SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કાયોત્સર્ગ ધ્યાન સંધ એ હાડકાને માળખે છે – એમ કહેવાયું છે. તે પ્રવચન અહીં પ્રસ્તુત સૂત્રમાં “હેતુ સંપદારૂપે વ્યવસ્થિત કરાયું હોય તેમ જણાય છે. “હેત સંપદા જ મેક્ષમાર્ગ દર્શાવે તેવા પ્રવચનરૂપે અહીં હોય તે સંભવ છે. આ પ્રકારે પંચમ પ્રસ્થાનમાં મંત્રરાજના છ મેરુનું આલાપક અહીં પ્રસ્તુત સૂત્રમાં જુદા જુદા સાંકેતિક શબ્દમાં “નિમિત્ત–સંપદારૂપે અને સાતમા મેરુનું પદ (મારિચમેરુ) પ્રવચન અથવા મેક્ષમાગ તરીકે કે “હેતુ સંપદારૂપે વ્યવસ્થિત કરાયું જણાય છે. પ્રથમ પંજિકામાં આપણે વિચાર્યું કે અનુપ્રેક્ષાથી વસ્તુને સ્વભાવ પ્રત્યક્ષ થાય છે. આ કારણે અનુપ્રેક્ષા ‘આલંબન'નું એક બહુ જ ઉપગી અંગ છે, તેમ પણ વિચાર્યું. પ્રસ્તુત અનુપ્રેક્ષાને બાર પ્રખ્યાત ભાવનાના અર્થમાં અહીં સમજવાની નથી, અહીં અનુપ્રેક્ષાને ‘તત્વાર્થનુચિંતનના અર્થમાં સમજવાની જરૂર છે–આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે -‘અનુપ્રેક્ષા નામ તરવાનવન્તનમૂા” તવાનુચિંતન નીચે પ્રમાણે કરાય છે – પરમાત્માના શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળરૂપના અનુચિંતનથી પ્રથમ પરમાત્મામાં (ધ્યેયમાં) અને પછી આત્મામાં ધ્યાતામાં નિશ્ચયથી દ્રવ્યગુણ-પર્યાયના સાસ્યનું જ્ઞાન થાય છે તે પછી પરમાત્મા અને આત્માને અભેદ છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે – जो जाणदि अरिहंते दव्वत्तगुणत्तपजवतेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु तस्स जादि लयं ।। ( પ્રવચનસારક ક-૮૦). ભાવાર્થ-જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે. આ પ્રકારે અનુપ્રેક્ષાથી ખરેખર અરિહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે કારણ કે બન્નેમાં * આવા જ્ઞાનથી ચિત્ત ભાવિત થતાં મેહની પકડ ક્રમશઃ ઢીલી પડતી જાય છે અને વિષયકષાયને આગ પ્રમાણમાં શિથિલ થતો જાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy