SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા ૬૯ ૧. પ્રથમ ખંડ કે જેમાં અર્હત્ પ્રતિમાઓનાં આલંબનવડે કાયાત્સર્ગ કરવાના કેવળ સંકલ્પનું ઉચ્ચારણ થાય છે, તેને ‘ અલ્યુપગમ સ’પદા’ કહે છે. તેની વર્ણસંખ્યા ૧૫ ની છે. : ૨. દ્વિતીય ખંડ કે જેમાં આલંબન માટે જે નિમિત્તો વડે ધ્યાન કરાય છે, તેનું ઉચ્ચારણ થાય છે તેને નિમિત્ત સંપદા' કહે છે કારણ કે નિમિત્તો વડે અત્નું જીવન વિચારવાથી ધર્મધ્યાનની ધારા ચાલે છે અને ચિત્તને સ્થિર કરવાનું પુષ્ટ આલેખન મળી રહે છે, તેની વર્ણસંખ્યા ૪૫ની છે. ૩. તૃતીય ખંડ કે જેમાં ચૈત્યના આલેખન માટે પચિવધ હેતુઓનું ઉચ્ચારણ થાય છે, તેને ‘ હેતુ સંપદા’ કહે છે કારણ કે તેમાં કાર્યાત્સર્ગની સિદ્ધિ કરનારા હેતુઓના ઉપાયાના સંગ્રહ કરેલા છે. તેની વર્ણસંખ્યા ૨૩ ની છે. * ૪. ચતુર્થાંખંડ ‘ઝામિ કિસ્સા ’એ ‘ હેતુ સંપદાના જ અંશ છે, કે જેમાં ચૈત્યના આલંબન માટેના પાઠનેા ઉપસંહાર કરાય છે. તેની વર્ણસંખ્યા ની છે. " અર્હત્ ભગવંતની પ્રતિમાનાં આલેખન વડે જે · કાયાત્સગ ધ્યાન ’ કરવામાં આવે છે તે આલેખનયોગ ' કહેવાય છે. આચાય પુરદર શ્રી હરિભદ્રસૂરિએ તેરમા ષોડશકમાં જણાવ્યું છે કેઃ— स्थानोर्णार्थालम्बनतदन्ययोग परिभावनं सम्यक् । परतत्त्वयोजनमलं योगाभ्यास इति तत्त्वविदः ॥ ४ ॥ " ભાવા:-તત્ત્વના જાણકારો કહે છે કે—સ્થાન, ઊર્ણ ( વર્ણ-અક્ષર ), અર્થ, આલેખન અને તાન્ય એટલે અનાલ'બન-એ પાંચ પ્રકારના યેાગનું સમ્યક્ પિરભાવન કરાય તે તે પરતત્ત્વ સાથે બરાબર જોડનાર હાવાથી યોગાભ્યાસ ’ કહેવાય છે. " પરતત્ત્વ ચાજનક્રિયામાં યાજનકમ અત્યંત કઠિન છે. જ્ઞાન અને યાગ (ક્રિયા)ના અભ્યાસના અભાવે યાજનક્રિયા પ્રાપ્ત થઈ શક્રુતી નથી. અભ્યાસથી જીવાત્માનું પરમાત્મા સાથે ચેોજન અથવા યોગ થાય છે; તેથી જીવ શિવશ્રીના લાભ માટે સમથ થાય છે. અરિહંત-ચેઇયાણું-સૂત્ર’ અથવા ચૈત્યસ્તવ' આવા અભ્યાસ માટે માર્ગદર્શક છે. " Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy