SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનપ્રભાવક થાય છે કે, આર્ય કુળ અને આર્યદેશને સાર્થક કરનારા અનેક સંતરને પિતાનાં ગાજવળ પ્રકાશથી શાસનને અને ખી સિદ્ધિ અને સમૃદ્ધિથી શોભાવી ગયા. જ્ઞાનસાધના અને ઉગ્ર તપશ્ચર્યા તેમ જ સંયમસુવાસથી મઘમઘતા જેનશાસનના આ ઉદ્યાનમાં રહીને પૂર્વ મહાપુરુષોએ વિશ્વને આશ્ચર્યચકિત કરી દે તેવું સાહિત્યસર્જન કર્યું. એ પૂર્વાચાર્યો પિતાની દિવ્ય પ્રતિભા વડે સુવર્ણને પથ્થર માનતા અને પથ્થરને સુવર્ણ બનાવી શકતા. આ સમાજના ધનપતિઓએ ધનભંડાર ખુલ્લા મૂકી, કલાના નમૂના સમાન ગગનચુંબી જિનાલય બંધાવ્યાં. જેના તાકિ કે એ સંમતિત, અનેકાંતમત, જયપતાકા અને સ્યાદ્વાદમંજરી, જેવા ગ્રંથનો વારસો આપે જેના નૈયાયિકે એ વાદચર્ચામાં અસાધારણ બુદ્ધિવૈભવ દાખવ્ય જેના સાક્ષાએ પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અન્ય ભાષાઓનું વિપુલ ખેડાણ કરી અતુલ્ય રહયેનું આલેખન કર્યું; જેના આદર્શ બ્રહ્મચારીઓએ કામદેવને એના ઘરમાં જઈને જીતી લીધે; જેના નટેએ નાચતાં અને નાટક કરતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી, જેનાં બાળ પારણામાં જ અગિયાર અંગ ભણી જતાં, એવા અપૂર્વ ઇતિહાસને સર્જનાર જૈનશાસન વિશ્વના ઈતિહાસમાં અદ્ભુત સ્થાનનું અધિકારી છે! તીર્થકર દેના પ્રબળ પુણ્યવંતા સમયગાળામાં જેનશાસનની આબાદી ભેળે કળાએ ખીલી હતી. તેમાં આ પતિતપાવન શ્રમણ પરંપરામાં સમયે સમયે વિશિષ્ટ પ્રતિભાઓને પ્રકાશપુંજ રેલાયે. અને શ્રમણની પાટ પરંપરામાં ક્રમે ક્રમે થયેલા અનેક મહાનુભાવ આચાર્યાદિ તથા મુનિવર્યો આ મંગલ ધર્મને પ્રસારવા માટે ઉત્સાહી હતા. તેઓશ્રીનાં જીવનકવન ભાદાત્ત હતાં. તેમના ઉપદેશથી જેને સદાચારની જીવંત મૂર્તિરૂપ બનતા. પૂર્વકાળમાં શ્રેમમાં મર્મગ્રાહી અને તલાવગ્રાહી જ્ઞાનરાશિને ગ્રહણ કરવાની અને પ્રદાન કરવાની અભુત શક્તિને પર જોવા મળતું. તેઓમાં અલૌકિક બુદ્ધિવૈભવ હોવા છતાં તેઓ નિરભિમાની રહીને, સર્વદા આપણને સુલભ, સુગમ અને બાલજીવોને પણ અવબોધ થાય એવાં શાની રચના કરીને સાચા અર્થમાં કલ્યાણમિત્ર બન્યા છે. - ભૂતકાળના આ ભવ્યાતિભવ્ય વારસાને અંતરની અનંત વંદનાઓ ! શ્રમણ સંસ્કૃતિ સામેના પરિબળો અને પડકારો : વર્તમાનમાં વિષમ કાળ ચાલી રહ્યો છે. વૈભવી રંગરાગથી રંગાયેલો પશ્ચિમને વિષમય પવન આપણી અહિંસામય સંસ્કૃતિ સામે જબરદસ્ત પડકાર બનીને ઊભે છે. રોજિંદી ઘટનાઓમાં હિંસા-અત્યાચાર–પાપાચાર–મલિનતા-શઠતાની બદબૂએ આપણાં શાશ્વત મૂલ્યના પવિત્ર વાતાવરણને કલુષિત કરી કરી મૂક્યું છે. અવસર્પિણ કાળના આ પાંચમા કઠણ કાળમાં જેનદર્શન અને આચારનિષ્ઠ સંસ્કૃતિ સામે અંદરથી અને બહારથી પ્રભન, પડકારો અને માયાવી છલનાઓ ઊભી થઈ રહી છે. સુખસગવડોનાં રૂપાળા અને આકર્ષક, ઉપરથી નિર્દોષ અને અંદરથી વિષાત એવાં અજગર જેવાં પ્રલોભને છે. એનાથી સદ્ગુણાનુરાગને સ્થાને ઈર્ષા–અદેખાઈ જેવા પ્રમુખ દોષ જોર પકડતા જાય છે. સમયને આ પ્રચંડકાય ધસમસતાં પૂર સામે જે કઈ સશક્ત તારક ચીજ હોય તો તે છે જિનાગમ અને જિનપ્રતિમા, જિન ધર્મ અને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004596
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy