા શ્રી વર્ધમાનને જન્મ થયો હતે. ૩૦ વર્ષની વયે તેઓશ્રીએ પ્રવજ્યા-દીક્ષા અંગીકાર કરી; અને ૧રા (સાડાબાર) વર્ષપર્યત ઘોર તપશ્ચર્યા કરી, અનેક ઉપસર્ગો સહ્યાં અને પરમ સમતા અને અખંડ આત્મસાધનાપૂર્વક કેવલજ્ઞાન પામ્યા. કેવલજ્ઞાનપ્રાપ્તિના બીજા જ દિવસે, વિ. સં. પૂર્વે પ૦૧માં વૈશાખ સુદિ ૧૧ના વહેલી સવારે, તીર્થકર ભગવાન શ્રી વર્ધમાનસ્વામી અપાપાનગરી (પાવાપુરી)ના મહાસેન વનમાં પધાર્યા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy